- પશ્ચિમ બંગાળ અને આસામની ચૂંટણી બાદ જે. પી. નડ્ડાનું નિવેદન
- કોંગ્રેસે 7 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરવાની વાત કહી હતી
- જે. પી. નડ્ડાએ તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસને લીધા આડેહાથ
આ પણ વાંચોઃ ડિબ્રુગઢમાં જે.પી.નડ્ડાનો હુંકાર: આ આસામની સંસ્કૃતિના સંરક્ષણ, સુરક્ષા અને સમૃદ્ધિ માટેની ચૂંટણી છે
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ અને આસામમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન થયા પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસે કહ્યું હતું કે ખેડૂતોનું દેવું 7 દિવસમાં માફ કરીશું નહીં તો મુખ્યપ્રધાન જશે. એક મુખ્યપ્રધાનને તો જનતાએ જ હટાવી દીધા. જ્યારે અન્ય મુખ્યપ્રધાનોને તમે ક્યારે હટાવવાના છો? કોંગ્રેસનું કામ માત્ર જુઠ્ઠુાણું ફેલાવવાનું છે. આ સાથે જ જે. પી. નડ્ડાએ વધુમાં ઉમેર્યું કે, પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આ સાથે જ તેમણે તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી. મમતા બેનરજી પર કટાક્ષ કરતા જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, મમતા બેનરજીએ બીજી બેઠક પરથી ચૂંટણી લડવાનો મૂડ બનાવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ મમતા બેનર્જીએ નામ લીધા વગર લગાવ્યા ભાજપ પર ગંભીર આરોપ
બીજી બેઠક પરથી મમતા બેનરજી ચૂંટણી લડે તેવા મને સમાચાર મળ્યાઃ જે. પી. નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે, હવે મમતા બેનરજી બીજી બેઠક પરથી ચૂંટણી લડવાનું વિચારી રહ્યાં છે. નંદીગ્રામથી મમતા બેનરજી હારતા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ મમતા બેનરજીની રણનીતિ છે. તેઓ જાણે છે, પરંતુ અમારી પાસે જાણકારી છે કે, બીજી બેઠક પરથી તેઓ ચૂંટણી લડવાનું વિચારી રહ્યાં છે. તેમના લોકોએ જ મને જાણ કરી છે.
આ વખતના પરિણામથી મમતા બેનરજીના પગ નીચેથી જમીન સરકી જશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પશ્ચિમ બંગાળ અને આસામના બે તબક્કામાં થયેલા મતદાન અંગે જણાવ્યું હતું કે, આ વખતના પરિણામ ખૂબ જ ચોંકાવનારા આવશે. મમતા બેનરજીની હાર થઈ રહી છે. જ્યારે ભાજપે NDAને સમર્થન આપવાનું મન બનાવી લીધું છે. પહેલા અને બીજા તબક્કામાં લોકોએ એકતરફી નિર્ણય લીધો છે કે આ વખતે ભાજપને જ સત્તા મળશે. આ સાથે જ અન્ય રાજ્યોની ચૂંટણી અંગે જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, તમિલનાડુમાં અમે AIADMK સાથે સરકાર બનાવીશું. પુડ્ડુચેરીમાં અમે NDAની સરકાર બનાવી રહ્યા છીએ. જ્યારે કેરળમાં અમે એક શક્તિ તરીકે ઉભરી આવીશું.