ચંદીગઢ ફિરોઝપુરમાં PM સુરક્ષામાં ગેરરીતિના કેસમાં (PM Modi security breach in Punjab) નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની આગેવાની હેઠળની 5 સભ્યોની સમિતિનો અહેવાલ સુપ્રીમ કોર્ટમાં વાંચવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફિરોઝપુરના SSP તે (Ferozepur SSP failed to perform Duty) સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને તેમની ફરજ નિભાવવામાં નિષ્ફળ ગયા હતા. 5 જાન્યુઆરીએ PMના કાફલાને ફિરોઝપુરના ફ્લાયઓવર પર 15 મિનિટ સુધી ઉભું રહેવું પડ્યું હતું, જેના કારણે વડાપ્રધાન મોદીએ રેલી રદ કરી હતી અને દિલ્હી પરત ફર્યા હતા. સુપ્રીમ કોર્ટે પંજાબમાં પીએમ મોદીના સુરક્ષા કાફલામાં ખામી અંગે સમિતિના અહેવાલ પર સુનાવણી કરી હતી.
આ પણ વાંચો અગ્નિપથ યોજના અંગે આજે દિલ્હી હાઈકોર્ટમાં થઈ શકે ફેંસલો
PMની સુરક્ષામાં ભંગ પૂર્વ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ આ માટે પંજાબના અમલદારો અને પોલીસ અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. સીજેઆઈએ રિપોર્ટ વાંચતા કહ્યું કે, ફિરોઝપુરના SSPને બે કલાક પહેલા કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન તે રસ્તે પ્રવેશ કરશે, તે પછી પણ તેઓ સુરક્ષા વ્યવસ્થા ઠીક કરી શક્યા નથી. આ સમિતિએ વડાપ્રધાનની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે અનેક ઉપાયો પણ સૂચવ્યા છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, તે સરકારને રિપોર્ટ મોકલશે જેથી પગલાં લઈ શકાય.
આ પણ વાંચો બિહારમાં આરજેડી નેતાઓને ત્યાં દરોડા મોટી સંપતી મળી
CM ચન્નીએ સુરક્ષાનો અભાવ સ્વીકારવાનો કર્યો હતો ઇનકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબની મુલાકાતે હતા, આ દરમિયાન તેમણે PGIના સેટેલાઇટ સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો. ફિરોઝપુરમાં રાખવાની હતી, તે સમયે વડાપ્રધાનને ભટિંડાથી હુસૈનીવાલા બોર્ડર પર હેલિકોપ્ટરથી જવાનું હતું, પરંતુ વિરોધને કારણે વડાપ્રધાન મોદી 15થી 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. ત્યારબાદ તેમણે પ્રવાસ રદ કર્યો હતો અને દિલ્હી પરત ફર્યા હતા. આ ઘટના બની ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને આ પ્રસંગના મુખ્ય પ્રધાન પૂર્વ મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની હતા. વડાપ્રધાન મોદી દિલ્હી પરત ફર્યા બાદ સરકાર પર અનેક સવાલો ઉભા થયા હતા, પરંતુ મુખ્યપ્રધાન ચન્નીએ સુરક્ષાનો અભાવ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.