ETV Bharat / business

યસ બેન્કે અનિલ અંબાણી જૂથના હેડ ક્વાર્ટર્સ પર કર્યો કબ્જો, દેવું નહીં ચૂકવવા પર કાર્યવાહી

author img

By

Published : Jul 30, 2020, 2:31 PM IST

અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (એડીએજી)ની લગભગ તમામ કંપનીઓ સાન્ટા ક્રુઝ ઓફિસથી રિલાયન્સ સેન્ટરથી કાર્યરત છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન જૂથ કંપનીઓની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેટલીક કંપનીઓ નાદાર થઈ ગઈ છે, જ્યારે કેટલીક કંપનીઓએ તેનો હિસ્સો વેચવો પડ્યો છે.

પરાિ
િપનિ

મુંબઈ: રૂપિયા 2,892 કરોડનું બાકી દેવું ચૂકવ્યું ન હોવાને કારણે ખાનગી ક્ષેત્રની યસ બેન્કે અનિલ અંબાણી જૂથના સાન્ટાક્રુઝનું મુખ્ય મથક કબ્જે કર્યું છે.યસ બેન્કે બુધવારે અખબારમાં આપેલી નોટિસ મુજબ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા બાકી ચૂકવણી નહીં કરવાને કારણે બેન્કે દક્ષિણ મુંબઈના બે ફ્લેટનો કબજો પણ લીધો છે.

અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (એડીએજી) ની લગભગ તમામ કંપનીઓ સાન્ટા ક્રુઝ ઓફિસથી રિલાયન્સ સેન્ટરથી કાર્યરત છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન જૂથ કંપનીઓની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેટલીક કંપનીઓ નાદાર થઈ ગઈ છે, જ્યારે કેટલીક કંપનીઓએ તેનો હિસ્સો વેચવો પડ્યો છે.

યસ બેન્કે કહ્યું કે તેણે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને 6 મેના રોજ 2,892.44 કરોડ રૂપિયાની બાકી લેણાં ચૂકવવાની નોટિસ આપી હતી. 60 દિવસની સૂચના છતાં આ સમૂહ બાકી રકમ ચૂકવી શક્યું નહીં. જે બાદ તેણે 22 જુલાઇએ ત્રણેય સંપત્તિનો કબજો લીધો હતો. બેન્કે સામાન્ય લોકોને આ મિલકતો અંગે કોઈ વ્યવહાર ન કરવા ચેતવણી આપી છે.

એડીએજી જૂથ ગયા વર્ષે આ જ મુખ્યાલયને લીઝ પર આપવા માગતો હતો જેથી તે દેવું ચૂકવવા માટે સંસાધનો એકત્રિત કરી શકે. તેનું મુખ્ય મથક 21,432 ચોરસ મીટરમાં છે. અન્ય બે સંપત્તિ દક્ષિણ મુંબઈના નગીન મહેલમાં છે. આ બંને ફ્લેટ અનુક્રમે 1,717 ચોરસ ફૂટ અને 4,936 ચોરસ ફૂટના છે.

નોંધનીય છે કે યસ બેન્કના ડૂબી જવા પાછળનું એક મુખ્ય કારણ એડીએજી જૂથની કંપનીઓને આપવામાં આવતી લોન છે. બિન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ની ઉચ્ચ કક્ષાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાનીવાળી બેન્કો સાથે રૂપિયા 10,000 કરોડની મૂડીનો ભંડોળ નાખીને તેને કટોકટીમાંથી બહાર લાવ્યા છે.

મુંબઈ: રૂપિયા 2,892 કરોડનું બાકી દેવું ચૂકવ્યું ન હોવાને કારણે ખાનગી ક્ષેત્રની યસ બેન્કે અનિલ અંબાણી જૂથના સાન્ટાક્રુઝનું મુખ્ય મથક કબ્જે કર્યું છે.યસ બેન્કે બુધવારે અખબારમાં આપેલી નોટિસ મુજબ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા બાકી ચૂકવણી નહીં કરવાને કારણે બેન્કે દક્ષિણ મુંબઈના બે ફ્લેટનો કબજો પણ લીધો છે.

અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (એડીએજી) ની લગભગ તમામ કંપનીઓ સાન્ટા ક્રુઝ ઓફિસથી રિલાયન્સ સેન્ટરથી કાર્યરત છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન જૂથ કંપનીઓની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેટલીક કંપનીઓ નાદાર થઈ ગઈ છે, જ્યારે કેટલીક કંપનીઓએ તેનો હિસ્સો વેચવો પડ્યો છે.

યસ બેન્કે કહ્યું કે તેણે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને 6 મેના રોજ 2,892.44 કરોડ રૂપિયાની બાકી લેણાં ચૂકવવાની નોટિસ આપી હતી. 60 દિવસની સૂચના છતાં આ સમૂહ બાકી રકમ ચૂકવી શક્યું નહીં. જે બાદ તેણે 22 જુલાઇએ ત્રણેય સંપત્તિનો કબજો લીધો હતો. બેન્કે સામાન્ય લોકોને આ મિલકતો અંગે કોઈ વ્યવહાર ન કરવા ચેતવણી આપી છે.

એડીએજી જૂથ ગયા વર્ષે આ જ મુખ્યાલયને લીઝ પર આપવા માગતો હતો જેથી તે દેવું ચૂકવવા માટે સંસાધનો એકત્રિત કરી શકે. તેનું મુખ્ય મથક 21,432 ચોરસ મીટરમાં છે. અન્ય બે સંપત્તિ દક્ષિણ મુંબઈના નગીન મહેલમાં છે. આ બંને ફ્લેટ અનુક્રમે 1,717 ચોરસ ફૂટ અને 4,936 ચોરસ ફૂટના છે.

નોંધનીય છે કે યસ બેન્કના ડૂબી જવા પાછળનું એક મુખ્ય કારણ એડીએજી જૂથની કંપનીઓને આપવામાં આવતી લોન છે. બિન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ની ઉચ્ચ કક્ષાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાનીવાળી બેન્કો સાથે રૂપિયા 10,000 કરોડની મૂડીનો ભંડોળ નાખીને તેને કટોકટીમાંથી બહાર લાવ્યા છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.