નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે પ્રધાનમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 16 નવેમ્બરના રોજ ફૂડ એન્ડ કન્ઝ્યુમર બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને જાહેરાત કરી હતી કે તે એમએમટીસી દ્વારા એક લાખ ટન ડુંગળીની આયાત કરશે. વિવિધ પગલાઓ લીધા પછી પણ ડુંગળીના ભાવ અંકુશમાં ન આવતા સરકારે અંતે ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં દેશમાં એક કીલો ડુંગળીનો ભાવ 60 રૂપિયાથી વધુ છે. સરકાર રાજ્ય દ્વારા સંચાલિત MMTCના માધ્યમથી 1,00,000 ટન ડુંગળીનું આયાત કરશે.
૧૫ નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં ડુંગળીનો સરેરાશ રીટેલ ભાવ 60.38 રૂપિયા હતો. જે ગયા વર્ષે સમાન ગાળામાં ૨૨.૮૪ રૂપિયા હતો. ૨૦૧૯-૨૦ની ખરીફ સિઝનમાં ડુંગળીનું ઉત્પાદન 26 ટકા ઘટીને 52.06 લાખ ટન રહ્યું હતું.