ETV Bharat / bharat

International Forest Day 2023  : જાણો શું છે આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ અને ઇતિહાસ - શું છે વિશ્વ વન દિવસ 2023ની થીમઃ

નાગરિકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ લાવવા માટે 21 માર્ચે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. માનવીને જીવવા માટે ઓક્સિજનની જરૂર હોય છે, તેમ છતાં માનવીએ આપણા વિકાસ માટે દરરોજ હજારો વૃક્ષોની કતલ કરવાનું બંધ કર્યું નથી.

Etv BharatInternational Forest Day 2023
Etv BharatInternational Forest Day 2023
author img

By

Published : Mar 21, 2023, 10:01 AM IST

અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વન્યજીવ સંપદા અને જંગલની સાથે પ્રાણી અને ઝાડને બચાવવા માટે દર વર્ષે 21 માર્ચે આ દિવસ ઉજવાય છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ જેવી ઘાતક અને વૈશ્વિક સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તેની સામે લડત આપતા એક માત્ર જંગલો બચાવવા માટે આજના આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

શું છે વન દિવસનો ઈતિહાસઃ નાગરિકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ આવે તે જરૂરી હતું. તેથી, સંયુક્ત રાષ્ટ્રએ આ માટે પહેલ કરી. આનો ખ્યાલ 1971માં વિશ્વ ખાદ્ય અને કૃષિ સંગઠનની 23મી બેઠકમાં સામે આવ્યો હતો. ત્યારબાદ 28 નવેમ્બર 2012ના રોજ વિશ્વ વન દિવસની ઉજવણી કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કર્યા પછી 21 માર્ચ 2013ના રોજ પ્રથમ વખત વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધી 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોઃ Hindu Nav Varsh 2023 : હિન્દુ નવું વર્ષ વિક્રમ સંવત 2080 માં કુલ 13 મહિના હશે, જાણો દરેક મહિનાની વિગતો

દર વર્ષે 13 મિલિયન હેક્ટર જંગલનો નાશ થાય છે: માનવીએ તેમના ઔદ્યોગિક વિકાસ માટે જંગલ પર કુહાડી ચલાવી છે. તેથી, સંયુક્ત રાષ્ટ્રના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, દર વર્ષે લગભગ 13 મિલિયન હેક્ટર જંગલનો નાશ થાય છે. માણસ ઓક્સિજન વિના જીવી શકતો નથી. જો કે આપણને આ ઓક્સિજન વૃક્ષોમાંથી મળે છે, પણ માનવીએ ઝાડ પર કુહાડી લગાવી છે. ઘણા ઔદ્યોગિક પ્રોજેક્ટો માટે માણસોએ વૃક્ષોને મારી નાખવાનું શરૂ કર્યું છે. જેના કારણે હજારો એકર જંગલોનો નાશ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ INTERNATIONAL DAY OF HAPPINESS : સુખી નાગરિકો સફળ સમાજનો પાયો છે, જાણો કેમ

શું છે વિશ્વ વન દિવસ 2023ની થીમઃ યુનાઈટેડ નેશન્સ દ્વારા દર વર્ષે જનજાગૃતિ માટે એક થીમ સાથે વિશ્વ વન દિવસનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વ વન દિવસની થીમ વન અને આરોગ્ય છે. 2022માં જંગલ અને ટકાઉ ઉત્પાદન અને વપરાશ હતી.

અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વન્યજીવ સંપદા અને જંગલની સાથે પ્રાણી અને ઝાડને બચાવવા માટે દર વર્ષે 21 માર્ચે આ દિવસ ઉજવાય છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ જેવી ઘાતક અને વૈશ્વિક સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તેની સામે લડત આપતા એક માત્ર જંગલો બચાવવા માટે આજના આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

શું છે વન દિવસનો ઈતિહાસઃ નાગરિકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ આવે તે જરૂરી હતું. તેથી, સંયુક્ત રાષ્ટ્રએ આ માટે પહેલ કરી. આનો ખ્યાલ 1971માં વિશ્વ ખાદ્ય અને કૃષિ સંગઠનની 23મી બેઠકમાં સામે આવ્યો હતો. ત્યારબાદ 28 નવેમ્બર 2012ના રોજ વિશ્વ વન દિવસની ઉજવણી કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કર્યા પછી 21 માર્ચ 2013ના રોજ પ્રથમ વખત વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધી 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોઃ Hindu Nav Varsh 2023 : હિન્દુ નવું વર્ષ વિક્રમ સંવત 2080 માં કુલ 13 મહિના હશે, જાણો દરેક મહિનાની વિગતો

દર વર્ષે 13 મિલિયન હેક્ટર જંગલનો નાશ થાય છે: માનવીએ તેમના ઔદ્યોગિક વિકાસ માટે જંગલ પર કુહાડી ચલાવી છે. તેથી, સંયુક્ત રાષ્ટ્રના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, દર વર્ષે લગભગ 13 મિલિયન હેક્ટર જંગલનો નાશ થાય છે. માણસ ઓક્સિજન વિના જીવી શકતો નથી. જો કે આપણને આ ઓક્સિજન વૃક્ષોમાંથી મળે છે, પણ માનવીએ ઝાડ પર કુહાડી લગાવી છે. ઘણા ઔદ્યોગિક પ્રોજેક્ટો માટે માણસોએ વૃક્ષોને મારી નાખવાનું શરૂ કર્યું છે. જેના કારણે હજારો એકર જંગલોનો નાશ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ INTERNATIONAL DAY OF HAPPINESS : સુખી નાગરિકો સફળ સમાજનો પાયો છે, જાણો કેમ

શું છે વિશ્વ વન દિવસ 2023ની થીમઃ યુનાઈટેડ નેશન્સ દ્વારા દર વર્ષે જનજાગૃતિ માટે એક થીમ સાથે વિશ્વ વન દિવસનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વ વન દિવસની થીમ વન અને આરોગ્ય છે. 2022માં જંગલ અને ટકાઉ ઉત્પાદન અને વપરાશ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.