ETV Bharat / city

દર વર્ષ કરતા આ વર્ષે એન્જિનિયરિંગની બેઠકો વધારે ભરાશે, જાણો કેવી રીતે થશે પ્રવેશ પ્રક્રિયા

author img

By

Published : Aug 8, 2021, 12:41 PM IST

રાજ્યમાં કોરોનાકાળમાં ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, ત્યારે હવે ધોરણ 12 બાદ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ થશે. ત્યારે જુદા-જુદા કોર્સ માટે હાલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, ત્યારે આ વર્ષે બેઠકો વધુ ભરાશે.

દર વર્ષ કરતા આ વર્ષે એન્જિનિયરિંગની બેઠકો વધારે ભરાશે
દર વર્ષ કરતા આ વર્ષે એન્જિનિયરિંગની બેઠકો વધારે ભરાશે
  • આ વર્ષે દરેક વિદ્યાર્થીને એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મળશે: નવીન શેઠ
  • 60 હજાર બેઠકો સામે 40 હજાર જેટલી બેઠકો ભરાય તેવી શકયતા
  • 50 ટકા પ્રવેશ કમિટી અને 50 ટકા ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બેઠકો ભરાશે

અમદાવાદ: રાજ્યમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા એડમીશન પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. જેમાં પ્રોફેશનલ કોર્સ માટે આ કમિટી દ્વારા પ્રવેશ આપવામા આવે છે. ત્યારે આ મામલે જીટીયુના વાઇસ ચાન્સેલર નવીન શેઠે જણાવ્યું હતું કે, ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ બેઠકો ભરાશે તેમજ દરેક વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે.

દર વર્ષ કરતા આ વર્ષે એન્જિનિયરિંગની બેઠકો વધારે ભરાશે

આ પણ વાંચો- અમદાવાદમાં આ વખતે RTE હેઠળ 14,000 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે

આ વર્ષે 70 હજારમાંથી 50 હજાર બેઠકો ભરાવવાની શકયતા રહેલી છે

સૌ પ્રથમ ધોરણ 12 અને ગુજકેટની પરીક્ષાના આધારે મેરીટ બહાર પાડવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે ગુજકેટની પરીક્ષા અને ધોરણ 11 અને ધોરણ 12ની સ્કૂલ દ્વારા લેવાયેલી પરીક્ષાના આધારે મેરીટ બહાર પાડવામાં આવશે. જ્યારે કોલેજોમાં 50 ટકા કમિટી દ્વારા બેઠકો ભરવામાં આવે છે અને 50 ટકા કોલેજો દ્વારા બેઠકો ભરવામાં આવે છે, ત્યારે ગયા વર્ષે 75 હજાર બેઠકો સામે માત્ર 32 હજાર જેટલી જ બેઠકો ભરાઈ હતી, પરંતુ આ વર્ષે કુલ 60 હજાર જેટલી બેઠકો છે એટલે કે પૂરતા પ્રમાણમાં બેઠકો છે. જ્યારે આ વર્ષે 70 હજારમાંથી 50 હજાર બેઠકો ભરાવવાની શકયતા રહેલી છે.

જુદા-જુદા 40 જેટલા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ આપવામાં આવે છે

વધુમાં નવીન શેઠે જણાવ્યું હતું કે, કેટલીક કોલેજોમાં માત્ર 10 વિદ્યાર્થીની સંખ્યા હોય છે, ત્યારે આ વર્ષે વધુ 3 કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે જુદા-જુદા 40 જેટલા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે નવીન શેઠ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે, જે કોલેજમાં પ્રવેશ લેવાનો હોય તે પહેલાં તેની સંપૂર્ણ વિગત મેળવવી અને તેમાં લાયકાત ધરાવતા પ્રોફેસરો છે કે નહીં તે ચેક કરવું અને ત્યારબાદ જ પ્રવેશ લેવો.

આ પણ વાંચો- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓને મળશે ફ્રી પ્રવેશ

કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહિ રહે

હાલમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી, ત્યારે આ વર્ષે જીટીયુ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે, કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહિ રહે. જયારે આ વર્ષે 100 ટકા પરિણામના કારણે વધુ બેઠકો પણ ભરશે.

  • આ વર્ષે દરેક વિદ્યાર્થીને એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મળશે: નવીન શેઠ
  • 60 હજાર બેઠકો સામે 40 હજાર જેટલી બેઠકો ભરાય તેવી શકયતા
  • 50 ટકા પ્રવેશ કમિટી અને 50 ટકા ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બેઠકો ભરાશે

અમદાવાદ: રાજ્યમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા એડમીશન પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. જેમાં પ્રોફેશનલ કોર્સ માટે આ કમિટી દ્વારા પ્રવેશ આપવામા આવે છે. ત્યારે આ મામલે જીટીયુના વાઇસ ચાન્સેલર નવીન શેઠે જણાવ્યું હતું કે, ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ બેઠકો ભરાશે તેમજ દરેક વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે.

દર વર્ષ કરતા આ વર્ષે એન્જિનિયરિંગની બેઠકો વધારે ભરાશે

આ પણ વાંચો- અમદાવાદમાં આ વખતે RTE હેઠળ 14,000 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે

આ વર્ષે 70 હજારમાંથી 50 હજાર બેઠકો ભરાવવાની શકયતા રહેલી છે

સૌ પ્રથમ ધોરણ 12 અને ગુજકેટની પરીક્ષાના આધારે મેરીટ બહાર પાડવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે ગુજકેટની પરીક્ષા અને ધોરણ 11 અને ધોરણ 12ની સ્કૂલ દ્વારા લેવાયેલી પરીક્ષાના આધારે મેરીટ બહાર પાડવામાં આવશે. જ્યારે કોલેજોમાં 50 ટકા કમિટી દ્વારા બેઠકો ભરવામાં આવે છે અને 50 ટકા કોલેજો દ્વારા બેઠકો ભરવામાં આવે છે, ત્યારે ગયા વર્ષે 75 હજાર બેઠકો સામે માત્ર 32 હજાર જેટલી જ બેઠકો ભરાઈ હતી, પરંતુ આ વર્ષે કુલ 60 હજાર જેટલી બેઠકો છે એટલે કે પૂરતા પ્રમાણમાં બેઠકો છે. જ્યારે આ વર્ષે 70 હજારમાંથી 50 હજાર બેઠકો ભરાવવાની શકયતા રહેલી છે.

જુદા-જુદા 40 જેટલા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ આપવામાં આવે છે

વધુમાં નવીન શેઠે જણાવ્યું હતું કે, કેટલીક કોલેજોમાં માત્ર 10 વિદ્યાર્થીની સંખ્યા હોય છે, ત્યારે આ વર્ષે વધુ 3 કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે જુદા-જુદા 40 જેટલા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે નવીન શેઠ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે, જે કોલેજમાં પ્રવેશ લેવાનો હોય તે પહેલાં તેની સંપૂર્ણ વિગત મેળવવી અને તેમાં લાયકાત ધરાવતા પ્રોફેસરો છે કે નહીં તે ચેક કરવું અને ત્યારબાદ જ પ્રવેશ લેવો.

આ પણ વાંચો- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓને મળશે ફ્રી પ્રવેશ

કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહિ રહે

હાલમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી, ત્યારે આ વર્ષે જીટીયુ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે, કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહિ રહે. જયારે આ વર્ષે 100 ટકા પરિણામના કારણે વધુ બેઠકો પણ ભરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.