ETV Bharat / city

આવકવેરામાં ફેસલેસ એસેસમેન્ટથી ભ્રષ્ટાચાર અંકુશમાં આવશેઃ કરવેરા નિષ્ણાતો

author img

By

Published : Sep 16, 2020, 3:48 PM IST

Updated : Sep 16, 2020, 8:12 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરમાળખામાં સુધારા શરૂ કર્યા છે, જેમાં સૌપ્રથમ આઈટી રીટર્ન ફોર્મને સરળ કરીને તેને ઑનલાઈન કર્યું અને ત્યાર બાદ ફેસલેસ એસેસમેન્ટ સીસ્ટમ અમલી બનાવવા તરફ જઈ રહ્યા છે. ત્યારે આ ફેસલેસ એસેસમેન્ટ સીસ્ટમથી કરદાતા અને આવકવેરા વિભાગને શું ફાયદો થશે? કેટલું કામ સરળ થશે? શું તેના અમલ માટે આવકવેરા વિભાગ સજ્જ છે? તેમાં હજી શું સુધારાની જરૂર છે? વિગેરે સવાલના જવાબ મેળવવા માટે ETV Bharat Gujaratના બ્યૂરો ચીફ ભરત પંચાલે ઓલ ઈન્ડિયા નોટરી એસોસિએશનના પ્રમુખ અને ઈન્કમટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ ધીરેશભાઈ શાહ તેમજ જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અને કરવેરા નિષ્ણાત નિતીનભાઈ પાઠક સાથે વિશેષ ચર્ચા કરી છે, આવો જોઈએ આ વિશેષ ચર્ચા...

આવકવેરામાં ફેસલેસ એસેસમેન્ટથી ભષ્ટ્રાચાર અંકુશમાં આવશેઃ કરવેરા નિષ્ણાતો
આવકવેરામાં ફેસલેસ એસેસમેન્ટથી ભષ્ટ્રાચાર અંકુશમાં આવશેઃ કરવેરા નિષ્ણાતો

અમદાવાદઃ ફેસલેસ એસેસમેન્ટ 31 ઓકટોબર, 2020થી અમલી બનવા જઈ રહ્યું છે. આ ફેસલેસ એસેસમેન્ટ પદ્ધતિથી આવકવેરા વિભાગમાં ભષ્ટ્રાચારનો ખાત્મો થઈ જશે. કરદાતાને યોગ્ય સમ્માન મળશે. પ્રમાણિક કરદાતા સાથે યોગ્ય વ્યવહાર થશે. ડિપાર્ટમેન્ટનું કામ સરળ થશે, જેવા અનેક ફાયદા થશે. જો કે ફેસલેસ એસેસમેન્ટ સીસ્ટમ અમલી બને પછી તેની સાચી કાર્યવાહીની પદ્ધતિની ખબર પડશે.

આવકવેરામાં ફેસલેસ એસેસમેન્ટથી ભષ્ટ્રાચાર અંકુશમાં આવશેઃ કરવેરા નિષ્ણાતો

આવકવેરા વિભાગ દ્વારા સ્ક્રુટીની કે અપીલ નીકળે ત્યારે કરદાતાને આઈટી ડિપાર્ટમેન્ટના અનેક ધક્કા ખાવા પડે, ફાઈલ આ ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં જાય, આવકવેરા અધિકારી અને કરદાતા બન્નેનો સમય બગડે, કરદાતા સાથે કરચોર જેવો વ્યવહાર થાય, ટેબલ નીચેનો વ્યવહાર થાય પછી ફાઈલ ક્લીયર થાય, આવું બધુ બનતું હોય છે. માટે કેન્દ્ર સરકાર ફેસલેસ એસેસમેન્ટ પદ્ધતિ અમલી બનાવવા તરફ જઈ રહી છે. જો કે હજી તેમાં કેટલીક ખામીઓ છે, જે અમલી બન્યા પછી તે ખામીઓમાં સુધારો કરવામાં આવશે.

અમદાવાદઃ ફેસલેસ એસેસમેન્ટ 31 ઓકટોબર, 2020થી અમલી બનવા જઈ રહ્યું છે. આ ફેસલેસ એસેસમેન્ટ પદ્ધતિથી આવકવેરા વિભાગમાં ભષ્ટ્રાચારનો ખાત્મો થઈ જશે. કરદાતાને યોગ્ય સમ્માન મળશે. પ્રમાણિક કરદાતા સાથે યોગ્ય વ્યવહાર થશે. ડિપાર્ટમેન્ટનું કામ સરળ થશે, જેવા અનેક ફાયદા થશે. જો કે ફેસલેસ એસેસમેન્ટ સીસ્ટમ અમલી બને પછી તેની સાચી કાર્યવાહીની પદ્ધતિની ખબર પડશે.

આવકવેરામાં ફેસલેસ એસેસમેન્ટથી ભષ્ટ્રાચાર અંકુશમાં આવશેઃ કરવેરા નિષ્ણાતો

આવકવેરા વિભાગ દ્વારા સ્ક્રુટીની કે અપીલ નીકળે ત્યારે કરદાતાને આઈટી ડિપાર્ટમેન્ટના અનેક ધક્કા ખાવા પડે, ફાઈલ આ ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં જાય, આવકવેરા અધિકારી અને કરદાતા બન્નેનો સમય બગડે, કરદાતા સાથે કરચોર જેવો વ્યવહાર થાય, ટેબલ નીચેનો વ્યવહાર થાય પછી ફાઈલ ક્લીયર થાય, આવું બધુ બનતું હોય છે. માટે કેન્દ્ર સરકાર ફેસલેસ એસેસમેન્ટ પદ્ધતિ અમલી બનાવવા તરફ જઈ રહી છે. જો કે હજી તેમાં કેટલીક ખામીઓ છે, જે અમલી બન્યા પછી તે ખામીઓમાં સુધારો કરવામાં આવશે.

Last Updated : Sep 16, 2020, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.