ETV Bharat / city

Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં માત્ર 18 કોરોના કેસ, 32 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ

author img

By

Published : Oct 19, 2021, 7:29 AM IST

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં કોરોનાના 18 જ કેસો નોંધાયા છે. રાજ્યના કોર્પોરેશન જેવા કે અમદાવાદમાં 1, સુરતમાં 2,,તો ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢમાં 1-1 કેસ નોંધાયા હતા. એમ કોરોના પોઝિટિવના તમામ શહેરોમાં સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. જો કે છેલ્લા કેટલાક સમયથી જિલ્લાઓમાં પણ કેસો નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સારવાર દરમિયાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

Gujarat Corona Update
Gujarat Corona Update
  • કોર્પોરેશન વિસ્તારમાં કોરોના કેસો ઘટ્યા
  • સોમવારે 3,61,852 લોકોને વેક્સિન આપવામાં આવી
  • રાજ્યમાં હજુ પણ 213 એક્ટિવ કેસો

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ત્યારે 18 ઓકટોબરના રોજ સમગ્ર રાજ્યમાં 18 જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 32ને હોસ્પિટલમાંથી નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં આવી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી કેટલાક જિલ્લાઓને બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓમાં શૂન્ય કેસો નોંધાયા છે. ખાસ કરીને વેક્સિનેશન સોમવારે 3,61,852 કરાયું.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 2 કોર્પોરેશન જેવા કે, સુરત અને અમદાવાદ વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 01 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 04 દર્દીને રજા આપવામાં આવી છે.

સોમવારે 3,61,852 નાગરીકો વેક્સિન અપાઈ

18 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 3,61,852 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 55,014 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો, તો 2,02,721 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 6,71,91426 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 213

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 193 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 04 વેન્ટિલેટર પર અને 189 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,086 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,029 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો:

  • કોર્પોરેશન વિસ્તારમાં કોરોના કેસો ઘટ્યા
  • સોમવારે 3,61,852 લોકોને વેક્સિન આપવામાં આવી
  • રાજ્યમાં હજુ પણ 213 એક્ટિવ કેસો

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ત્યારે 18 ઓકટોબરના રોજ સમગ્ર રાજ્યમાં 18 જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 32ને હોસ્પિટલમાંથી નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં આવી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી કેટલાક જિલ્લાઓને બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓમાં શૂન્ય કેસો નોંધાયા છે. ખાસ કરીને વેક્સિનેશન સોમવારે 3,61,852 કરાયું.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 2 કોર્પોરેશન જેવા કે, સુરત અને અમદાવાદ વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 01 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 04 દર્દીને રજા આપવામાં આવી છે.

સોમવારે 3,61,852 નાગરીકો વેક્સિન અપાઈ

18 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 3,61,852 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 55,014 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો, તો 2,02,721 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 6,71,91426 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 213

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 193 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 04 વેન્ટિલેટર પર અને 189 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,086 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,029 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.