ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ બેઠકના ચૂંટણી પરિણામ અંગે મમતા બેનર્જી જશે કોર્ટ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામોમાં મોટો ઉથલપાથલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બંગાળની હાઈપ્રોફાઈલ અને મમતા બેનર્જીને બેઠક નંદીગ્રામમાં ભાજપમાં જોડાયેલા શુભેન્દુ અધિકારીએ જીત મેળવી છે. તે જ સમયે, મમતા બેનર્જીએ કોર્ટમાં જવાનું નક્કી કર્યું છે.

author img

By

Published : May 2, 2021, 10:50 PM IST

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ બેઠકના ચૂંટણી પરિણામ અંગે મમતા બેનર્જી જશે કોર્ટ
પશ્ચિમ બંગાળની નંદીગ્રામ બેઠકના ચૂંટણી પરિણામ અંગે મમતા બેનર્જી જશે કોર્ટ
  • નંદીગ્રામ બેઠકમાં બેનર્જી સામે શુભેન્દુ અધિકારીએ વિજય મેળવ્યો
  • ભાજપનો દાવો છે કે શુભેન્દુ અધિકારી 1622 મતોથી ચૂંટણી જીત્યા
  • મમતા બેનર્જી સોમવારે સાંજે 7 વાગ્યે રાજ્યપાલ જગદીપ ધનખરને મળશે

કોલકાત્તા: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. ત્યારે, બંગાળની હાઈપ્રોફાઈલ અને મમતા બેનર્જીને બેઠક નંદીગ્રામમાં તાજેતરમાં ભાજપમાં જોડાયેલા શુભેન્દુ અધિકારીએ વિજય મેળવ્યો છે. શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને પરાજિત કર્યા છે. પશ્ચિમ બંગાળની સૌથી હાઇપ્રોફાઇલ બેઠક હોવાનું કહેવાતું નંદિગ્રામમાં મમતા બેનર્જીની જીત અને પરાજય અંગે હવે સસ્પેન્સ સર્જાયું છે. સમાચાર એજન્સી ANI અનુસાર, મમતા બેનર્જીએ શુવેન્દુ અધિકારીને લગભગ 1200 મતોથી પરાજિત કર્યા છે. જ્યારે, ભાજપનો દાવો છે કે શુભેન્દુ અધિકારીએ 1622 મતોથી ચૂંટણી જીતી છે. જોકે, ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર નંદીગ્રામના પરિણામો જાહેર કરાયા નથી.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં TMCની જીત પર વડાપ્રધાન મોદીએ અભિનંદન આપ્યા

મમતા બેનર્જી જશે કોર્ટ

સમાચાર એજન્સી ANI અનુસાર, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી નંદીગ્રામ સીટ પર ચૂંટણીના પરિણામ અંગે કોર્ટમાં જશે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, 'હું જનાર્દેશ સ્વીકારું છું. પરંતુ, હું કોર્ટમાં જઇશ. કારણ કે મને ખબર છે કે, પરિણામોની ઘોષણા થયા પછી થોડી હેરાફેરી કરવામાં આવી હતી અને હું તેનો ખુલાસો કરીશ. ''

મમતા બેનર્જી 3 મેના રોજ બપોરે 3 વાગ્યે રાજ્યપાલને મળશે

મમતા બેનર્જી સોમવારે 3 મેના રોજ સાંજે 7 વાગ્યે રાજ્યપાલ જગદીપ ધનખરને મળશે. આ સાથે, રાજ્યપાલ જગદીપ ધનકરે ટ્વીટ કરીને મમતા બેનર્જીને TMCની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામ પર પ્રશાંત કિશોરે કહ્યું, 'ચૂંટણી પંચ ભાજપનું સાથી'

TMCએ નંદીગ્રામ પરિણામ વિશે ટ્વીટ કર્યું

નંદિગ્રામમાં મતગણતરી અંગે, તૃણમુલ કોંગ્રેસ (TMC) એ ટ્વીટ કર્યું હતું કે, નંદીગ્રામની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ નથી, અનુમાન ના કરો. મમતા બેનર્જીએ કહ્યું કે, નંદીગ્રામમાં મારી સાથે ચિટિંગ કરી છે. જે પણ નિર્ણય હશે તે મને સ્વીકાર હશે.

  • નંદીગ્રામ બેઠકમાં બેનર્જી સામે શુભેન્દુ અધિકારીએ વિજય મેળવ્યો
  • ભાજપનો દાવો છે કે શુભેન્દુ અધિકારી 1622 મતોથી ચૂંટણી જીત્યા
  • મમતા બેનર્જી સોમવારે સાંજે 7 વાગ્યે રાજ્યપાલ જગદીપ ધનખરને મળશે

કોલકાત્તા: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. ત્યારે, બંગાળની હાઈપ્રોફાઈલ અને મમતા બેનર્જીને બેઠક નંદીગ્રામમાં તાજેતરમાં ભાજપમાં જોડાયેલા શુભેન્દુ અધિકારીએ વિજય મેળવ્યો છે. શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને પરાજિત કર્યા છે. પશ્ચિમ બંગાળની સૌથી હાઇપ્રોફાઇલ બેઠક હોવાનું કહેવાતું નંદિગ્રામમાં મમતા બેનર્જીની જીત અને પરાજય અંગે હવે સસ્પેન્સ સર્જાયું છે. સમાચાર એજન્સી ANI અનુસાર, મમતા બેનર્જીએ શુવેન્દુ અધિકારીને લગભગ 1200 મતોથી પરાજિત કર્યા છે. જ્યારે, ભાજપનો દાવો છે કે શુભેન્દુ અધિકારીએ 1622 મતોથી ચૂંટણી જીતી છે. જોકે, ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર નંદીગ્રામના પરિણામો જાહેર કરાયા નથી.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં TMCની જીત પર વડાપ્રધાન મોદીએ અભિનંદન આપ્યા

મમતા બેનર્જી જશે કોર્ટ

સમાચાર એજન્સી ANI અનુસાર, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી નંદીગ્રામ સીટ પર ચૂંટણીના પરિણામ અંગે કોર્ટમાં જશે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, 'હું જનાર્દેશ સ્વીકારું છું. પરંતુ, હું કોર્ટમાં જઇશ. કારણ કે મને ખબર છે કે, પરિણામોની ઘોષણા થયા પછી થોડી હેરાફેરી કરવામાં આવી હતી અને હું તેનો ખુલાસો કરીશ. ''

મમતા બેનર્જી 3 મેના રોજ બપોરે 3 વાગ્યે રાજ્યપાલને મળશે

મમતા બેનર્જી સોમવારે 3 મેના રોજ સાંજે 7 વાગ્યે રાજ્યપાલ જગદીપ ધનખરને મળશે. આ સાથે, રાજ્યપાલ જગદીપ ધનકરે ટ્વીટ કરીને મમતા બેનર્જીને TMCની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામ પર પ્રશાંત કિશોરે કહ્યું, 'ચૂંટણી પંચ ભાજપનું સાથી'

TMCએ નંદીગ્રામ પરિણામ વિશે ટ્વીટ કર્યું

નંદિગ્રામમાં મતગણતરી અંગે, તૃણમુલ કોંગ્રેસ (TMC) એ ટ્વીટ કર્યું હતું કે, નંદીગ્રામની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ નથી, અનુમાન ના કરો. મમતા બેનર્જીએ કહ્યું કે, નંદીગ્રામમાં મારી સાથે ચિટિંગ કરી છે. જે પણ નિર્ણય હશે તે મને સ્વીકાર હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.