- રાજ્યમાં કોરોના વાઈરસના કેસોમાં થઈ રહ્યો છે ઘટાડો
- આજે રાજ્યમાં કુલ 715 પોઝિટિવ કેસો નોંધાયા
- ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ કેસોની સંખ્યા વધીને પહોંચી 2,47,228
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાઈરસના નોંધાતા કેસની સંખ્યામાં ગત સતત ઘટાડો થઇ રહ્યો છે, જે એક રાહતના સમાચાર છે. આજે કોરોનાના 800થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાના 715 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં વધુ 4 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4318એ પહોંચ્યો છે. જ્યારે 938 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 94.51 ટકાએ પહોંચ્યો છે. ત્યારે આજે રાજ્યમાં 51,384 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાના કારણે કોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યા આજની તારીખે 5,04,551 છે, જે પૈકી 5,04,430 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને 121 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
![રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 715 નવા કેસ નોંધાયા, 4 લોકોના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10107595_1.jpg)
રાજ્યમાં કોરોના વાઇરસના ક્યાં કેટલા કેસો નોંધાયા
અમદાવાદ કોર્પોરેશન 146, સુરત કોર્પોરેશન 104, વડોદરા કોર્પોરેશન 104, રાજકોટ કોર્પોરેશન 51, કચ્છ 32, વડોદરા 30, રાજકોટ 25, સુરત 23, આણંદ 17, ભરૂચ 15, મહેસાણા 14, પંચમહાલ 14, મોરબી 13, ગાંધીનગર 12, દાહોદ 11, જામનગર કોર્પોરેશન 11, ગાંધીનગર કોર્પોરેશન 9, સાબરકાંઠા 9, બનાસકાંઠા 7, જૂનાગઢ કોર્પોરેશન 7, ખેડા 7, જૂનાગઢ 6, અમદાવાદ 5, અમરેલી 5, ભાવનગર કોર્પોરેશન 5, ગીર સોમનાથ 4, જામનગર 4, નર્મદા 4, ભાવનગર 3, છોટા ઉદેપુર 3, તાપી 3, બોટાદ 2, નવસારી 2, પાટણ 2, અરવલ્લી 1, ડાંગ 1, દેવભૂમિ દ્વારકા 1, પોરબંદર 1, સુરેન્દ્રનગર 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મૃત્યું
કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. હવે તો રાજ્યમા મૃત્યુઆંક સિંગલ આંકડામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 4 દર્દીઓના મોત થયા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 2 લોકોને કોરોના ભરખી ગયો છે, ત્યારે બોટાદમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4318એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,33,660 લોકો સાજા થયા છે. 4318ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ સારવાર હેઠળના 9250 દર્દીઓ પૈકી 61 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 9189 સ્ટેબલ છે.