ETV Bharat / city

અમદાવાદમાં ભારે વરસાદને પગલે બોપલમાં દિવાલ ધરાશાયી થતા 4ના મોત

અમદાવાદ: શહેરમાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમાં પાણી ભરાયા છે. પાણી ભરાવવાના કારણે બોપલ વિસ્તારમાં દીવાલ ધરાશાયી થઇ હતી.

author img

By

Published : Aug 10, 2019, 1:21 PM IST

ahmedabad

શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. પૂર્વ વિસ્તારના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. પશ્ચિમ વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ વરસાદના પાણી ઘરમાં ફરી વળ્યાં છે. જેના કારણે ઘર સામાન પણ પાણીમાં ફરી વળ્યો હતો. વરસાદના કારણે શહેરના શાહીબાગ, ઉસમાનપુર, ઇન્કમટેક્ષ, નિર્ણયનગર, પરિમલ ગાર્ડન, નરોડાના અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે અંડરપાસ બંધ કરાયા છે.

અમદાવાદમાં ભારે વરસાદ, બોપલમાં દિવાલ ધરાશાયી થતા 4ના મોત

વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો માટે પણ મુશ્કેલી સર્જાઈ છે. પાણી ભરાવવાના કારણે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેના પગલે વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડ્યો છે. વરસાદ અને ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જેમાંથી ડ્રાઈવ-ઇન રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો હતો. જેને લઇને વસ્ત્રાપુર પોલીસ અને ફાયરની ટિમે રસ્તા પરના ધરાશાયી થયેલા વૃક્ષને દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. જે બાદ રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત શહેરના બોપલ વિસ્તારમાં સુધા ફ્લેટ પાસે વહેલી સવારે અચાનક એક દીવાલ ધરાશાયી થઈ હતી. ફાયર વિભાગને આ અંગે જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્ત 4 લોકોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 4 લોકોના મોત નિપજ્યાં હતા.

શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. પૂર્વ વિસ્તારના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. પશ્ચિમ વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ વરસાદના પાણી ઘરમાં ફરી વળ્યાં છે. જેના કારણે ઘર સામાન પણ પાણીમાં ફરી વળ્યો હતો. વરસાદના કારણે શહેરના શાહીબાગ, ઉસમાનપુર, ઇન્કમટેક્ષ, નિર્ણયનગર, પરિમલ ગાર્ડન, નરોડાના અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે અંડરપાસ બંધ કરાયા છે.

અમદાવાદમાં ભારે વરસાદ, બોપલમાં દિવાલ ધરાશાયી થતા 4ના મોત

વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો માટે પણ મુશ્કેલી સર્જાઈ છે. પાણી ભરાવવાના કારણે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેના પગલે વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડ્યો છે. વરસાદ અને ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જેમાંથી ડ્રાઈવ-ઇન રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો હતો. જેને લઇને વસ્ત્રાપુર પોલીસ અને ફાયરની ટિમે રસ્તા પરના ધરાશાયી થયેલા વૃક્ષને દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. જે બાદ રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત શહેરના બોપલ વિસ્તારમાં સુધા ફ્લેટ પાસે વહેલી સવારે અચાનક એક દીવાલ ધરાશાયી થઈ હતી. ફાયર વિભાગને આ અંગે જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્ત 4 લોકોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 4 લોકોના મોત નિપજ્યાં હતા.

Intro:Body:

Gj_Ahd_01_Varsad_Video_Story_7204015



અમદાવાદ:મોડી રાતથી અમદાવાદમાં ભારે વરસાદ,બોપલમાં 4ના મોત..



અમદાવાદ:શહેરમાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમાં પાણી ભરાયા છે.પાણી ભરાવવાના કારણે ટ્રાફિક જામ,રોડ-રસ્તા બંધ,વૃક્ષ ધરાશાયી,દીવાલ ધરાશાયી તથા લોકોના ઘર પણ પાણીથી ઘરકાવ થયા છે.કોર્પોરેશને પણ લોકોને આ સ્થિતિમાં ઘરથી બહાર ના નીકળવા જણાવ્યું છે.



શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે કેટલાક વિસ્તારોમાં ચાલતા ચાલતા જવું પણ લોકો માટે મુશ્કેલ બન્યું છે.ભારે વરસાદના કારણે હાટકેશવર સર્કલ તો બેટમાં જ ફેરવાઈ ગયું છે.પૂર્વ વિસ્તારના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.પશ્ચિમ વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ વરસાદના પાણી ઘરમાં ફરી વળ્યાં છે જેના કારણે ઘર સામાન પણ વિખરાઈ ગયો છે.વરસાદ બંધ થાય તો 3-4 કલાક પાણી ઓસરે તેવી સ્થિતિ ઉભી થઇ છે.



વરસાદના કારણે શહેરના અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા છે.શહેરના શાહીબાગ,ઉસમાનપુર,ઇન્કમટેક્ષ,નિર્ણયનગર,પરિમલ ગાર્ડન,નરોડાના અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે બંધ કરવા પડ્યા છે.નિર્ણયનગર અંડરબ્રિજમાં તો ગાડી પણ ફસાઈ ગઈ હતી જેને બહાર નીકળવાની કામગીરી પણ ચાલુ છે.



વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો માટે પણ મુશ્કેલું સર્જાઈ છે.પાણી ભરાવવામાં કારણે અનેક રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે માટે વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડ્યો છે તો કેટલાક રસ્તા પર વૃક્ષ ધરાશાયી થવાના કારણે પણ રસ્તો બંધ કરતા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોના વાહનો પણ બંધ થઈ ગયા છે.વરસાદી પાણી ઓસરી જાય પછી જ વાહન ચાલકોને રાહત મળી શકે છે.



વરસાદ અને ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે.8 જેટલા અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે જેમાંથી ડ્રાઈવ-ઇન રોડ પર પણ મોટું વૃક્ષ ધરાશાયી થયું છે જેને કારણે રસ્તો બંધ થયો છે.વસ્ત્રાપુર પોલીસ અને ફાયરની ટિમ દ્વારા રસ્તા પરના ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે બાદ રસ્તો પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે.



શહેરના બોપલ વિસ્તારમાં સુધા ફ્લેટ પાસે વહેલી સવારે અચાનક જ દીવાલ ધરાશાયી થઈ હતી.ફાયર વિભાગને આ અંગે જાણ થતાં ઘટના સ્થળે ટીમ પહોંચી હતી અને દીવાલ ધરાશાયી થતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.4 લોકોના સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ મોત થયું હતું.શહેરમાં વરસાદના કારણે જાન હાનિ પણ થઈ છે તો સાથે જ નુકસાન પણ થયું છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.