ETV Bharat / bharat

પ.બંગાળ પેટા ચૂંટણીના પરિણામો: શું મમતા બેનર્જી મુખ્યપ્રધાન પદ જાળવી શકશે? - પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મુખ્યપ્રધાનનું પદ જાળવી રાખવા માટે ભવાનીપુર મતક્ષેત્રમાંથી ચૂંટણી જીતવી જરૂરી છે. ભવાનીપુર સહિત પશ્ચિમ બંગાળની 3 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં આજે રવિવારે મત ગણતરી યોજાશે.

આજે ત્રણ વિધાનસભાઓના પરિણામો, મુખ્યપ્રધાનની ખુરશી બચાવવા માટે, વિજય સાથે 'શરૂઆત' કરવી પડશે
આજે ત્રણ વિધાનસભાઓના પરિણામો, મુખ્યપ્રધાનની ખુરશી બચાવવા માટે, વિજય સાથે 'શરૂઆત' કરવી પડશે
author img

By

Published : Oct 3, 2021, 6:59 AM IST

  • મમતા બેનર્જીએ મુખ્યપ્રધાનનું પદ જાળવી રાખવા માટે ભવાનીપુર મતક્ષેત્રમાંથી ચૂંટણી જીતવી જરૂરી છે
  • પશ્ચિમ બંગાળની 3 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં આજે રવિવારે મત ગણતરી
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રવિવારે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી છે

કોલકાતા: ભવાનીપુર સહિત મુર્શીદાબાદના શમશેરગંજ તેમજ જંગીપુર વિધાનસભા બેઠકો પર થયેલા મતદાનનું પરિણામ આજે રવિવારે જાહેર કરવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રવિવારે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી છે.ભવાનીપુર બેઠક પરથી મુખ્યપ્રધાન તેમજ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી ઉમેદવાર છે. જેમની સામે ભાજપે પ્રિયંકા ટિબડેવાલ અને મા.ક.પા.એ શ્રીજીબ બિશ્વાસને મેદાને ઉતાર્યા છે.

મત ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે

મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ઉમેદવાર છે. જ્યારે ભાજપ તરફથી પ્રિયંકા ટિબડેવાલ અને મા.ક.પા તરફથી શ્રીજીબ બિસ્વાસ તેમની વિરુદ્ધ છે. આ ત્રણ વિધાનસભા બેઠકો પર 30 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. ચૂંટણી પંચ તરફથી મળેલી માહિતી મુજબ, મત ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે. અને એક કલાક પછી વલણો આવવા લાગશે. મહત્વનું છે કે, મુખ્યપ્રધાન પદ પર રહેવા માટે મમતા બેનર્જી માટે આ ચૂંટણી જીતવી જરૂરી છે. ભવાનીપુરમાં મતદાનની ગતિ અન્ય બે બેઠકો કરતા ઘણી ધીમી હતી.

વિધાનસભાની ચૂંટણીમાં અહીં 61.79 ટકા મતદાન થયું હતું

થોડા મહિના પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અહીં 61.79 ટકા મતદાન થયું હતું, જ્યારે 2016 ની વિધાનસભા ચૂંટણીમાં જંગીપુરમાં 83.82 અને શમશેરગંજમાં 81.92 ટકા મતદાન થયું હતું. ગુરુવારે ભવાનીપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં 57 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. બીજી તરફ, મુર્શીદાબાદની શમશેરગંજ અને જંગીપુર બેઠકો પર અનુક્રમે 79.92 અને 77.63 ટકા મતદાન નોંધાયું હતું. એપ્રિલ-મે વિધાનસભા ચૂંટણી દરમિયાન આ બે બેઠકો પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારોનાં મૃત્યુ બાદ મતદાન રદ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 પોઝિટિવ કેસ નોંધાયા, માત્ર અમદાવાદમાં જ 10 પોઝિટિવ

આ પણ વાંચો : ગાંધીનગર ચૂંટણી 2021 : આજે સવારે 7 કલાકેથી મતદાન શરૂ, વડાપ્રધાનના માતા હીરાબા કરશે મતદાન

  • મમતા બેનર્જીએ મુખ્યપ્રધાનનું પદ જાળવી રાખવા માટે ભવાનીપુર મતક્ષેત્રમાંથી ચૂંટણી જીતવી જરૂરી છે
  • પશ્ચિમ બંગાળની 3 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં આજે રવિવારે મત ગણતરી
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રવિવારે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી છે

કોલકાતા: ભવાનીપુર સહિત મુર્શીદાબાદના શમશેરગંજ તેમજ જંગીપુર વિધાનસભા બેઠકો પર થયેલા મતદાનનું પરિણામ આજે રવિવારે જાહેર કરવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રવિવારે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી છે.ભવાનીપુર બેઠક પરથી મુખ્યપ્રધાન તેમજ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી ઉમેદવાર છે. જેમની સામે ભાજપે પ્રિયંકા ટિબડેવાલ અને મા.ક.પા.એ શ્રીજીબ બિશ્વાસને મેદાને ઉતાર્યા છે.

મત ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે

મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ઉમેદવાર છે. જ્યારે ભાજપ તરફથી પ્રિયંકા ટિબડેવાલ અને મા.ક.પા તરફથી શ્રીજીબ બિસ્વાસ તેમની વિરુદ્ધ છે. આ ત્રણ વિધાનસભા બેઠકો પર 30 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. ચૂંટણી પંચ તરફથી મળેલી માહિતી મુજબ, મત ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે. અને એક કલાક પછી વલણો આવવા લાગશે. મહત્વનું છે કે, મુખ્યપ્રધાન પદ પર રહેવા માટે મમતા બેનર્જી માટે આ ચૂંટણી જીતવી જરૂરી છે. ભવાનીપુરમાં મતદાનની ગતિ અન્ય બે બેઠકો કરતા ઘણી ધીમી હતી.

વિધાનસભાની ચૂંટણીમાં અહીં 61.79 ટકા મતદાન થયું હતું

થોડા મહિના પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અહીં 61.79 ટકા મતદાન થયું હતું, જ્યારે 2016 ની વિધાનસભા ચૂંટણીમાં જંગીપુરમાં 83.82 અને શમશેરગંજમાં 81.92 ટકા મતદાન થયું હતું. ગુરુવારે ભવાનીપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં 57 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. બીજી તરફ, મુર્શીદાબાદની શમશેરગંજ અને જંગીપુર બેઠકો પર અનુક્રમે 79.92 અને 77.63 ટકા મતદાન નોંધાયું હતું. એપ્રિલ-મે વિધાનસભા ચૂંટણી દરમિયાન આ બે બેઠકો પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારોનાં મૃત્યુ બાદ મતદાન રદ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 પોઝિટિવ કેસ નોંધાયા, માત્ર અમદાવાદમાં જ 10 પોઝિટિવ

આ પણ વાંચો : ગાંધીનગર ચૂંટણી 2021 : આજે સવારે 7 કલાકેથી મતદાન શરૂ, વડાપ્રધાનના માતા હીરાબા કરશે મતદાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.