બેંગ્લુરૂ: NIAની ચાર્જશીટમાંથી (National Investigation Agency Charge Sheet) એક ખુલાસો થોય છે કે, કર્ણાટક રાજ્યના મહાનગર બેંગ્લુરૂમાંથી (Bangalore ISIS Recruitment) ઈસ્લામિક સ્ટેટ યુવાનોની ભરતી કરી રહ્યું છે. આ માટે ચોક્કસ પ્રકારની કવાયત ચાલી રહી છે. આરોપી જોહૈબ મન્ના અને અબ્દુલ કાદિરે આશરે 28 લોકોને ઈસ્લામની કબૂલાત (Religion Change ISIS Model) કરાવી છે. યુવાનોને એક ખાસ ડીનર માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં એમને ઈસ્લામિક સ્ટેટ આતંકી સંગઠનમાં ભરતી થવા અંગે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: કાબુલ એરપોર્ટ પર ફિદાયીન હુમલો કરનાર ISIS-K ભારત માટે પણ છે મોટો ખતરો
સીરિયા ક્નેક્શન: સીરિયામાં કુખ્યાત વિદ્રોહી તરીકે જાણીતા થયેલા મોહમ્મદ સાજિદે બેંગ્લુરૂ સિટીમાં એક ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે શહેરમાં ત્રણ દિવસ પસાર કરી સર્વે કર્યો હતો. આ મુલાકાત દરમિયાન યુવાનોને આતંકી સંગઠનમાં જોડાવવા માટે પ્રેરિત કરાયા હતા. ચાર્જશીટમાં એવું પણ સ્પષ્ટ કરાયું છે કે, સાજિદના પાછા ફરવા પર ઘણા યુવાનોએ કેમ્પગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એમને વિદાય આપી હતી. ઓગસ્ટ 2020માં NIAની એક ટીમે બેંગ્લુરૂના એક ડૉક્ટર અબ્દુર રહમાનની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા હોવાના મામલે ડૉ.અબ્દુલ રહેમાનની ધરપકડ
ખાસ ભૂમિકા: એમની તપાસ દરમિયાન આ આરોપીની ખાસ ભૂમિકા હતી. જેનો ઘટસ્ફોટ થયો હતો.આ આરોપીઓએ યુવાનોને સંગઠનમાં ભરતીમાં ભારતમાંથી યુવાનોને પસંદ કર્યા હતા. પછી એ તમામને સીરિયા મોકલવા માટે પૈસા જમા કરવામાં આવ્યા હતા. રહમાનની પૂછપરછ બાદ NIAએ એક અલગ કેસ ફાઈલ કરીને આરોપપત્ર દાખલ કર્યું છે.