ETV Bharat / city

SVP હોસ્પિટલની વધુ એક બેદરકારી: દર્દી પોઝિટિવ હોવાની જાણ નહીં કરતા પરિવાર થયો સંક્રમિત

author img

By

Published : May 23, 2020, 11:44 AM IST

ગુજરાતમાં કોરોનાની મહામારી પર અંકુશ મેળવી શકાયો નથી. તેમાં ઉંચો મૃત્યુદર રાજ્ય સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. આખા ગુજરાતના અડધા મૃત્યુ તો અમદાવાદ સિવિલમાં થયાં છે. અત્યાર સુધીમાં 351થી વધુના મોત સિવિલ હોસ્પિટલમાં થયા છે. તો હવે ધીરે ધીરે SVP હોસ્પિટલની બેદરકારી પણ સામે આવી રહી છે. વસ્ત્રાલના અસરાની પરિવારના પુત્રને પોઝિટિવ હોવા છતા તંત્રએ જાણ ન કરી જેના કારણે આખો પરિવાર સંક્રમિત થયો છે. ત્યારે SVP હોસ્પિટલની બેદરકારીથી વસ્ત્રાલના અસરાની પરિવાર પર જીવનું જોખમ ઉભુ થયું છે. વીડિયો વાઈરલ થવાથી આ વાતની જાણ થઈ છે.

svp hospital ahmedabad
SVP હોસ્પિટલની વધુ એક બેદરકારી

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અસરાની પરિવારના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આખા પરિવારનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં જાણ થઈ કે, પરિવારને કોઈ લક્ષણો નથી અને બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ દર્દીના પિતાને બાદમાં જણાવી દર્દીને પોઝિટિવ છે તેમ કહી SVPમાં ફરીવાર દાખલ કરી દેવાયો હતો.

SVP હોસ્પિટલની વધુ એક બેદરકારી: દર્દી પોઝિટિવ હોવાની જાણ ન કરતા પરિવાર થયો સંક્રમિત
સિવિલ હોસ્પિટલમાં કોરોનાના મૃતકોના પરિવારને મૃતકોના મોતના કેટલાય દિવસો પછી જાણ કરવામાં આવી હોય તેવા કિસ્સા સામે આવ્યા છે, જ્યારે મૃતકોના દાગીનાની ચોરીની ફરિયાદો ઉઠી રહી છે. અત્યાર સુધીમાં 4થી વધુ પોલીસ ફરિયાદો થઈ ચુકી છે. સિવિલ હોસ્પિટલ પોતાની બેદરકારી માટે જાણીતી છે ત્યારે SVP પણ હવે સિવિલના નક્શા પર ચાલી રહી છે.
svp hospital ahmedabad
SVP હોસ્પિટલ

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અસરાની પરિવારના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આખા પરિવારનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં જાણ થઈ કે, પરિવારને કોઈ લક્ષણો નથી અને બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ દર્દીના પિતાને બાદમાં જણાવી દર્દીને પોઝિટિવ છે તેમ કહી SVPમાં ફરીવાર દાખલ કરી દેવાયો હતો.

SVP હોસ્પિટલની વધુ એક બેદરકારી: દર્દી પોઝિટિવ હોવાની જાણ ન કરતા પરિવાર થયો સંક્રમિત
સિવિલ હોસ્પિટલમાં કોરોનાના મૃતકોના પરિવારને મૃતકોના મોતના કેટલાય દિવસો પછી જાણ કરવામાં આવી હોય તેવા કિસ્સા સામે આવ્યા છે, જ્યારે મૃતકોના દાગીનાની ચોરીની ફરિયાદો ઉઠી રહી છે. અત્યાર સુધીમાં 4થી વધુ પોલીસ ફરિયાદો થઈ ચુકી છે. સિવિલ હોસ્પિટલ પોતાની બેદરકારી માટે જાણીતી છે ત્યારે SVP પણ હવે સિવિલના નક્શા પર ચાલી રહી છે.
svp hospital ahmedabad
SVP હોસ્પિટલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.