ETV Bharat / city

અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી પર કોરોના વાઇરસનું ગ્રહણ

author img

By

Published : Apr 26, 2020, 6:43 PM IST

Updated : Apr 26, 2020, 7:18 PM IST

આજે અક્ષય તૃતીયા છે. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે આજે કરવામાં આવતા કોઈ પણ શુભ કાર્ય માટે મુહૂર્ત જોવું પડતું નથી. તેમજ કરવામાં આવેલા કોઈપણ શુભ કાર્યનો ક્ષય થતો નથી.

અક્ષય તૃતીયા દિવસે
અક્ષય તૃતીયા દિવસે

અમદાવાદ: સામાન્ય ચલણ પ્રમાણે અક્ષય તૃતીયાના દિવસે લોકો સંપૂર્ણ ભારતમાં સોના ચાંદીના ઘરેણા, લગડીઓ તેમજ નવા વાહનોની ખરીદી કરતા હોય છે. પરંતુ આ વખતે કોરોના વાઇરસને કારણે સર્જાયેલા લોકડાઉનનું ગ્રહણ અક્ષય તૃતીયા ઉપર લાગ્યું છે. કારણ કે, સંપૂર્ણ ભારતમાં લોકડાઉન હોવાથી, ગુજરાત અને અમદાવાદમાં પણ જવેલર્સની દુકાનો તથા વાહનોના શો-રૂમ બંધ છે. જેના કારણે આ ચીજવસ્તુઓનું વેચાણ કરતા નુકસાન જઈ રહ્યું છે, સાથે જ અર્થતંત્રને પણ નુકશાન થઇ રહ્યું છે. અંદાજ પ્રમાણે અક્ષય તૃતીયા પર ગુજરાતમાં જ 600 કરોડના સોના-ચાંદીની ખરીદી થાય છે. તો અમદાવાદ 200 કરોડના સોના-ચાંદીની ખરીદી થાય છે.

અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી પર કોરોના વાઇરસનું ગ્રહણ
જોકે કેટલાક મોટા જ્વેલર્સ દ્વારા ઓનલાઇન સોના-ચાંદીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તમે ઓર્ડર આપી શકો છો અને તેને લોકડાઉન ખુલ્યા બાદ પહોંચાડવામાં આવશે. જોકે છૂટક બજારમાં સોના-ચાંદીનું વેચાણ બંધ હોવા છતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અનેક આર્થિક કારણોસર સોનાનો ભાવ વધુ જોવા મળે છે.

અમદાવાદ: સામાન્ય ચલણ પ્રમાણે અક્ષય તૃતીયાના દિવસે લોકો સંપૂર્ણ ભારતમાં સોના ચાંદીના ઘરેણા, લગડીઓ તેમજ નવા વાહનોની ખરીદી કરતા હોય છે. પરંતુ આ વખતે કોરોના વાઇરસને કારણે સર્જાયેલા લોકડાઉનનું ગ્રહણ અક્ષય તૃતીયા ઉપર લાગ્યું છે. કારણ કે, સંપૂર્ણ ભારતમાં લોકડાઉન હોવાથી, ગુજરાત અને અમદાવાદમાં પણ જવેલર્સની દુકાનો તથા વાહનોના શો-રૂમ બંધ છે. જેના કારણે આ ચીજવસ્તુઓનું વેચાણ કરતા નુકસાન જઈ રહ્યું છે, સાથે જ અર્થતંત્રને પણ નુકશાન થઇ રહ્યું છે. અંદાજ પ્રમાણે અક્ષય તૃતીયા પર ગુજરાતમાં જ 600 કરોડના સોના-ચાંદીની ખરીદી થાય છે. તો અમદાવાદ 200 કરોડના સોના-ચાંદીની ખરીદી થાય છે.

અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી પર કોરોના વાઇરસનું ગ્રહણ
જોકે કેટલાક મોટા જ્વેલર્સ દ્વારા ઓનલાઇન સોના-ચાંદીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તમે ઓર્ડર આપી શકો છો અને તેને લોકડાઉન ખુલ્યા બાદ પહોંચાડવામાં આવશે. જોકે છૂટક બજારમાં સોના-ચાંદીનું વેચાણ બંધ હોવા છતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અનેક આર્થિક કારણોસર સોનાનો ભાવ વધુ જોવા મળે છે.
Last Updated : Apr 26, 2020, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.