ETV Bharat / city

Ahmedabad Civil Hospitalમાં બે મહિનામાં 984 મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સારવાર, 551 દર્દીઓની કરાઇ સર્જરી

author img

By

Published : Jun 7, 2021, 6:34 PM IST

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil Hospital )માં 67 દિવસમાં કુલ 984 મ્યુકોરમાઇકોસિસના દર્દીઓએ સારવાર મેળવી છે. જેમાંથી 551 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે.

Ahmedabad Civil Hospital
Ahmedabad Civil Hospital
  • ગુજરાત સરકાર દ્વારા મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરાઇ છે
  • સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અલગ વૉર્ડની વ્યવસ્થા
  • રાજ્યમાં એમ્ફોટેરીસીન (લાયોફિલાઇઝ) ઇન્જેકશનનું વિતરણ

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ને મહામારી જાહેર કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil Hospital )માં મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે અલાયદા વૉર્ડ ઉભા કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil Hospital )ના ENT વિભાગના તબીબો દિવસ-રાત મ્યુકોરમાઇકોસિસ રોગ પીડિત દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

Ahmedabad Civil Hospital
રાજ્યમાં એમ્ફોટેરીસીન (લાયોફિલાઇઝ) ઇન્જેકશનનું વિતરણ

પાંચ નિષ્ણાત તબીબોની કમિટી બનાવી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil Hospital ) દ્વારા મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગી એવા એમ્ફોટેરીસીન (લાયોફિલાઇઝ) ઇન્જેકશનનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એમ્ફોટેરીસીન ઇન્જેક્શન અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓને પણ નક્કી કરેલી પ્રક્રિયા મુજબ પૂરા પાડવામાં આવે છે. મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગી અન્ય ઇન્જેકશન એવા લાયફોસોમેલ એમ્ફોટેરેસીન ઇન્જેકશનના વિતરણ માટે પણ 5 નિષ્ણાંત તબીબોની કમીટી બનાવવામાં આવી છે, જે દર્દીની શારિરીક જરૂરિયાત અને બ્લડ રિપોર્ટના માપદંડોના આધારે આવા ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવે છે.

ઈન્જેક્શન અંગે કમિટી નિર્ણય કરે છે

જે દર્દીના બ્લડ રિપોર્ટસમાં સિરમ અને ક્રિએટીનીનનું સ્તર વધુ હોય, મ્યુકરની ફંગસ(ફુગ) મગજ સુધી પહોંચી હોય, દર્દી એક કિડની પર જ નિર્ભર હોય, નેફ્રોલોજિસ્ટની ભલામણ હોય, તેવા મ્યુકોરમાઇકોસિસના દર્દીને જ આ કમિટી દ્વારા આ ઇન્જેકશન આપવાનું નક્કી કરવામાં આવે છે.

આ પણ વાંચો -

  • ગુજરાત સરકાર દ્વારા મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરાઇ છે
  • સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અલગ વૉર્ડની વ્યવસ્થા
  • રાજ્યમાં એમ્ફોટેરીસીન (લાયોફિલાઇઝ) ઇન્જેકશનનું વિતરણ

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ને મહામારી જાહેર કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil Hospital )માં મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે અલાયદા વૉર્ડ ઉભા કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil Hospital )ના ENT વિભાગના તબીબો દિવસ-રાત મ્યુકોરમાઇકોસિસ રોગ પીડિત દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

Ahmedabad Civil Hospital
રાજ્યમાં એમ્ફોટેરીસીન (લાયોફિલાઇઝ) ઇન્જેકશનનું વિતરણ

પાંચ નિષ્ણાત તબીબોની કમિટી બનાવી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil Hospital ) દ્વારા મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગી એવા એમ્ફોટેરીસીન (લાયોફિલાઇઝ) ઇન્જેકશનનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એમ્ફોટેરીસીન ઇન્જેક્શન અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓને પણ નક્કી કરેલી પ્રક્રિયા મુજબ પૂરા પાડવામાં આવે છે. મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગી અન્ય ઇન્જેકશન એવા લાયફોસોમેલ એમ્ફોટેરેસીન ઇન્જેકશનના વિતરણ માટે પણ 5 નિષ્ણાંત તબીબોની કમીટી બનાવવામાં આવી છે, જે દર્દીની શારિરીક જરૂરિયાત અને બ્લડ રિપોર્ટના માપદંડોના આધારે આવા ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવે છે.

ઈન્જેક્શન અંગે કમિટી નિર્ણય કરે છે

જે દર્દીના બ્લડ રિપોર્ટસમાં સિરમ અને ક્રિએટીનીનનું સ્તર વધુ હોય, મ્યુકરની ફંગસ(ફુગ) મગજ સુધી પહોંચી હોય, દર્દી એક કિડની પર જ નિર્ભર હોય, નેફ્રોલોજિસ્ટની ભલામણ હોય, તેવા મ્યુકોરમાઇકોસિસના દર્દીને જ આ કમિટી દ્વારા આ ઇન્જેકશન આપવાનું નક્કી કરવામાં આવે છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.