ETV Bharat / business

સુપ્રીમ કોર્ટે ટેલિકોમ માલિકોને AGRની બાકી ચુકવણી ન કરવા બદલ ઠપકાર્યા - LATEST NEWS OF AGR

સુપ્રીમ કોર્ટે ટેલિકોમ અને અન્ય કંપનીઓના ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટરને એજીઆર બાકી ચૂકવણીના આદેશનું પાલન ન કરવા બદલ ફિટકાર લગાવી છે. તેમજ આ અંગે કોઈ કાર્યવાહી ન થતા ટેલિકોમ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

sc
sc
author img

By

Published : Feb 14, 2020, 1:09 PM IST

નવી દિલ્હીઃ જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ એસ.કે. અબ્દુલ નઝીર અને ન્યાયાધીશ એમ.આર.શાહની ખંડપીઠે આદેશનું પાલન કરતી ટેલીકોમ કંપની સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે AGR કેસમાં આપેલા ચૂકાદાની પાલન પર પ્રતિબંધ મૂકનારા ટેલિકમ્યુનિકેશન્સ વિભાગના ડેસ્ક અધિકારીએ આદેશનો અવમાન કરવા બદલ દિલગીર હોવાનું જણાવ્યું હતું.

એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ(AGR) કેસમાં સુપ્રીમ કોર્ટે ટેલીકોમ કંપનીઓ અને દૂરસંચાર વિભાગના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતા મોટાભાગની કંપનીઓએ બાકીની રકમ જમા કરાવી નથી.

જે અંગે કોર્ટે કંપનીઓને પુછ્યું હતું કે, તમારા વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કરવામાં આવે તો કેવું રહેશે? સાથે જ 17 માર્ચ સુધી બાકીની રકમ જમા કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ટેલીકોમ કંપનીઓ પર AGRના 1.4 લાખ કરોડ રૂપિયા બાકી છે. માત્ર રિલાયન્સ જીઓએ જ બાકીની રકમની ચુકવણી કરી છે.

નોંધનીય છે કે એજીઆર બાકી લેવાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ સહિત અન્ય કંપનીઓને ટેલિકમ્યુનિકેશન્સ વિભાગને 1.47 લાખ કરોડ ચૂકવવા આદેશ આપ્યો હતો. તેની ચુકવણી માટેની અંતિમ તારીખ 23 જાન્યુઆરી હતી.

નવી દિલ્હીઃ જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ એસ.કે. અબ્દુલ નઝીર અને ન્યાયાધીશ એમ.આર.શાહની ખંડપીઠે આદેશનું પાલન કરતી ટેલીકોમ કંપની સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે AGR કેસમાં આપેલા ચૂકાદાની પાલન પર પ્રતિબંધ મૂકનારા ટેલિકમ્યુનિકેશન્સ વિભાગના ડેસ્ક અધિકારીએ આદેશનો અવમાન કરવા બદલ દિલગીર હોવાનું જણાવ્યું હતું.

એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ(AGR) કેસમાં સુપ્રીમ કોર્ટે ટેલીકોમ કંપનીઓ અને દૂરસંચાર વિભાગના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતા મોટાભાગની કંપનીઓએ બાકીની રકમ જમા કરાવી નથી.

જે અંગે કોર્ટે કંપનીઓને પુછ્યું હતું કે, તમારા વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કરવામાં આવે તો કેવું રહેશે? સાથે જ 17 માર્ચ સુધી બાકીની રકમ જમા કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ટેલીકોમ કંપનીઓ પર AGRના 1.4 લાખ કરોડ રૂપિયા બાકી છે. માત્ર રિલાયન્સ જીઓએ જ બાકીની રકમની ચુકવણી કરી છે.

નોંધનીય છે કે એજીઆર બાકી લેવાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ સહિત અન્ય કંપનીઓને ટેલિકમ્યુનિકેશન્સ વિભાગને 1.47 લાખ કરોડ ચૂકવવા આદેશ આપ્યો હતો. તેની ચુકવણી માટેની અંતિમ તારીખ 23 જાન્યુઆરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.