ETV Bharat / bharat

Mukul Roy MISSING: પરિવારજનોએ દાવો કર્યો, TMC નેતા મુકુલ રોય મોડી સાંજથી ગુમ

author img

By

Published : Apr 18, 2023, 10:13 AM IST

તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ રોયના પરિવારજનોએ દાવો કર્યો છે કે સોમવાર સાંજથી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. પૂર્વ રેલ મંત્રીના પુત્ર સુભ્રગ્શુએ જણાવ્યું કે તેમના પિતા સોમવારે મોડી સાંજથી 'ગુમ' છે.

Mukul Roy MISSING: પરિવારજનોએ દાવો કર્યો, TMC નેતા મુકુલ રોય મોડી સાંજથી ગુમ
Mukul Roy MISSING: પરિવારજનોએ દાવો કર્યો, TMC નેતા મુકુલ રોય મોડી સાંજથી ગુમ

કોલકાતા: પૂર્વ રેલ મંત્રીના પુત્ર સુભ્રગ્શુએ જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ રોય સોમવાર સાંજથી ગુમ છે. તેમના પુત્રએ કહ્યું કે તેમનો સંપર્ક થઈ શક્યો નથી. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ રોયના પરિવારજનોએ દાવો કર્યો છે કે સોમવાર સાંજથી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. પૂર્વ રેલ મંત્રીના પુત્ર સુભ્રગ્શુએ જણાવ્યું કે તેમના પિતા સોમવારે મોડી સાંજથી 'ગુમ' છે. ટીએમસી નેતા સુભ્રાગ્શુએ કહ્યું કે હજુ સુધી હું મારા પિતાનો સંપર્ક કરવામાં અસમર્થ છું. તે ગુમ છે. રોયના નજીકના સહયોગીઓએ જણાવ્યું હતું કે તેઓ સોમવારે સાંજે દિલ્હી જવાના હતા.

Ethanol blending in petrol: 2025-26 સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

નજીકના સહયોગીએ કહ્યું કે અત્યારે અમને ખબર છે કે તે લગભગ 9 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરવાના હતા. પરંતુ તેઓનો પત્તો લાગ્યો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે રોય સોમવારે સાંજે ઈન્ડિગો ફ્લાઈટ (6E-898)થી દિલ્હી જવા રવાના થયા હતા. જે સોમવારે મોડી સાંજે 9:55 કલાકે દિલ્હી પહોંચવાનું હતું. પરંતુ હવે તેઓ ગુમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. TMC નેતાના પુત્ર સુભ્રગ્શુ રોયે દાવો કર્યો છે કે પરિવારે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે પોલીસ સૂત્રોનું કહેવું છે કે હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી.

Kohli unfollowed Ganguly: વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યો, જાણો કારણ

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા: પત્નીના મૃત્યુ બાદ લાંબા સમયથી બીમાર રહેલા રોયને તાજેતરમાં ફેબ્રુઆરીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટીએમસીમાં પહેલા નંબર બે રહેલા રોય 2017માં પાર્ટીના નેતૃત્વ સાથે મતભેદોને પગલે ભાજપમાં જોડાયા હતા. તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રોયે 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી અને બાદમાં પરિણામો જાહેર થયા બાદ TMCમાં પાછા ફર્યા હતા.

કોલકાતા: પૂર્વ રેલ મંત્રીના પુત્ર સુભ્રગ્શુએ જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ રોય સોમવાર સાંજથી ગુમ છે. તેમના પુત્રએ કહ્યું કે તેમનો સંપર્ક થઈ શક્યો નથી. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ રોયના પરિવારજનોએ દાવો કર્યો છે કે સોમવાર સાંજથી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. પૂર્વ રેલ મંત્રીના પુત્ર સુભ્રગ્શુએ જણાવ્યું કે તેમના પિતા સોમવારે મોડી સાંજથી 'ગુમ' છે. ટીએમસી નેતા સુભ્રાગ્શુએ કહ્યું કે હજુ સુધી હું મારા પિતાનો સંપર્ક કરવામાં અસમર્થ છું. તે ગુમ છે. રોયના નજીકના સહયોગીઓએ જણાવ્યું હતું કે તેઓ સોમવારે સાંજે દિલ્હી જવાના હતા.

Ethanol blending in petrol: 2025-26 સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

નજીકના સહયોગીએ કહ્યું કે અત્યારે અમને ખબર છે કે તે લગભગ 9 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરવાના હતા. પરંતુ તેઓનો પત્તો લાગ્યો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે રોય સોમવારે સાંજે ઈન્ડિગો ફ્લાઈટ (6E-898)થી દિલ્હી જવા રવાના થયા હતા. જે સોમવારે મોડી સાંજે 9:55 કલાકે દિલ્હી પહોંચવાનું હતું. પરંતુ હવે તેઓ ગુમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. TMC નેતાના પુત્ર સુભ્રગ્શુ રોયે દાવો કર્યો છે કે પરિવારે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે પોલીસ સૂત્રોનું કહેવું છે કે હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી.

Kohli unfollowed Ganguly: વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યો, જાણો કારણ

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા: પત્નીના મૃત્યુ બાદ લાંબા સમયથી બીમાર રહેલા રોયને તાજેતરમાં ફેબ્રુઆરીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટીએમસીમાં પહેલા નંબર બે રહેલા રોય 2017માં પાર્ટીના નેતૃત્વ સાથે મતભેદોને પગલે ભાજપમાં જોડાયા હતા. તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રોયે 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી અને બાદમાં પરિણામો જાહેર થયા બાદ TMCમાં પાછા ફર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.