ETV Bharat / bharat

નિઃસંતાન દંપતિ માટે આશાનું કિરણ છે IVF

author img

By

Published : Jul 26, 2021, 2:06 PM IST

માતાપિતા બનવું એ વિશ્વનો સૌથી મોટો આશીર્વાદ છે. કેટલાક લોકોને આ આશીર્વાદ ખૂબ જ સરળતાથી મળે છે, જ્યારે કેટલાક લોકો જેમને આ સુખ કુદરતી રીતે મળતું નથી, તેમના માટે આઈવીએફ ( IVF ) એક વરદાન જેવું છે. 25 મી જુલાઈ એટલે કે વિશ્વ IVF દિવસ. શક્ય તેટલા લોકો સુધી આ ટેકનીક વિશે જાગૃતિ લાવવાનો એક પ્રસંગ છે, જેથી ઘણા નિરાશ યુગલો માતાપિતા બનવાનો આનંદ માણી શકે.

નિઃસંતાન દંપતિ માટે આશાનું કિરણ છે IVF
નિઃસંતાન દંપતિ માટે આશાનું કિરણ છે IVF
  • વિશ્વભરમાં ઉજવાઈ રહ્યું છે 43 આઈવીએફ વર્ષ
  • ટેસ્ટ ટ્યૂબ બેબીના જનક છે ડૉ. રોબર્ટ એડવર્ડ
  • પ્રથમ આઈવીએફ બેબી લુઇસનો જન્મ 25 જુલાઈ 1978 થયો હતો

લેસ્લી અને પીટર બ્રાઉનનો પુત્ર લુઇસ જોય બ્રાઉનનો જન્મ 25 જુલાઈ 1978 ના રોજ આઇવીએફ ( IVF ) ટેકનોલોજીની મદદથી ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ઓલ્ડ હેમ અને ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલમાં થયો હતો. ખાસ કરીને યુગલો કે જેઓ માતાપિતા બનવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં હતાં તેમના માટે આ સાથે આશાનું કિરણ જાગ્યું હતું. તે પછી આજ સુધીમાં વિશ્વભરના હજારો અને લાખો યુગલોને આઇવીએફ ટેકનીક ( In vitro fertilization ) દ્વારા સંતાનપ્રાપ્તિ થઈ છે. આ વરદાન એટલે કે ટેસ્ટ ટ્યૂબ બેબીના ( Test Tube Baby ) જનક રોબર્ટ એડવર્ડને 2010માં મેડિકલ સાયન્સમાં નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. વિશ્વના પ્રથમ ટેસ્ટ ટ્યૂબ બાળકના જન્મના લગભગ 70 દિવસ પછી ભારતે પણ આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ વર્ષે આઈવીએફની 43મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે.

શું છે આઈવીએફ ( IVF ) ટેકનીક

ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન ( In vitro fertilization ) એ એક સારવાર પદ્ધતિ છે જેમાં ગર્ભને લેબોરેટરીમાં ઉત્પન્ન કરવામાં આવે છે. જેને વિવિધ જટિલ પ્રક્રિયાઓ બાદ માતાના શરીરમાં રોપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન પુખ્ત ઇંડા માતાના અંડાશયમાંથી એકત્રિત કરવામાં આવે છે અને એક પ્રયોગશાળામાં પિતાના શુક્રાણુઓ દ્વારા મિશ્ચિત કરવામાં આવે છે. તેમાં જે ઇંડા ફળે તેને માતાના ગર્ભાશયમાં સ્થાનાંતરિત થાય છે. આ પ્રક્રિયામાં લગભગ 3 અઠવાડિયા લાગે છે. આ પ્રક્રિયા જોકે સસ્તી નથી અને હંમેશાં 100% પરિણામો આપતી નથી. પરંતુ જો આ ઉપચાર કોઈ સારા અને પ્રમાણિત પ્રજનન ક્લિનિકમાં કરવામાં આવે તો મોટાભાગના યુગલોને સફળ પરિણામ મળે છે.

આ પ્રક્રિયામાં લગભગ 3 અઠવાડિયા લાગે છે
આ પ્રક્રિયામાં લગભગ 3 અઠવાડિયા લાગે છે

નિઃસંતાન દંપતિ માટે ( IVF ) તબીબી માર્ગદર્શન

પ્રજનન મેડિસિન અને શસ્ત્રક્રિયા નિષ્ણાત, હૈદરાબાદના આઈએમએસ ફર્ટિલિટી સેન્ટરમાં ડિરેક્ટર અને મધરહૂડ ફર્ટિલિટી વિભાગના વડા ડો. વૈજયંતી કહે છે કે લોકો સામાન્ય રીતે આઈયુઆઈ અને આઈવીએફ ( IVF ) વિશે ઘણાં મૂંઝવણમાં હોય છે. જો કે આ બંને પદ્ધતિઓ વૈજ્ઞાનિક રીતે એમ્બ્રોયો ઉત્પન્ન કરવાનું કામ કરે છે. પરંતુ આ બે પદ્ધતિઓ સંપૂર્ણપણે અલગ છે. આઈવીએફમાં, પ્રજનન નિષ્ણાતો સ્ત્રીઓના અંડાશયમાંથી ઇંડા લે છે અને પુરુષ શુક્રાણુ સાથે પ્રયોગશાળામાં તેને ફળદ્રુપ કરે છે. આ પ્રક્રિયા પછી પરિણમતો ગર્ભ સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાનાંતરિત થાય છે.

કઇ સમસ્યાઓમાં આઈવીએફ ( IVF ) સારવાર ફાયદેમંદ છે

ફેલોપિયન ટ્યૂબમાં અડચણ

એવું નિઃસંતાનપણું જેનું કારણ જાણી શકાતું નથી.બધી તપાસ નોર્મલ હોવા છતાં ગર્ભધારણમાં સમસ્યા હોય

પુરુષોમાં સ્પર્મ સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને સંખ્યામાં અને ગુણવત્તામાં ઉણપ

મધ્યમ અથવા ગંભીર એન્ડોમેટ્રિયોસિસ

મહિલાઓમાં અંડનિઃસ્સરણ સંબંધી સમસ્યાઓ

ઓવરીમાં સમસ્યાઓ

આશાનું કિરણ જન્માવે છે આઇવીએફ

ડબ્લ્યુએચઓ ( WHO ) મુજબ ભારતમાં પ્રજનન વયના ચારમાંથી એક યુગલને ગર્ભધારણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપણા દેશમાં વંધ્યત્વ અને નપુંસકતાને એક કલંક તરીકે જોવામાં આવે છે. જેના વિશે મોટાભાગના લોકો વાત કરવામાં અચકાતા હોય છે. ડબ્લ્યુએચઓ અનુસાર હાલમાં વિશ્વભરમાં 120 થી 160 મિલિયન યુગલો વંધ્યત્વની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. પરંતુ આ ટેકનીક મોટાભાગના કેસોમાં માતાપિતા બનવાની તક પૂરી પાડે છે. ભારતમાં આઇવીએફનો ( IVF ) સફળતા દર 30% થી 35% છે અને યુવા મહિલાઓ માટે તે 40% છે.

ભારતમાં આઈવીએફને લઇને કાયદા

આઈવીએફ ( IVF ) ભારતમાં કાયદેસર છે પરંતુ હજી સુધી તે માટે કોઈ વિશિષ્ટ કાયદો નથી. ભારતમાં આઈવીએફનું નિયમન ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (એઆરટી) રેગ્યુલેશન બિલ, 2020ને મંજૂરી આપી છે, જે અંતર્ગત આઈવીએફ ( IVF ) દ્વારા જન્મેલા બાળકને શોષણથી બચાવવા માટે કુદરતી જૈવિક બાળક તરીકેના તમામ અધિકારોનો આનંદ માણવાની મંજૂરી આપે છે. આ બિલ ગર્ભમાં આનુવંશિક ખામીઓને ઓળખવા માટે પરીક્ષણો કરાવવાનું ફરજિયાત બનાવે છે, જેથી આ ટેકનીકો દ્વારા જન્મેલા બાળકોને કોઈપણ આનુવંશિક રોગોથી સુરક્ષિત રાખી શકાય.

આ પણ વાંચોઃ નિસંતાન દંપતિઓ માટે IUI અને IVF પદ્ધતી વરદાન રૂપ

આ પણ વાંચોઃ #Mothersday : ભારતના પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ અને IVF સ્પેશિયાલીસ્ટ ડૉ. નયના પટેલની ETV ભારત સાથે ખાસ વાતચીત

  • વિશ્વભરમાં ઉજવાઈ રહ્યું છે 43 આઈવીએફ વર્ષ
  • ટેસ્ટ ટ્યૂબ બેબીના જનક છે ડૉ. રોબર્ટ એડવર્ડ
  • પ્રથમ આઈવીએફ બેબી લુઇસનો જન્મ 25 જુલાઈ 1978 થયો હતો

લેસ્લી અને પીટર બ્રાઉનનો પુત્ર લુઇસ જોય બ્રાઉનનો જન્મ 25 જુલાઈ 1978 ના રોજ આઇવીએફ ( IVF ) ટેકનોલોજીની મદદથી ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ઓલ્ડ હેમ અને ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલમાં થયો હતો. ખાસ કરીને યુગલો કે જેઓ માતાપિતા બનવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં હતાં તેમના માટે આ સાથે આશાનું કિરણ જાગ્યું હતું. તે પછી આજ સુધીમાં વિશ્વભરના હજારો અને લાખો યુગલોને આઇવીએફ ટેકનીક ( In vitro fertilization ) દ્વારા સંતાનપ્રાપ્તિ થઈ છે. આ વરદાન એટલે કે ટેસ્ટ ટ્યૂબ બેબીના ( Test Tube Baby ) જનક રોબર્ટ એડવર્ડને 2010માં મેડિકલ સાયન્સમાં નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. વિશ્વના પ્રથમ ટેસ્ટ ટ્યૂબ બાળકના જન્મના લગભગ 70 દિવસ પછી ભારતે પણ આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ વર્ષે આઈવીએફની 43મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે.

શું છે આઈવીએફ ( IVF ) ટેકનીક

ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન ( In vitro fertilization ) એ એક સારવાર પદ્ધતિ છે જેમાં ગર્ભને લેબોરેટરીમાં ઉત્પન્ન કરવામાં આવે છે. જેને વિવિધ જટિલ પ્રક્રિયાઓ બાદ માતાના શરીરમાં રોપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન પુખ્ત ઇંડા માતાના અંડાશયમાંથી એકત્રિત કરવામાં આવે છે અને એક પ્રયોગશાળામાં પિતાના શુક્રાણુઓ દ્વારા મિશ્ચિત કરવામાં આવે છે. તેમાં જે ઇંડા ફળે તેને માતાના ગર્ભાશયમાં સ્થાનાંતરિત થાય છે. આ પ્રક્રિયામાં લગભગ 3 અઠવાડિયા લાગે છે. આ પ્રક્રિયા જોકે સસ્તી નથી અને હંમેશાં 100% પરિણામો આપતી નથી. પરંતુ જો આ ઉપચાર કોઈ સારા અને પ્રમાણિત પ્રજનન ક્લિનિકમાં કરવામાં આવે તો મોટાભાગના યુગલોને સફળ પરિણામ મળે છે.

આ પ્રક્રિયામાં લગભગ 3 અઠવાડિયા લાગે છે
આ પ્રક્રિયામાં લગભગ 3 અઠવાડિયા લાગે છે

નિઃસંતાન દંપતિ માટે ( IVF ) તબીબી માર્ગદર્શન

પ્રજનન મેડિસિન અને શસ્ત્રક્રિયા નિષ્ણાત, હૈદરાબાદના આઈએમએસ ફર્ટિલિટી સેન્ટરમાં ડિરેક્ટર અને મધરહૂડ ફર્ટિલિટી વિભાગના વડા ડો. વૈજયંતી કહે છે કે લોકો સામાન્ય રીતે આઈયુઆઈ અને આઈવીએફ ( IVF ) વિશે ઘણાં મૂંઝવણમાં હોય છે. જો કે આ બંને પદ્ધતિઓ વૈજ્ઞાનિક રીતે એમ્બ્રોયો ઉત્પન્ન કરવાનું કામ કરે છે. પરંતુ આ બે પદ્ધતિઓ સંપૂર્ણપણે અલગ છે. આઈવીએફમાં, પ્રજનન નિષ્ણાતો સ્ત્રીઓના અંડાશયમાંથી ઇંડા લે છે અને પુરુષ શુક્રાણુ સાથે પ્રયોગશાળામાં તેને ફળદ્રુપ કરે છે. આ પ્રક્રિયા પછી પરિણમતો ગર્ભ સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાનાંતરિત થાય છે.

કઇ સમસ્યાઓમાં આઈવીએફ ( IVF ) સારવાર ફાયદેમંદ છે

ફેલોપિયન ટ્યૂબમાં અડચણ

એવું નિઃસંતાનપણું જેનું કારણ જાણી શકાતું નથી.બધી તપાસ નોર્મલ હોવા છતાં ગર્ભધારણમાં સમસ્યા હોય

પુરુષોમાં સ્પર્મ સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને સંખ્યામાં અને ગુણવત્તામાં ઉણપ

મધ્યમ અથવા ગંભીર એન્ડોમેટ્રિયોસિસ

મહિલાઓમાં અંડનિઃસ્સરણ સંબંધી સમસ્યાઓ

ઓવરીમાં સમસ્યાઓ

આશાનું કિરણ જન્માવે છે આઇવીએફ

ડબ્લ્યુએચઓ ( WHO ) મુજબ ભારતમાં પ્રજનન વયના ચારમાંથી એક યુગલને ગર્ભધારણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપણા દેશમાં વંધ્યત્વ અને નપુંસકતાને એક કલંક તરીકે જોવામાં આવે છે. જેના વિશે મોટાભાગના લોકો વાત કરવામાં અચકાતા હોય છે. ડબ્લ્યુએચઓ અનુસાર હાલમાં વિશ્વભરમાં 120 થી 160 મિલિયન યુગલો વંધ્યત્વની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. પરંતુ આ ટેકનીક મોટાભાગના કેસોમાં માતાપિતા બનવાની તક પૂરી પાડે છે. ભારતમાં આઇવીએફનો ( IVF ) સફળતા દર 30% થી 35% છે અને યુવા મહિલાઓ માટે તે 40% છે.

ભારતમાં આઈવીએફને લઇને કાયદા

આઈવીએફ ( IVF ) ભારતમાં કાયદેસર છે પરંતુ હજી સુધી તે માટે કોઈ વિશિષ્ટ કાયદો નથી. ભારતમાં આઈવીએફનું નિયમન ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (એઆરટી) રેગ્યુલેશન બિલ, 2020ને મંજૂરી આપી છે, જે અંતર્ગત આઈવીએફ ( IVF ) દ્વારા જન્મેલા બાળકને શોષણથી બચાવવા માટે કુદરતી જૈવિક બાળક તરીકેના તમામ અધિકારોનો આનંદ માણવાની મંજૂરી આપે છે. આ બિલ ગર્ભમાં આનુવંશિક ખામીઓને ઓળખવા માટે પરીક્ષણો કરાવવાનું ફરજિયાત બનાવે છે, જેથી આ ટેકનીકો દ્વારા જન્મેલા બાળકોને કોઈપણ આનુવંશિક રોગોથી સુરક્ષિત રાખી શકાય.

આ પણ વાંચોઃ નિસંતાન દંપતિઓ માટે IUI અને IVF પદ્ધતી વરદાન રૂપ

આ પણ વાંચોઃ #Mothersday : ભારતના પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ અને IVF સ્પેશિયાલીસ્ટ ડૉ. નયના પટેલની ETV ભારત સાથે ખાસ વાતચીત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.