- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 Aryan Khan Drugs Case : કોર્ટ જામીન અરજી પર સુનાવણી આજે કરશે
મુંબઈ : ક્રૂઝમાંથી ડ્રગ્સ જપ્ત કરવાના મામલે ધરપકડ કરાયેલા અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Aryan Khan) જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટ (Bombay High court) આજે 27 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરશે. છેલ્લી સુનાવણી દરમિયાન આર્યનના વકીલ સતીશ માનશિંદેએ જજ જસ્ટિસ એન ડબલ્યુ સાંબ્રેની સિંગલ બેંચ સમક્ષ અરજી રજૂ કરી અને તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી હતી. તે જ સમયે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) તરફથી હાજર રહેલા વધારાના સોલિસિટર જનરલ અનિલ સિંહે એક સપ્તાહનો સમય માંગ્યો હતો. જજ જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેએ ત્યારબાદ સુનાવણી માટે 27 ઓક્ટોબર નક્કી કરી છે. Click hear
2 પેગાસસ કેસ પર આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવશે
પેગાસસ કેસને લગતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. કોર્ટે આ મામલે 13 સપ્ટેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટને આ મામલે SIT અથવા ન્યાયિક તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી. આ અંગે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 સરકારી બાબુઓને મોટો ફાયદો, 1 જુલાઈ 2021થી થશે લાગુ
કેન્દ્ર સરકારે (CENTRAL GOVT EMPLOYEES) મોંઘવારી ભથ્થું (Dearness Allowance) 28 ટકાથી વધારીને 31 ટકા કર્યું છે, જે 1 જુલાઈ 2021થી લાગુ કરવામાં આવશે. આ માહિતી નાણાપ્રધાને આપી હતી. Click hear
2 T20 WC: ભારત સામે પાકિસ્તાનની જીત પર ઉજવણી કરનારાઓ સામે FIR, જાણો કયા નેતાએ શું કહ્યું
વર્લ્ડકપ (World Cup) મેચમાં ભારતની વિરુદ્ધ પાકિસ્તાનને મળેલી પહેલી જીત બાદ જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir)માં અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી તેવા સમાચારો સામે આવ્યા. આના પર રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. વર્તમાન ઘટનાક્રમમાં જમ્મુ-કાશ્મીર પોલીસે (Jammu And Kashmir Police) અનેક વિદ્યાર્થીઓની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. IG વિજય કુમારે જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ કથિત રીતે પાકિસ્તાન (Pakistan)ની જીતની ઉજવણી કરી, આ કારણે FIR નોંધવામાં આવી છે. જાણો પાકિસ્તાનની જીતની ઉજવણીના મુદ્દે કઈ પાર્ટીએ શું કહ્યું. Click hear
3 સમીર વાનખેડેએ ઘણા મોટા લોકોના ફોન ટેપ કર્યા, નવાબ મલિકનો સનસનાટી ભર્યો દાવો
મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકે(Nawab Malik) કહ્યું કે, તેમને એનસીબીના એક અનામી અધિકારી તરફથી એક પત્ર મળ્યો છે. આ પત્ર નાર્કોટિક્સના મહાનિર્દેશકને મોકલ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક મુથા અશોક જૈન (Mutha Ashok Jain NCB DG)એ નવાબ મલિકના પત્રના સંબંધમાં કહ્યું છે કે તેમને આ પત્ર મળ્યો છે. NCBઆ અંગે જરૂરી કાર્યવાહી કરશે. Click hear
- સુખીભવ
1 યોગ્ય ખોરાક Depression થી મુક્ત થવામાં મદદ કરી શકે છે: નિષ્ણાતો
કોવિડ-19 રોગચાળા પગલે ઘણાં લોકો માનસિક સ્તરે ગંભીરપણે પ્રભાવિત થયાં છે. ડિપ્રેશનને (Depression) લઇને અઢળક નવા કેસો સામે આવ્યા છે. તો પહેલાથી જ ડિપ્રેશનથી પીડાતાં લોકોની સ્થિતિ વધુ વણસી ગઈ છે. જો કે આના ઉપચારમાં અમુક દવાઓ અને ઉપચારો છે, પરંતુ, પોષણશાસ્ત્રીઓ કહે છે કે યોગ્ય ખોરાક લેવાથી પણ મુશ્કેલ સમયમાં ડિપ્રેશનને અસરકારક રીતે હરાવવામાં મદદ મળી શકે છે. Click hear