ETV Bharat / business

કોરોનાનો કહેર: ગો એરના કર્મચારીઓ 3 મે સુધી બિનપગારી રજા પર રહેશે - ગો એરના કર્મચારીઓ 3 મે સુધી પગાર વગર રજા પર રહેશે

ગો એરએ તેના કર્મચારીઓને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે લોકડાઉન હવે 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આ સાથે, વિમાન ઉડી રહ્યા નથી. તેથી જ અમે 3 મે સુધી પગાર વગર રજા પર રહેવાની અપીલ કરીએ છીએ.

go air
go air
author img

By

Published : Apr 20, 2020, 5:03 PM IST

મુંબઇ: એરલાઇન્સ ગો એરના 5,500 કર્મચારીઓમાંથી મોટાભાગના 3 મે સુધી પગાર વગર રજા પર રહેશે. કોરોના વાઇરસને કારણે લૉકડાઉનમાં કંપનીના તમામ વિમાન સ્ટેન્ડબાય પર છે. તેમના કર્મચારીઓને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, લોકડાઉન હવે 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આ સાથે, વિમાન ઉડી રહ્યા નથી. તેથી જ અમે 3 મે સુધી પગાર વગર રજા પર રહેવાની અપીલ કરીએ છીએ.

મોટાભાગની એરલાઇન્સ સર્વિસ 15 એપ્રિલથી શરૂ કરવાની યોજના હતી. તેઓને આશા હતી કે 15 એપ્રિલથી લોકડાઉન હટાવવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે 5,500 જેટલા કર્મચારીઓમાંથી 10 ટકા પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખશે. જો કે, આ સમય દરમિયાન તેમને ફક્ત આંશિક પગાર મળશે. આ એવા કર્મચારીઓ છે જેમની હાજરી ચોક્કસ કાર્યો માટે જરૂરી છે.

મુંબઇ: એરલાઇન્સ ગો એરના 5,500 કર્મચારીઓમાંથી મોટાભાગના 3 મે સુધી પગાર વગર રજા પર રહેશે. કોરોના વાઇરસને કારણે લૉકડાઉનમાં કંપનીના તમામ વિમાન સ્ટેન્ડબાય પર છે. તેમના કર્મચારીઓને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, લોકડાઉન હવે 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આ સાથે, વિમાન ઉડી રહ્યા નથી. તેથી જ અમે 3 મે સુધી પગાર વગર રજા પર રહેવાની અપીલ કરીએ છીએ.

મોટાભાગની એરલાઇન્સ સર્વિસ 15 એપ્રિલથી શરૂ કરવાની યોજના હતી. તેઓને આશા હતી કે 15 એપ્રિલથી લોકડાઉન હટાવવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે 5,500 જેટલા કર્મચારીઓમાંથી 10 ટકા પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખશે. જો કે, આ સમય દરમિયાન તેમને ફક્ત આંશિક પગાર મળશે. આ એવા કર્મચારીઓ છે જેમની હાજરી ચોક્કસ કાર્યો માટે જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.