ETV Bharat / bharat

શ્રદ્ધાઃ કે અંધશ્રદ્ધા : લોકો જીવ જોખમમાં મૂકીને આ રીતે કરે છે માનતા પૂરી...

author img

By

Published : Nov 6, 2021, 8:56 AM IST

ઉજ્જૈનના ભિડવડ (Bhidavad) માં લોકો માનતા પૂરી કરવા માટે પોતાને ગાયો વડે કચડાવે નાખે છે. લોકો માને છે કે, આમ કરવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ પરંપરા (Tradition) સદીઓથી ચાલી આવે છે. સામાન્ય લોકોને આ દ્રશ્ય જોઈને નવાઈ લાગશે પરંતુ આ ગામના લોકો માટે સામાન્ય વાત છે.

ujjain latest news
ujjain latest news

  • લોકો પોતાના જીવના જોખમે નિભાવી રહ્યા છે પરંપરાઓ
  • ઉજ્જૈનના ભિડવડ ગામમાં અનોખી પરંપરા
  • લોકો જીવ જોખમમાં મૂકીને પોતાને ગાયો વડે કચડાવે છે

ઉજ્જૈનઃ ભારતે ભલે વૈજ્ઞાનિક પ્રગતિ દ્વારા દુનિયામાં પોતાની એક મજબૂત ઓળખ બનાવી હોય પરંતુ આજે પણ ઘણી એવી પરંપરાઓ છે, જેને લોકો પોતાના જીવના જોખમે નિભાવી રહ્યા છે. ઉજ્જૈનના ભિડવડ (Bhidavad) ગામમાં પણ લોકો આવી જ પરંપરા (Tradition) ને અનુસરી રહ્યા છે. આમાં લોકો નીચે જમીન પર સૂઈ જાય છે, પછી લોકો ઉપરથી ગાયોનું ટોળું પસાર કરાવવામાં આવે છે.

આસ્થા કે અંધશ્રદ્ધાઃ લોકો માનતા પૂરી કરવા માટે જીવ જોખમમાં મૂકીને પોતાને ગાયો વડે કચડાવે છે

આ પણ વાંચો: દેશની આઝાદીમાં ઓરિસ્સાના આદિવાસી લોકોનો મહત્વનો ફાળો, ઇતિહાસના પાનામાંથી અનેકના નામ ગાયબ

લોકોનું માનવું છે કે, આવું કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે

લોકોને આમાં નુકસાન પણ થાય છે પરંતુ લોકો કરે છે. લોકોનું માનવું છે કે, આવું કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. આ દ્રશ્ય જોઈને સામાન્ય લોકોને ભલે અચરજ થાય પરંતુ આ લોકો માટે આ સામાન્ય વાત છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. પરંપરા અનુસાર માનતા રાખનારા સાત લોકોએ દિવાળીના પાંચ દિવસ પહેલા અગિયારસથી માતા ભવાનીના મંદિરમાં રોકાવું પડે છે. આ દરમિયાન લોકો ઉપવાસ પણ કરે છે, ત્યારબાદ દીપાવલીના બીજા દિવસે મંદિરમાં પૂજા કર્યા પછી સાત લોકોને શોભાયાત્રાના રૂપમાં ગામમાં લઈ જવામાં આવે છે. આ પછી આ લોકોને જમીન પર સુવડાવવામાં આવે છે. પછી આ લોકો ઉપરથી ગાયોના ટોળાને પસાર કરાવવામાં આવે છે.

આ પણ વાંચો: યમુના એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત: 5 લોકોના મોત, 1 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આજદિન સુધી કોઈ મોટી દુર્ઘટના થઈ નથી

ગ્રામજનોને આ પરંપરામાં અતૂટ શ્રદ્ધા છે. ગ્રામજનો જણાવે છે કે, દર વર્ષે ઘણા લોકો આ વ્રત પોતાની માનતા પૂર્ણ કરવા માટે રાખે છે. આ પરંપરા (Tradition) સદીઓથી ચાલી આવે છે પરંતુ આજદિન સુધી કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. થોડી નાની ઈજાઓ થઈ છે પરંતુ માતાજીની કૃપાથી આજ સુધી કોઈનું મૃત્યુ થયું નથી. આ પરંપરાને જોવા માટે અન્નકૂટના દિવસે અન્ય ગામોના ગ્રામજનો પણ અહીં પહોંચે છે.

આ તો આસ્થાની વાત છે

પ્રાણી પ્રેમી અને સામાજિક કાર્યકર્તા અજય દુબે કહે છે કે, આપણા દેશમાં ઘણી પરંપરા (Tradition) ઓ આસ્થા સાથે જોડાયેલી છે. જેમાં લોકો આડા પડ્યા છે અને ઉપરથી ગાયોનું ટોળું પસાર થાય છે. કેટલીકવાર લોકોને આમાં નુકસાન થાય છે. ઘણી વખત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે પરંતુ તે બાદ પણ લોકો આ પરંપરાને અનુસરી રહ્યા છે. જો જોવામાં આવે તો આ માટે કોઈ વૈજ્ઞાનિક પરિણામ નથી. તેના કોઈ ભૌતિક લાભો હોવાના કોઈ પુરાવા નથી. પરંતુ મામલો આસ્થા સાથે જોડાયેલો હોવાથી લોકો તેને અનુસરી રહ્યા છે.

  • લોકો પોતાના જીવના જોખમે નિભાવી રહ્યા છે પરંપરાઓ
  • ઉજ્જૈનના ભિડવડ ગામમાં અનોખી પરંપરા
  • લોકો જીવ જોખમમાં મૂકીને પોતાને ગાયો વડે કચડાવે છે

ઉજ્જૈનઃ ભારતે ભલે વૈજ્ઞાનિક પ્રગતિ દ્વારા દુનિયામાં પોતાની એક મજબૂત ઓળખ બનાવી હોય પરંતુ આજે પણ ઘણી એવી પરંપરાઓ છે, જેને લોકો પોતાના જીવના જોખમે નિભાવી રહ્યા છે. ઉજ્જૈનના ભિડવડ (Bhidavad) ગામમાં પણ લોકો આવી જ પરંપરા (Tradition) ને અનુસરી રહ્યા છે. આમાં લોકો નીચે જમીન પર સૂઈ જાય છે, પછી લોકો ઉપરથી ગાયોનું ટોળું પસાર કરાવવામાં આવે છે.

આસ્થા કે અંધશ્રદ્ધાઃ લોકો માનતા પૂરી કરવા માટે જીવ જોખમમાં મૂકીને પોતાને ગાયો વડે કચડાવે છે

આ પણ વાંચો: દેશની આઝાદીમાં ઓરિસ્સાના આદિવાસી લોકોનો મહત્વનો ફાળો, ઇતિહાસના પાનામાંથી અનેકના નામ ગાયબ

લોકોનું માનવું છે કે, આવું કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે

લોકોને આમાં નુકસાન પણ થાય છે પરંતુ લોકો કરે છે. લોકોનું માનવું છે કે, આવું કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. આ દ્રશ્ય જોઈને સામાન્ય લોકોને ભલે અચરજ થાય પરંતુ આ લોકો માટે આ સામાન્ય વાત છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. પરંપરા અનુસાર માનતા રાખનારા સાત લોકોએ દિવાળીના પાંચ દિવસ પહેલા અગિયારસથી માતા ભવાનીના મંદિરમાં રોકાવું પડે છે. આ દરમિયાન લોકો ઉપવાસ પણ કરે છે, ત્યારબાદ દીપાવલીના બીજા દિવસે મંદિરમાં પૂજા કર્યા પછી સાત લોકોને શોભાયાત્રાના રૂપમાં ગામમાં લઈ જવામાં આવે છે. આ પછી આ લોકોને જમીન પર સુવડાવવામાં આવે છે. પછી આ લોકો ઉપરથી ગાયોના ટોળાને પસાર કરાવવામાં આવે છે.

આ પણ વાંચો: યમુના એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત: 5 લોકોના મોત, 1 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આજદિન સુધી કોઈ મોટી દુર્ઘટના થઈ નથી

ગ્રામજનોને આ પરંપરામાં અતૂટ શ્રદ્ધા છે. ગ્રામજનો જણાવે છે કે, દર વર્ષે ઘણા લોકો આ વ્રત પોતાની માનતા પૂર્ણ કરવા માટે રાખે છે. આ પરંપરા (Tradition) સદીઓથી ચાલી આવે છે પરંતુ આજદિન સુધી કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. થોડી નાની ઈજાઓ થઈ છે પરંતુ માતાજીની કૃપાથી આજ સુધી કોઈનું મૃત્યુ થયું નથી. આ પરંપરાને જોવા માટે અન્નકૂટના દિવસે અન્ય ગામોના ગ્રામજનો પણ અહીં પહોંચે છે.

આ તો આસ્થાની વાત છે

પ્રાણી પ્રેમી અને સામાજિક કાર્યકર્તા અજય દુબે કહે છે કે, આપણા દેશમાં ઘણી પરંપરા (Tradition) ઓ આસ્થા સાથે જોડાયેલી છે. જેમાં લોકો આડા પડ્યા છે અને ઉપરથી ગાયોનું ટોળું પસાર થાય છે. કેટલીકવાર લોકોને આમાં નુકસાન થાય છે. ઘણી વખત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે પરંતુ તે બાદ પણ લોકો આ પરંપરાને અનુસરી રહ્યા છે. જો જોવામાં આવે તો આ માટે કોઈ વૈજ્ઞાનિક પરિણામ નથી. તેના કોઈ ભૌતિક લાભો હોવાના કોઈ પુરાવા નથી. પરંતુ મામલો આસ્થા સાથે જોડાયેલો હોવાથી લોકો તેને અનુસરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.