ETV Bharat / bharat

LIVE UPADTE: કોરોનાની પરિસ્થિતિ અંગે વડાપ્રધાન મોદીની મુખ્યપ્રધાનો સાથે ઉચ્ચ સ્તરિય બેઠક - LIVE PAGE PM MODI

LIVE PAGE PM MODI
LIVE PAGE PM MODI
author img

By

Published : Apr 23, 2021, 12:49 PM IST

Updated : Apr 23, 2021, 3:39 PM IST

15:38 April 23

11 રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી બેઠક

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી રહ્યા છે કે, જ્યા હાલમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, દરેક રાજ્યએ સુનિશ્વિત કરવું પડશે કે, કોઈ પણ બીજા રાજ્યમાં જતા ઓક્સિજન ટેન્કરને રોકવામાં ન આવે.
  • તેમણે રાજ્યોને વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડવા માટે ઉચ્ચ સ્તરીય સંકલન સમિતિની રચના કરવા અપીલ કરી  
  • આ સમિતિ તે નિશ્વિત કરશે કે, કેન્દ્ર દ્વારા જ્યારે ઓક્સિજન ફાળવવામાં આવે ત્યારે તાત્કાલિક ઓક્સિજનનું વિતરણ કરવામાં આવે.
  • વડાપ્રધાને કહ્યું કે, જેમ બને તેમ તુરંત ઓક્સિજન પહોંચાડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
  • ઓક્સિજન પહોંચાડવા માટે રેલવે તરફથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે.
  • વડાપ્રધાને કહ્યું કે, વાયુ સેનાની મદદથી પણ ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી રહી છે.

15:02 April 23

લખનઉ જવા બોકારોથી રવાના થઈ ઓક્સિજન એક્સપ્રેસની બીજી ટ્રેન

રેલવે મંત્રાલયે માહિતી આપી હતી કે, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ માટે ઓક્સિજન ભરેલા ટેન્કર સાથે બીજી ઓક્સિજન સ્પેશ્યલ ટ્રેન આજે બોકારોથી બપોરે દોઢ વાગ્યા રવાના થઈ છે. આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે ત્યા પહોંચી જશે, તેમ પણ રેલવે મંત્રાલયે જાણકારી આપી હતી.

14:55 April 23

પશ્વિમ બંગાળની ઓક્સિજન સપ્લાય ઉત્તર પ્રદેશમાં મોકલવામાં આવીઃ મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, અમારી ઓક્સિજન સપ્લાય ચેનને ઉત્તરપ્રદેશ મોકલવામાં આવી છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ભાજપના રાજ્યોમાં ઓક્સિજન સપ્લાય ચાલુ છે, પરંતુ અમને ઓક્સિજન ક્યાંથી મળશે?

14:38 April 23

ઓક્સિજન ઉત્પાદકો સાથે બેઠક શરૂ

દેશમાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી આજે ઓક્સિજન ઉત્પાદકો સાથે બેઠક કરી રહ્યા છે. આ સમય દરમિયાન ઓક્સિજનની અછતને દૂર કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી રહી છે.

14:20 April 23

રશિયા ભારતને ઓક્સિન-રેમડેસીવીર ઇન્જેક્શન પ્રદાન કરશે

વધતા કોરોના કેસો અને મૃત્યુઆંકના આંકડા વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. રશિયાએ ભારતને ઓક્સિજન અને રેમડેસીવીર આપવાનો પ્રસ્તાવ રાખ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આગામી 15 દિવસમાં આયાત કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. રશિયાએ કહ્યું કે, તે દર અઠવાડિયે ત્રણથી ચાર મિલિયન રેમડેસીવીર ઇન્જેક્શન પૂરા પાડી શકે છે. તે પછી પણ વધારવામાં આવશે.

14:05 April 23

તમામ રાજ્યોએ સાથે મળીને કોરોના સામેની લડાઇ લડવી પડશે: વિજય રૂપાણી

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યમાં હાલ ઓક્સિજનના 51 હજાર, ICUના 11,500 બેડ ઉપલબ્ધ
  • ટેસ્ટિંગની સંખ્યા વધારીને 1.75 લાખ કરાઈ
  • કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે.
  • મોરબી જેવા ગ્રામીણ જિલ્લામાં 630 પથારીઓની ક્ષમતા વાળા 5 કોવિડ હેલ્થ સેન્ટર, વડોદરામાં BAPS દ્વારા કોવિડ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલની સ્થાપના અને સુરતમાં 15 કોમ્યુનિટી કેર સેન્ટર વગેરે તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

14:03 April 23

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યપ્રધાન રૂપાણીએ સંવાદ કર્યો

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યપ્રધાન રૂપાણીએ સંવાદ કર્યો.
  • તમામ રાજ્યોએ સાથે મળીને કોરોના સામેની લડાઇ લડવી પડશે: વિજય રૂપાણી
  • વેક્સિનેશન અને નિયમોના ચુસ્ત પાલન થકી ગુજરાત કોરોના પર પ્રભાવી નિયંત્રણ મેળવવામાં સફળ થશે: CM

14:00 April 23

લખનઉની બે હોસ્પિટલમાં ઓક્સિજનની સપ્લાય

પોલીસ સુરક્ષા વચ્ચે લખનઉની હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યું છે. ઓક્સિજન પ્લાન્ટના મેનેજરે કહ્યું કે લખનઉમાં ઓક્સિજનનો અભાવ છે, આપણી પાસે પ્રવાહી ઓક્સિજન નથી. સરકારના આદેશ મુજબ, અમે ફક્ત લોકબંધુ અને બલરામપુરની હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય કરીએ છીએ. ખાનગી ગ્રાહકોને ઓક્સિજન આપવામાં આવી રહ્યું નથી.

13:52 April 23

મધ્યપ્રદેશના જબલપુરમાં પાંચ કોવિડ દર્દીઓનાં મોત

  • મધ્યપ્રદેશના જબલપુરમાં પાંચ કોવિડ દર્દીઓનાં મોત
  • મધ્યપ્રદેશના જબલપુરની ગેલેક્સી હોસ્પિટલમાં દાખલ કોવિડના પાંચ દર્દીઓના મોત થયાં હતા.
  • મૃતકના સંબંધીઓએ જણાવ્યું કે, દર્દીઓનું મોત ઓક્સિજનના અભાવને કારણે થયા છે.

13:13 April 23

કેન્દ્ર-રાજ્યને સમાન ભાવે રસી મળે છે: ભૂપેશ બઘેલ

કેન્દ્ર-રાજ્યને સમાન ભાવે રસી મળે છે: ભૂપેશ બઘેલ

છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બધેલે વડાપ્રધાન મોદી સાથે ચાલી રહેલી બેઠકમાં સૂચન આપ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યને રસીનો ખર્ચ એકસમાન હોવો જોઈએ. તેમજ 1 મેથી રાજ્ય સરકારોને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવતી રસી માટે કોરોના રસીની ઉપલબ્ધતા અંગે એક્શન પ્લાન જારી કરો.

13:09 April 23

કેજરીવાલે ઑક્સીજન અને વેક્સિનનો મુદ્દો ઉઠાવ્યો

  • કેજરીવાલે વડાપ્રધાનને કહ્યું, 'અમે આભારી છીએ કે કેન્દ્ર સરકારે દિલ્હીના ઓક્સિજન કોટામાં વધારો કર્યો છે, પરંતુ પરિસ્થિતિ ગંભીર બની છે.
  • અમે કોઈને મરવા માટે છોડી શકતા નથી.
  • અમે કેન્દ્રના પ્રધાનોને ફોન કર્યા.
  • તેમણે પહેલા મદદ કરી, પણ હવે તેઓ પણ થાકી ગયા છે.
  • જો દિલ્હીમાં ઓક્સિજનનો પ્લાન્ટ ન હોય તો બે કરોડ લોકોને ઓક્સિજન નહીં મળે.
  • જે રાજ્યોમાં ઓક્સિજન પ્લાન્ટ છે, તેઓ અન્ય રાજ્યના ઓક્સિજનને અટકાવી શકે છે.
  • જો કોઈ હોસ્પિટલમાં એક કે બે કલાકનો ઓક્સિજન બાકી છે અથવા જો ઓક્સિજન બંધ થઈ જાય અને લોકોનો મોત થાય તેવી સ્થિતિ આવે, તો મારે ફોન ઉપાડીને કોની સાથે વાત કરવી, જો કોઈ ઓક્સિજનનો ટ્રકને રોકી લે તો હું કોની સાથે વાત કરું? '

13:07 April 23

દેશભરના ઓક્સિજન પ્લાન્ટને સેનાના હવાલે કરો: કેજરીવાલ

કેજરીવાલે મોદીને કહ્યું- હું મુખ્યપ્રધાન  હોવા છતાં કંઇપણ કરવામાં અસમર્થ

કેન્દ્રીય પ્રધાનો પણ હવે થાકી ગયા

ઓક્સિજન પ્લાંટ્સ સેનાના હવાલે કરો

13:05 April 23

વડાપ્રધાનને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની વિનંતી, ઓક્સિજનની ટ્રકોને ન રોકે

  • વડાપ્રધાનને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વિનંતી હતી કે, રાજ્યોને કહો કે ઓક્સિજનની ટ્રકો ન રોકે.
  • કેજરીવાલે કહ્યું કે, સર જો તમે કહેશો તો તે લોકો ઓક્સિજનના સપ્લાયને બંધ નહીં કરે.

12:57 April 23

વડાપ્રધાન મોદી સાથે બેઠકમાં આ રાજ્યના મુખ્યપ્રધાનો શામેલ

  1. મહારાષ્ટ્ર
  2. ઉત્તર પ્રદેશ
  3. કર્ણાટક
  4. કેરળ
  5. છત્તીસગઢ
  6. રાજસ્થાન
  7. દિલ્હી
  8. મધ્યપ્રદેશ
  9. ગુજરાત
  10. તમિલનાડુ

12:54 April 23

કોરોના મહામારીને લઈ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો વડાપ્રધાનને પ્રશ્ર

  • કોરોના મહામારીને લઈ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો વડાપ્રધાનને પ્રશ્ર
  • દિલ્હીમાં ઓક્સિજનને કારણે મરી જવાની સંભાવના છે, તો પછી હું કેન્દ્ર સરકારને ફોન કરીને કોની સાથે વાત કરું? આપણે લોકોને મરવા માટે છોડી શકતા નથી. જો સખત પગલા લેવામાં નહીં આવે તો દિલ્હીમાં દુર્ઘટના સર્જાઈ શકે છે.

12:50 April 23

વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોના સ્થિતિ અને વેક્સિનેશનને લઈ સમીક્ષા કરવામાં આવી રહી છે

  • વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોના સ્થિતિ અને વેક્સિનેશનને લઈ સમીક્ષા કરવામાં આવી રહી છે.
  • દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે.
  • જેને ધ્યાને રાખી સલામતીના ભાગરૂપે વડાપ્રધાન કોઈ કડક નિર્ણય લઈ શકે છે.

12:26 April 23

LIVE UPADTE: કોરોનાની પરિસ્થિતિ અંગે વડાપ્રધાન મોદીની મુખ્યપ્રધાનો સાથે ઉચ્ચ સ્તરિય બેઠક

દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ સમીક્ષા બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેબિનેટ સેક્રેટરી, વડાપ્રધાનના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ ડૉ. વિનોદ પોલ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા છે.આ બેઠકમાં કોરોનાના વધતા કેસો અને રસીકરણ અભિયાનને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. 

15:38 April 23

11 રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી બેઠક

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી રહ્યા છે કે, જ્યા હાલમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, દરેક રાજ્યએ સુનિશ્વિત કરવું પડશે કે, કોઈ પણ બીજા રાજ્યમાં જતા ઓક્સિજન ટેન્કરને રોકવામાં ન આવે.
  • તેમણે રાજ્યોને વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડવા માટે ઉચ્ચ સ્તરીય સંકલન સમિતિની રચના કરવા અપીલ કરી  
  • આ સમિતિ તે નિશ્વિત કરશે કે, કેન્દ્ર દ્વારા જ્યારે ઓક્સિજન ફાળવવામાં આવે ત્યારે તાત્કાલિક ઓક્સિજનનું વિતરણ કરવામાં આવે.
  • વડાપ્રધાને કહ્યું કે, જેમ બને તેમ તુરંત ઓક્સિજન પહોંચાડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
  • ઓક્સિજન પહોંચાડવા માટે રેલવે તરફથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે.
  • વડાપ્રધાને કહ્યું કે, વાયુ સેનાની મદદથી પણ ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી રહી છે.

15:02 April 23

લખનઉ જવા બોકારોથી રવાના થઈ ઓક્સિજન એક્સપ્રેસની બીજી ટ્રેન

રેલવે મંત્રાલયે માહિતી આપી હતી કે, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ માટે ઓક્સિજન ભરેલા ટેન્કર સાથે બીજી ઓક્સિજન સ્પેશ્યલ ટ્રેન આજે બોકારોથી બપોરે દોઢ વાગ્યા રવાના થઈ છે. આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે ત્યા પહોંચી જશે, તેમ પણ રેલવે મંત્રાલયે જાણકારી આપી હતી.

14:55 April 23

પશ્વિમ બંગાળની ઓક્સિજન સપ્લાય ઉત્તર પ્રદેશમાં મોકલવામાં આવીઃ મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, અમારી ઓક્સિજન સપ્લાય ચેનને ઉત્તરપ્રદેશ મોકલવામાં આવી છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ભાજપના રાજ્યોમાં ઓક્સિજન સપ્લાય ચાલુ છે, પરંતુ અમને ઓક્સિજન ક્યાંથી મળશે?

14:38 April 23

ઓક્સિજન ઉત્પાદકો સાથે બેઠક શરૂ

દેશમાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી આજે ઓક્સિજન ઉત્પાદકો સાથે બેઠક કરી રહ્યા છે. આ સમય દરમિયાન ઓક્સિજનની અછતને દૂર કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી રહી છે.

14:20 April 23

રશિયા ભારતને ઓક્સિન-રેમડેસીવીર ઇન્જેક્શન પ્રદાન કરશે

વધતા કોરોના કેસો અને મૃત્યુઆંકના આંકડા વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. રશિયાએ ભારતને ઓક્સિજન અને રેમડેસીવીર આપવાનો પ્રસ્તાવ રાખ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આગામી 15 દિવસમાં આયાત કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. રશિયાએ કહ્યું કે, તે દર અઠવાડિયે ત્રણથી ચાર મિલિયન રેમડેસીવીર ઇન્જેક્શન પૂરા પાડી શકે છે. તે પછી પણ વધારવામાં આવશે.

14:05 April 23

તમામ રાજ્યોએ સાથે મળીને કોરોના સામેની લડાઇ લડવી પડશે: વિજય રૂપાણી

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યમાં હાલ ઓક્સિજનના 51 હજાર, ICUના 11,500 બેડ ઉપલબ્ધ
  • ટેસ્ટિંગની સંખ્યા વધારીને 1.75 લાખ કરાઈ
  • કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે.
  • મોરબી જેવા ગ્રામીણ જિલ્લામાં 630 પથારીઓની ક્ષમતા વાળા 5 કોવિડ હેલ્થ સેન્ટર, વડોદરામાં BAPS દ્વારા કોવિડ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલની સ્થાપના અને સુરતમાં 15 કોમ્યુનિટી કેર સેન્ટર વગેરે તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

14:03 April 23

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યપ્રધાન રૂપાણીએ સંવાદ કર્યો

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યપ્રધાન રૂપાણીએ સંવાદ કર્યો.
  • તમામ રાજ્યોએ સાથે મળીને કોરોના સામેની લડાઇ લડવી પડશે: વિજય રૂપાણી
  • વેક્સિનેશન અને નિયમોના ચુસ્ત પાલન થકી ગુજરાત કોરોના પર પ્રભાવી નિયંત્રણ મેળવવામાં સફળ થશે: CM

14:00 April 23

લખનઉની બે હોસ્પિટલમાં ઓક્સિજનની સપ્લાય

પોલીસ સુરક્ષા વચ્ચે લખનઉની હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યું છે. ઓક્સિજન પ્લાન્ટના મેનેજરે કહ્યું કે લખનઉમાં ઓક્સિજનનો અભાવ છે, આપણી પાસે પ્રવાહી ઓક્સિજન નથી. સરકારના આદેશ મુજબ, અમે ફક્ત લોકબંધુ અને બલરામપુરની હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય કરીએ છીએ. ખાનગી ગ્રાહકોને ઓક્સિજન આપવામાં આવી રહ્યું નથી.

13:52 April 23

મધ્યપ્રદેશના જબલપુરમાં પાંચ કોવિડ દર્દીઓનાં મોત

  • મધ્યપ્રદેશના જબલપુરમાં પાંચ કોવિડ દર્દીઓનાં મોત
  • મધ્યપ્રદેશના જબલપુરની ગેલેક્સી હોસ્પિટલમાં દાખલ કોવિડના પાંચ દર્દીઓના મોત થયાં હતા.
  • મૃતકના સંબંધીઓએ જણાવ્યું કે, દર્દીઓનું મોત ઓક્સિજનના અભાવને કારણે થયા છે.

13:13 April 23

કેન્દ્ર-રાજ્યને સમાન ભાવે રસી મળે છે: ભૂપેશ બઘેલ

કેન્દ્ર-રાજ્યને સમાન ભાવે રસી મળે છે: ભૂપેશ બઘેલ

છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બધેલે વડાપ્રધાન મોદી સાથે ચાલી રહેલી બેઠકમાં સૂચન આપ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યને રસીનો ખર્ચ એકસમાન હોવો જોઈએ. તેમજ 1 મેથી રાજ્ય સરકારોને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવતી રસી માટે કોરોના રસીની ઉપલબ્ધતા અંગે એક્શન પ્લાન જારી કરો.

13:09 April 23

કેજરીવાલે ઑક્સીજન અને વેક્સિનનો મુદ્દો ઉઠાવ્યો

  • કેજરીવાલે વડાપ્રધાનને કહ્યું, 'અમે આભારી છીએ કે કેન્દ્ર સરકારે દિલ્હીના ઓક્સિજન કોટામાં વધારો કર્યો છે, પરંતુ પરિસ્થિતિ ગંભીર બની છે.
  • અમે કોઈને મરવા માટે છોડી શકતા નથી.
  • અમે કેન્દ્રના પ્રધાનોને ફોન કર્યા.
  • તેમણે પહેલા મદદ કરી, પણ હવે તેઓ પણ થાકી ગયા છે.
  • જો દિલ્હીમાં ઓક્સિજનનો પ્લાન્ટ ન હોય તો બે કરોડ લોકોને ઓક્સિજન નહીં મળે.
  • જે રાજ્યોમાં ઓક્સિજન પ્લાન્ટ છે, તેઓ અન્ય રાજ્યના ઓક્સિજનને અટકાવી શકે છે.
  • જો કોઈ હોસ્પિટલમાં એક કે બે કલાકનો ઓક્સિજન બાકી છે અથવા જો ઓક્સિજન બંધ થઈ જાય અને લોકોનો મોત થાય તેવી સ્થિતિ આવે, તો મારે ફોન ઉપાડીને કોની સાથે વાત કરવી, જો કોઈ ઓક્સિજનનો ટ્રકને રોકી લે તો હું કોની સાથે વાત કરું? '

13:07 April 23

દેશભરના ઓક્સિજન પ્લાન્ટને સેનાના હવાલે કરો: કેજરીવાલ

કેજરીવાલે મોદીને કહ્યું- હું મુખ્યપ્રધાન  હોવા છતાં કંઇપણ કરવામાં અસમર્થ

કેન્દ્રીય પ્રધાનો પણ હવે થાકી ગયા

ઓક્સિજન પ્લાંટ્સ સેનાના હવાલે કરો

13:05 April 23

વડાપ્રધાનને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની વિનંતી, ઓક્સિજનની ટ્રકોને ન રોકે

  • વડાપ્રધાનને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વિનંતી હતી કે, રાજ્યોને કહો કે ઓક્સિજનની ટ્રકો ન રોકે.
  • કેજરીવાલે કહ્યું કે, સર જો તમે કહેશો તો તે લોકો ઓક્સિજનના સપ્લાયને બંધ નહીં કરે.

12:57 April 23

વડાપ્રધાન મોદી સાથે બેઠકમાં આ રાજ્યના મુખ્યપ્રધાનો શામેલ

  1. મહારાષ્ટ્ર
  2. ઉત્તર પ્રદેશ
  3. કર્ણાટક
  4. કેરળ
  5. છત્તીસગઢ
  6. રાજસ્થાન
  7. દિલ્હી
  8. મધ્યપ્રદેશ
  9. ગુજરાત
  10. તમિલનાડુ

12:54 April 23

કોરોના મહામારીને લઈ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો વડાપ્રધાનને પ્રશ્ર

  • કોરોના મહામારીને લઈ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો વડાપ્રધાનને પ્રશ્ર
  • દિલ્હીમાં ઓક્સિજનને કારણે મરી જવાની સંભાવના છે, તો પછી હું કેન્દ્ર સરકારને ફોન કરીને કોની સાથે વાત કરું? આપણે લોકોને મરવા માટે છોડી શકતા નથી. જો સખત પગલા લેવામાં નહીં આવે તો દિલ્હીમાં દુર્ઘટના સર્જાઈ શકે છે.

12:50 April 23

વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોના સ્થિતિ અને વેક્સિનેશનને લઈ સમીક્ષા કરવામાં આવી રહી છે

  • વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોના સ્થિતિ અને વેક્સિનેશનને લઈ સમીક્ષા કરવામાં આવી રહી છે.
  • દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે.
  • જેને ધ્યાને રાખી સલામતીના ભાગરૂપે વડાપ્રધાન કોઈ કડક નિર્ણય લઈ શકે છે.

12:26 April 23

LIVE UPADTE: કોરોનાની પરિસ્થિતિ અંગે વડાપ્રધાન મોદીની મુખ્યપ્રધાનો સાથે ઉચ્ચ સ્તરિય બેઠક

દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ સમીક્ષા બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેબિનેટ સેક્રેટરી, વડાપ્રધાનના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ ડૉ. વિનોદ પોલ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા છે.આ બેઠકમાં કોરોનાના વધતા કેસો અને રસીકરણ અભિયાનને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. 

Last Updated : Apr 23, 2021, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.