ETV Bharat / city

ગુજરાત હાઇકોર્ટ બાર એસોશિયેશનના પ્રમુખ યતિન ઓઝાએ રાજીનામું પાછું ખેંચ્યું

પાછલા 26 વર્ષથી ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાએ વર્ચુયલ સુનાવણીને લીધે કેટલાક વકીલની મેટરને લિસ્ટ થવામાં પડતી હાલાકી અને વકીલોની કથળતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે રાજીનામાંનો સ્વીકાર ન કરાતા તેમણે રાજીનામુ પરત ખેચ્યું છે.

author img

By

Published : Jun 2, 2020, 11:40 PM IST

Gujarat High Court Bar Association president Yatin Ojha withdrew his resignation
ગુજરાત હાઇકોર્ટ બાર એસોશિયેશનના પ્રમુખ યતિન ઓઝાએ રાજીનામું પાછું ખેંચ્યું

અમદાવાદઃ પાછલા 26 વર્ષથી ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાએ વર્ચુયલ સુનાવણીને લીધે કેટલાક વકીલની મેટરને લિસ્ટ થવામાં પડતી હાલાકી અને વકીલોની કથળતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે રાજીનામાંનો સ્વીકાર ન કરાતા તેમણે રાજીનામુ પરત ખેચ્યું છે.

વર્ષ 1994થી સતત 17 વખત ચૂંટાઈ આવેલા પ્રમુખ યતિન ઓઝાએ રાજીનામાના પત્રમાં જણાવ્યું હતું કે, વર્ચુયલ સુનાવણીને લીધે કેટલાક વકીલોની મેટર ઘણા દિવસથી કોર્ટ સમક્ષ લિસ્ટ થતી નથી, જ્યારે ઘણા વકીલોની મેટર બે દિવસમાં જ લિસ્ટ થઈ જાય છે. લૉકડાઉનને લીધે વકીલોની વર્તમાન સ્થિતિ વિશે વાતચીત કરતા જણાવ્યું કે, મેં હાલમાં જ ખાવા માટે એક ઓનલાઈન ઓર્ડર મંગાવ્યો હતો, ત્યારે બેરોજગારીને લીધે એક વકીલ ડિલિવરી કરવાની નોકરી કરતો જોઈ મને લાગી આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 64 ટકા વકીલ જો કોર્ટમાં સુનાવણી અંગે સહમતી દર્શાવતા હોય અને તેમ છતાં પરવાનગી ન આપવા આવે તો વકીલો ચેમ્બરમાં રહીને સુનાવણીની પરવાનગી માંગી હતી. જો કે, એ પણ ફગાવી દેવાતા યતિન ઓઝાએ ગુજરાત હાઇકોર્ટ બાર. કાઉન્સિલના સેક્રેટરીને રાજીનામુ આપી દીધું હતું. જો કે, રાજીનામાનો સ્વીકાર ન થતાં પ્રમુખપદ યથાવત રખાયું છે.

અમદાવાદઃ પાછલા 26 વર્ષથી ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાએ વર્ચુયલ સુનાવણીને લીધે કેટલાક વકીલની મેટરને લિસ્ટ થવામાં પડતી હાલાકી અને વકીલોની કથળતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે રાજીનામાંનો સ્વીકાર ન કરાતા તેમણે રાજીનામુ પરત ખેચ્યું છે.

વર્ષ 1994થી સતત 17 વખત ચૂંટાઈ આવેલા પ્રમુખ યતિન ઓઝાએ રાજીનામાના પત્રમાં જણાવ્યું હતું કે, વર્ચુયલ સુનાવણીને લીધે કેટલાક વકીલોની મેટર ઘણા દિવસથી કોર્ટ સમક્ષ લિસ્ટ થતી નથી, જ્યારે ઘણા વકીલોની મેટર બે દિવસમાં જ લિસ્ટ થઈ જાય છે. લૉકડાઉનને લીધે વકીલોની વર્તમાન સ્થિતિ વિશે વાતચીત કરતા જણાવ્યું કે, મેં હાલમાં જ ખાવા માટે એક ઓનલાઈન ઓર્ડર મંગાવ્યો હતો, ત્યારે બેરોજગારીને લીધે એક વકીલ ડિલિવરી કરવાની નોકરી કરતો જોઈ મને લાગી આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 64 ટકા વકીલ જો કોર્ટમાં સુનાવણી અંગે સહમતી દર્શાવતા હોય અને તેમ છતાં પરવાનગી ન આપવા આવે તો વકીલો ચેમ્બરમાં રહીને સુનાવણીની પરવાનગી માંગી હતી. જો કે, એ પણ ફગાવી દેવાતા યતિન ઓઝાએ ગુજરાત હાઇકોર્ટ બાર. કાઉન્સિલના સેક્રેટરીને રાજીનામુ આપી દીધું હતું. જો કે, રાજીનામાનો સ્વીકાર ન થતાં પ્રમુખપદ યથાવત રખાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.