અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે અમદાવાદ અને સૂરત શહેરના અમુક કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોને બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યાં છે. આ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારના સુપરવિઝન માટે CID ક્રાઈમના એડિશનલ એડીજી ડો સમશેર સિંઘને અમદાવાદના CP આશિષ ભાટિયાની મદદ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદ: CIDના ADGને સોંપાઈ કોટ વિસ્તારમાં સુપરવિઝનની કામગીરી અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. જેના કારણે ગુજરાત સરકારને અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કર્ફ્યૂ લાદવાની ફરજ પડી હતી. હાલમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા ઉપરાંત અમદાવાદ સેક્ટર-1 અને સેક્ટર-2 આ ત્રણ અધિકારીઓ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારો ઉપર સંપૂર્ણ બાજ નજર રાખીને બેઠા હતા. પરંતુ રાજ્યાના ગૃહ વિભાગે તકેદારી અને સાવચેતીના ભાગરૂપે ગુરુવારે મોડી સાંજે બેઠક મળ્યા બાદ CID ક્રાઈમના એડિસનલ એડીજી ડો સમશેર સિંઘને કર્ફ્યગ્રસ્ત વિસ્તારો માટે ખાસ અધિકારી તરીકેની કામગીરી સોંપવામાં આવી છે.
અમદાવાદ: CIDના ADGને સોંપાઈ કોટ વિસ્તારમાં સુપરવિઝનની કામગીરી આ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોની સંપૂર્ણ સુપરવિઝનની જવાબદારી પણ તેમની જ રહેશે. કોટ વિસ્તારમાં બપોરે મહિલાઓને શાકભાજી અને જીવન જરૂરિયાત ચીજવસ્તુ લેવાની જે છૂટ આપવામાં આવી છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો અટકાવવામાં આવે અને અન્ય કામગીરી યોગ્ય રીતે જણાવ્યાં તેમાં માટે ખાસ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.
અમદાવાદ: CIDના ADGને સોંપાઈ કોટ વિસ્તારમાં સુપરવિઝનની કામગીરી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. તેમાં સેક્ટર 1ના JCP શાહપુર, કારંજ, કાલુપુર, ગાયકવાડ હવેલીના પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સેક્ટર 2 ના JCPને દરિયાપુર અને દાણીલીમડા પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગે અમદાવાદ CP સાથે એટેચ કરીને અમદાવાદ શહેરના કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોની કામગીરીમાં પોલીસ કમિશનરને મદદરૂપ થવા માટે આદેશો કરવામાં આવ્યાં છે.