ETV Bharat / business

ગત નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટર દરમિયાન દેશનો GDP ગ્રોથ રેટ 1.2 ટકા હોવાનો અંદાજ

SBIની સંશોધન રિપોર્ટ ઇકોરેપ અનુસાર, ગત નાણાકીય વર્ષ કરતા 2019- 20 માં કુલ જીડીપી નો વૃદ્ધિદર 4.2 ટકા અને નાણાકીય વર્ષ 2020-21માં નકારાત્મક 6.8 ટકા રહેવાનો અંદાજ છે.

author img

By

Published : May 26, 2020, 6:53 PM IST

GDP
GDP

મુંબઇ: પાછલા નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટર દરમિયાન દેશનો જીડીપી ગ્રોથ રેટ 1.2 ટકા હોવાનો અંદાજ છે. એક અહેવાલ મુજબ, કોરોના વાઇરસના પ્રકોપને રોકવા માટે લાગુ કરાયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિ અટકી ગઈ હતી, જેણે આર્થિક વિકાસ પર અસર કરી હતી.

SBIની સંશોધન રિપોર્ટ ઇકોરેપ અનુસાર, ગત નાણાકીય વર્ષ કરતા 2019- 20 માં કુલ જીડીપી નો વૃદ્ધિદર 4.2 ટકા અને નાણાકીય વર્ષ 2020-21માં નકારાત્મક 6.8 ટકા રહેવાનો અંદાજ છે.

રાષ્ટ્રીય આંકડા કચેરી (એનએસઓ) 29 મે ના રોજ નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટર માટે જીડીપી વૃદ્ધિના આંકડા જાહેર કરશે. પાછલા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ સાત વર્ષના તળિયે 4.7 ટકા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2020 ના પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર અનુક્રમે 5.1 ટકા અને 5.6 ટકા હતા.

સંશોધન અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "અમારું માનવું છે કે ચોથા ક્વાર્ટર (નાણાકીય વર્ષ 2019-20) માં જીડીપી વૃદ્ધિદર આશરે 1.2 ની આસપાસ રહેશે કારણ કે માર્ચના છેલ્લા સાત દિવસોમાં દેશવ્યાપી લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિ અટકી ગઈ હતી." રિપોર્ટ અનુસાર, લોકડાઉનના તે સાત દિવસમાં ઓછામાં ઓછા 1.4 લાખ કરોડનું નુકસાન થયું છે.

મુંબઇ: પાછલા નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટર દરમિયાન દેશનો જીડીપી ગ્રોથ રેટ 1.2 ટકા હોવાનો અંદાજ છે. એક અહેવાલ મુજબ, કોરોના વાઇરસના પ્રકોપને રોકવા માટે લાગુ કરાયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિ અટકી ગઈ હતી, જેણે આર્થિક વિકાસ પર અસર કરી હતી.

SBIની સંશોધન રિપોર્ટ ઇકોરેપ અનુસાર, ગત નાણાકીય વર્ષ કરતા 2019- 20 માં કુલ જીડીપી નો વૃદ્ધિદર 4.2 ટકા અને નાણાકીય વર્ષ 2020-21માં નકારાત્મક 6.8 ટકા રહેવાનો અંદાજ છે.

રાષ્ટ્રીય આંકડા કચેરી (એનએસઓ) 29 મે ના રોજ નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટર માટે જીડીપી વૃદ્ધિના આંકડા જાહેર કરશે. પાછલા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ સાત વર્ષના તળિયે 4.7 ટકા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2020 ના પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર અનુક્રમે 5.1 ટકા અને 5.6 ટકા હતા.

સંશોધન અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "અમારું માનવું છે કે ચોથા ક્વાર્ટર (નાણાકીય વર્ષ 2019-20) માં જીડીપી વૃદ્ધિદર આશરે 1.2 ની આસપાસ રહેશે કારણ કે માર્ચના છેલ્લા સાત દિવસોમાં દેશવ્યાપી લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિ અટકી ગઈ હતી." રિપોર્ટ અનુસાર, લોકડાઉનના તે સાત દિવસમાં ઓછામાં ઓછા 1.4 લાખ કરોડનું નુકસાન થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.