ETV Bharat / city

અમદાવાદ સાયન્સ સિટી ખાતે 250 કરોડના ખર્ચે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક શરૂ થશે

author img

By

Published : May 29, 2021, 3:33 PM IST

અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વેટિક ગેલેરી અને નેચર પાર્ક 250 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જેની મુખ્યપ્રધાન રૂપાણીએ (CM RUPANI) મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું દેશનું સૌથી મોટું એક્વેટિક ગેલેરી અમદાવાદના સાયન્સ સિટી ખાતે બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં લોકોને મુલાકાત માટે પ્રવેશ આપવામાં આવશે.

અમદાવાદ સાયન્સ સિટી ખાતે 250 કરોડના ખર્ચે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક શરૂ થશે
અમદાવાદ સાયન્સ સિટી ખાતે 250 કરોડના ખર્ચે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક શરૂ થશે

  • 250 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી બાળકો-યુવાનોની વિજ્ઞાન જીજ્ઞાસાને વઘુ પ્રબળ બનાવશે
  • વિજય રૂપાણીએ અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી
  • દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી અને અન્ય પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે આકર્ષક નજરાણું બની રહેશે

અમદાવાદ: સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુખ્યપ્રધાન રૂપાણીએ મુલાકાત લીધી હતી. 250 કરોડ રૂપિયાના ખર્ચે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીમાં કેસ ઓછા થઈ રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં લોકો માટે ગેલરી ખૂલ્લી મુકવામાં આવશે.

અમદાવાદ સાયન્સ સિટી ખાતે 250 કરોડના ખર્ચે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક શરૂ થશે

આ પણ વાંચોઃ Make in India: રાજકોટના યુવાનોએ ફેરબી ટેકનોલોજીથી પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટર બનાવ્યું

મુખ્યપ્રધાને સર્વગ્રાહી જાણકારી મેળવી

મુખ્યપ્રધાને મુલાકાત દરમિયાન સાયન્સ સિટી ખાતે પ્રગતિમાં રહેલા કાર્યોની સર્વગ્રાહી જાણકારી મેળવી હતી. આ ઉપરાંત સાયન્સ સિટીમાં તૈયાર થઈ રહેલી નેચરપાર્કની પણ મુલાકાત લીધી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સચિવ હરિત શુક્લાએ સાયન્સ સિટીમાં તૈયાર થઇ રહેલી અને પ્રગતિમાં રહેલા મ્યુઝિકલ ફાઉન્ટેન, નવા થિયેટર, પ્લેનેટ અર્થ વિભાગ, એનર્જી પાર્ક, લાઈફ સાયન્સ વિભાગ અંગેની જાણકારી આપી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુ કહ્યું ?

રાજ્યના બાળકો યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યેની જીજ્ઞાશાને વધુ પ્રબળ બનાવવા સરકાર કટિબદ્ધ છે. સાયન્સ સિટીમાં તૈયાર થનારા વિવિધ વિજ્ઞાન પ્રકલ્પો એ તરફના જ કદમ છે. અમદાવાદ સાયન્સ સિટીમાં 250 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે -મુખ્યપ્રધાન વિજય રૂપાણી

એક્વેટિક ગેલેરી રાજ્યના બાળકો અને યુવાનોની જિજ્ઞાશાને વધુ પ્રબળ બનાવશે તેવી આશા મુખ્યપ્રધાને વ્યક્ત કરી

આ એક્વેટિક ગેલેરી રાજ્યના બાળકો અને યુવાનોની જિજ્ઞાશાને વધુ પ્રબળ બનાવશે તેવી આશા મુખ્યપ્રધાને વ્યક્ત કરી હતી. એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી આકાર પામવા જઇ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન મોદીના હસ્તે આ એક્વેટિક ગેલેરીનું આવનારા દિવસોમાં ઉદઘાટન કરાવીને રાજ્ય અને દેશના નાગરિકો માટે સમર્પિત કરવામાં આવશે તેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતુ.

આ પણ વાંચોઃ કોરોના કાળમાં રાજ્યમાં 37 ટકા વિદેશી રોકાણ આવ્યું : મુખ્યપ્રધાન રૂપાણી

આવાનારા દિવસોમાં આકર્ષણ બનશે

રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાાન કેન્દ્રો પણ વિકસાવવામાં આવશે. મુખ્યપ્રધાને સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ મુલાકાતે આવ્યા હતા. ગુજરાતનો વિકાસ વિરાસત આધુનિક વિજ્ઞાાનના પાયા પર થઇ રહ્યો છે. સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટી એક્વેટિક ગેલેરી તૈયાર થવા જઇ રહ્યું છે. તે આવનારા દિવસોમાં આગવું આકર્ષણ બનશે અને તેનાથી રાજ્યના બાળકો વિજ્ઞાાનની દૂનિયામાં ઓતપ્રોત થઇ શકશે તેમ મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારના પ્રયાસો

સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પોના માધ્યમથી રાજ્યના બાળકો વિજ્ઞાાનની દૂનિયામાં ગળાડૂબ બને તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યની ભાવિ પેઢી વિજ્ઞાાન અને ટેક્નોલોજીના સહારે વિકાસ સાધી વિશ્વની બરાબરી કરવા સજ્જ બને તે માટે રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાાન કેન્દ્રો અને ચાર સ્થળોએ પ્રાદેશિક મ્યુઝિયમ વિકસાવવામાં આવી રહ્યા છે.

  • 250 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી બાળકો-યુવાનોની વિજ્ઞાન જીજ્ઞાસાને વઘુ પ્રબળ બનાવશે
  • વિજય રૂપાણીએ અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી
  • દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી અને અન્ય પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે આકર્ષક નજરાણું બની રહેશે

અમદાવાદ: સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુખ્યપ્રધાન રૂપાણીએ મુલાકાત લીધી હતી. 250 કરોડ રૂપિયાના ખર્ચે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીમાં કેસ ઓછા થઈ રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં લોકો માટે ગેલરી ખૂલ્લી મુકવામાં આવશે.

અમદાવાદ સાયન્સ સિટી ખાતે 250 કરોડના ખર્ચે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક શરૂ થશે

આ પણ વાંચોઃ Make in India: રાજકોટના યુવાનોએ ફેરબી ટેકનોલોજીથી પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટર બનાવ્યું

મુખ્યપ્રધાને સર્વગ્રાહી જાણકારી મેળવી

મુખ્યપ્રધાને મુલાકાત દરમિયાન સાયન્સ સિટી ખાતે પ્રગતિમાં રહેલા કાર્યોની સર્વગ્રાહી જાણકારી મેળવી હતી. આ ઉપરાંત સાયન્સ સિટીમાં તૈયાર થઈ રહેલી નેચરપાર્કની પણ મુલાકાત લીધી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સચિવ હરિત શુક્લાએ સાયન્સ સિટીમાં તૈયાર થઇ રહેલી અને પ્રગતિમાં રહેલા મ્યુઝિકલ ફાઉન્ટેન, નવા થિયેટર, પ્લેનેટ અર્થ વિભાગ, એનર્જી પાર્ક, લાઈફ સાયન્સ વિભાગ અંગેની જાણકારી આપી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુ કહ્યું ?

રાજ્યના બાળકો યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યેની જીજ્ઞાશાને વધુ પ્રબળ બનાવવા સરકાર કટિબદ્ધ છે. સાયન્સ સિટીમાં તૈયાર થનારા વિવિધ વિજ્ઞાન પ્રકલ્પો એ તરફના જ કદમ છે. અમદાવાદ સાયન્સ સિટીમાં 250 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે -મુખ્યપ્રધાન વિજય રૂપાણી

એક્વેટિક ગેલેરી રાજ્યના બાળકો અને યુવાનોની જિજ્ઞાશાને વધુ પ્રબળ બનાવશે તેવી આશા મુખ્યપ્રધાને વ્યક્ત કરી

આ એક્વેટિક ગેલેરી રાજ્યના બાળકો અને યુવાનોની જિજ્ઞાશાને વધુ પ્રબળ બનાવશે તેવી આશા મુખ્યપ્રધાને વ્યક્ત કરી હતી. એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી આકાર પામવા જઇ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન મોદીના હસ્તે આ એક્વેટિક ગેલેરીનું આવનારા દિવસોમાં ઉદઘાટન કરાવીને રાજ્ય અને દેશના નાગરિકો માટે સમર્પિત કરવામાં આવશે તેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતુ.

આ પણ વાંચોઃ કોરોના કાળમાં રાજ્યમાં 37 ટકા વિદેશી રોકાણ આવ્યું : મુખ્યપ્રધાન રૂપાણી

આવાનારા દિવસોમાં આકર્ષણ બનશે

રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાાન કેન્દ્રો પણ વિકસાવવામાં આવશે. મુખ્યપ્રધાને સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ મુલાકાતે આવ્યા હતા. ગુજરાતનો વિકાસ વિરાસત આધુનિક વિજ્ઞાાનના પાયા પર થઇ રહ્યો છે. સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટી એક્વેટિક ગેલેરી તૈયાર થવા જઇ રહ્યું છે. તે આવનારા દિવસોમાં આગવું આકર્ષણ બનશે અને તેનાથી રાજ્યના બાળકો વિજ્ઞાાનની દૂનિયામાં ઓતપ્રોત થઇ શકશે તેમ મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારના પ્રયાસો

સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પોના માધ્યમથી રાજ્યના બાળકો વિજ્ઞાાનની દૂનિયામાં ગળાડૂબ બને તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યની ભાવિ પેઢી વિજ્ઞાાન અને ટેક્નોલોજીના સહારે વિકાસ સાધી વિશ્વની બરાબરી કરવા સજ્જ બને તે માટે રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાાન કેન્દ્રો અને ચાર સ્થળોએ પ્રાદેશિક મ્યુઝિયમ વિકસાવવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.