ચંપાવત: જિલ્લાના સુખીઢાંગમાં આવેલી સરકારી આંતર કોલેજમાં GIC ભોજન માતા (GIC Sukhidhang SC Bhojan Mata) તરીકે અનુસૂચિત જાતિની મહિલાની નિમણૂક થયા બાદ વિદ્યાર્થીઓએ ભોજનનો ઇનકાર કર્યાનો કિસ્સો પ્રકાશ (GIC Sukhidhang SC Bhojan Mata Appointment Controversy)માં આવ્યો હતો. બીજી તરફ શિક્ષણ વિભાગના અધિકારીઓએ તપાસ કરીને ભોજન માતાની નિમણૂકને ગેરકાયદેસર ગણાવીને રદ કરી છે. હવે ટૂંક સમયમાં જ જાહેરાત આપીને નવેસરથી ભોજન માતાની નિમણૂક (appointment of Bhojan Mata in sukhidhang) કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ભોજન લઇને આવતા હતા
આ મામલે મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, વિદ્યાર્થીઓએ ચંપાવતની એક સરકારી શાળા (Government Inter College Sukhidhang)માં 'ભોજનમાતા' (રસોઇયા) દ્વારા તૈયાર કરાયેલો ખોરાક ખાવાની ના પાડી દીધી છે. આ સાથે વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ભોજન જાતે લાવી રહ્યા છે. DIG કુમાઉં ડૉ. નીલેશ આનંદ ભરણેને આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
-
The students refused to eat the meal cooked by 'Bhojanmata' (cook) at a govt school in Champawat and bring own food from their homes. I have directed Dr. Nilesh Anand Bharane, DIG Kumaon to take strict actions against the culprits in the matter: Uttarakhand CM Pushkar Singh Dhami pic.twitter.com/BPRlPmpY0D
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The students refused to eat the meal cooked by 'Bhojanmata' (cook) at a govt school in Champawat and bring own food from their homes. I have directed Dr. Nilesh Anand Bharane, DIG Kumaon to take strict actions against the culprits in the matter: Uttarakhand CM Pushkar Singh Dhami pic.twitter.com/BPRlPmpY0D
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 24, 2021The students refused to eat the meal cooked by 'Bhojanmata' (cook) at a govt school in Champawat and bring own food from their homes. I have directed Dr. Nilesh Anand Bharane, DIG Kumaon to take strict actions against the culprits in the matter: Uttarakhand CM Pushkar Singh Dhami pic.twitter.com/BPRlPmpY0D
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 24, 2021
શું હતી સમગ્ર ઘટના?
શિક્ષણ વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે, પહેલા સામાન્ય જ્ઞાતિની મહિલાની નિમણૂક કરવાની હતી. બાદમાં એક અનુસૂચિત જાતિની મહિલાને ભોજન માતા તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. જેના કારણે વિવાદ (discrimination with sc bhojan mata) સર્જાયો હતો. શાળામાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને PTA દ્વારા પહેલા છૂટી કરાયેલી મહિલા પુષ્પા ભટ્ટની ભોજન માતા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પુષ્પા ભટ્ટે ચાર્જ સંભાળે તે પહેલાં શાળા પ્રશાસને ભોજન માતા તરીકે એક અનુસૂચિત જાતિની મહિલાની નિમણૂક કરી અને તેને કાર્ય સોંપ્યું. જેના કારણે PTAના પ્રમુખ નરેશ જોષી અને વાલીઓ નિમણૂકનો વિરોધ કરી રહ્યા હતા. તો એક અનુસૂચિત જાતિની મહિલાની ભોજન માતા તરીકે નિમણૂકને કારણે સવર્ણ જાતિના બાળકોએ શાળામાં તેના દ્વારા બનાવેલો ખોરાક ખાવાનું બંધ કરી દીધું હતું.
બાળકોના માતા-પિતાએ અનુસૂચિત જાતિની મહિલાના હાથનું ભોજન ખાવાની ના કહી હતી
આ વિશે જ્યારે સ્કૂલના બાળકોને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, તેમના માતા-પિતાએ અનુસૂચિત જાતિની મહિલાના હાથથી બનેલું ભોજન ખાવાની ના કહી છે, કેમકે તેમના ત્યાં દેવતા આવે છે. આ મામલાની તપાસ કરી રહેલા ચંપાવતના મુખ્ય શિક્ષણ અધિકારીએ કહ્યું કે, બંને પક્ષોને સાંભળ્યા બાદ અને રેકોર્ડ તપાસ્યા બાદ ભોજન માતાની નિમણૂક ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું છે. આ કારણોસર એપોઈન્ટમેન્ટ કેન્સલ કરવામાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્ર જાગૃતિ અભિયાન શરૂ કરશે
તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં જ નવેસરથી જાહેરાત આપીને ભોજન માતાની નિમણૂક કરવામાં આવશે. તો શાળાની વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, તેઓએ સંબંધીઓના (upbringing of child in india) કહેવા પર શાળામાં ભોજન લેવાનું બંધ કર્યું હતું. સુખીઢાંગના સબ-કલેક્ટર હિમાંશુ કાફલ્ટિયાએ જણાવ્યું હતું કે, આ બાબતને ગંભીરતાથી લઈને જિલ્લા વહીવટીતંત્રએ જાગૃતિ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેથી સ્થાનિક ગ્રામીણ લોકોને વિશ્વાસમાં લઈને કુપ્રથાને નાબૂદ કરી શકાય.
ભોજન માતાની ગેરકાયદેસર નિમણૂક
બીજી તરફ આ મામલો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. તપાસ ગોઠવવામાં આવી હતી. AD બેઝિક અજય નૌટિયાલ, મુખ્ય શિક્ષણ અધિકારી આર.સી. પુરોહિત અને BEO અંશુલ બિષ્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ચંપાવતના મુખ્ય શિક્ષણ અધિકારી આર.સી. પુરોહિતે જણાવ્યું કે, SMC અને PTAની એક ખુલ્લી બેઠક યોજાઈ હતી, જેમાં બંને પક્ષોને સાંભળ્યા બાદ અને રેકોર્ડ તપાસ્યા બાદ ભોજન માતા સુનીતા દેવીની નિમણૂક ગેરકાયદેસર મળી આવી હતી. આ મુલાકાત રદ કરવામાં આવી હતી. હવે નવેસરથી ભોજન માતાની નિમણૂક કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Delhi Cm Kejriwal Visits Gujarat : દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર અર્પણ કરી શ્રદ્ધાંજલિ