ETV Bharat / bharat

India Alliance Leaders : વિરોધ પક્ષોના જોડાણ ઇન્ડિયાના 21 સાસંદો રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુને મળ્યાં, કયો હતો મુદ્દો જૂઓ

author img

By

Published : Aug 2, 2023, 3:39 PM IST

વિરોધ પક્ષોના જોડાણ ઇન્ડિયાના સાથી પક્ષોના 21 સાંસદો આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત કરી હતી. આ દરમિયાન આ સાંસદો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મણિપુર ઘટનાની સ્થિતિ વિશે જાણકારી આપવામાં આપી હતી. આપને જણાવીએ કે આ 21 સાંસદો થોડાસમય પહેલાં જ મણિપુરની મુલાકાત લઈને પરત ફર્યા છે.

India Alliance Leaders : વિરોધ પક્ષોના જોડાણ ઇન્ડિયાના 21 સાસંદો રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુને મળ્યાં, કયો હતો મુદ્દો જૂઓ
India Alliance Leaders : વિરોધ પક્ષોના જોડાણ ઇન્ડિયાના 21 સાસંદો રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુને મળ્યાં, કયો હતો મુદ્દો જૂઓ

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે વિપક્ષ પાસેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે સમય માગ્યો હતો. જેથી હિંસાગ્રસ્ત મણિપુરનો મુદ્દો અને ત્યાંની સ્થિતિ તેમની સમક્ષ મૂકી શકાય. સૂત્રોએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન વિપક્ષી દળો તેમની સમક્ષ મણિપુરની ઘટનાને લઇ સ્થિતિ રજૂ કરી હતી.. વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન 'ઇન્ડિયા'ના ઘટક પક્ષોના 21 સાંસદોનું એક પ્રતિનિધિમંડળ 29-30 જુલાઈના રોજ મણિપુરની મુલાકાતે આવ્યું હતું.

દેશ માટે સુરક્ષાની સમસ્યા : ઇન્ડિયા પ્રતિનિધિમંડળે એ વાત પર ભાર મૂક્યો હતો કે જો છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા મણિપુર વંશીય સંઘર્ષની સમસ્યાનો જલ્દી ઉકેલ નહીં આવે તો દેશ માટે સુરક્ષાની સમસ્યા ઊભી થઈ શકે છે.

  • Delhi | I.N.D.I.A. Floor Leaders along with 21 MPs' delegation that visited Manipur met President Droupadi Murmu today to seek her intervention in the matter pic.twitter.com/tgRvweQehR

    — ANI (@ANI) August 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Delhi | I.N.D.I.A. Floor Leaders along with 21 MPs' delegation that visited Manipur met President Droupadi Murmu today to seek her intervention in the matter pic.twitter.com/tgRvweQehR

— ANI (@ANI) August 2, 2023

ચર્ચા કરવાની માગ : કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'ના અન્ય ઘટકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરમાં જાતીય હિંસા મુદ્દે સંસદમાં નિવેદન આપવા અને ચોમાસુ સત્રના પહેલા જ દિવસથી આ મુદ્દે ચર્ચા કરવાની માગ કરી રહ્યા છે.

બંને ગૃહની કાર્યવાહી ખોરવાઇ છે : આ મુદ્દે થયેલા હોબાળાને કારણે બંને ગૃહની કાર્યવાહી અત્યાર સુધી ખોરવાઈ ગઈ છે. મણિપુર હિંસા મુદ્દે સંસદમાં મડાગાંઠ વચ્ચે કોંગ્રેસે ગયા બુધવારે લોકસભામાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

ચર્ચાની તારીખ નક્કી થશે : લોકસભામાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવને ગૃહમાં ચર્ચા માટે મંજૂર કરવામાં આવ્યો હતો. તે દિવસે, ગત બુધવારે જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે તેઓ તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કર્યા બાદ આ પ્રસ્તાવ પર ચર્ચાની તારીખ નક્કી કરશે.

(પીટીઆઈ - ભાષા)

  1. Congress Protest: મણિપુર મામલે વિરોધ કરી રહેલ કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી, તમામ મહિલાઓની અટકાયત
  2. Monsoon session 2023: વિરોધ પક્ષોના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
  3. Supreme Court: મણિપુર કેસમાં સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલ, કહ્યું- મહિલાઓને ટોળાના હવાલે કરનારા પોલીસકર્મીઓની પૂછપરછ થઈ?

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે વિપક્ષ પાસેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે સમય માગ્યો હતો. જેથી હિંસાગ્રસ્ત મણિપુરનો મુદ્દો અને ત્યાંની સ્થિતિ તેમની સમક્ષ મૂકી શકાય. સૂત્રોએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન વિપક્ષી દળો તેમની સમક્ષ મણિપુરની ઘટનાને લઇ સ્થિતિ રજૂ કરી હતી.. વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન 'ઇન્ડિયા'ના ઘટક પક્ષોના 21 સાંસદોનું એક પ્રતિનિધિમંડળ 29-30 જુલાઈના રોજ મણિપુરની મુલાકાતે આવ્યું હતું.

દેશ માટે સુરક્ષાની સમસ્યા : ઇન્ડિયા પ્રતિનિધિમંડળે એ વાત પર ભાર મૂક્યો હતો કે જો છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા મણિપુર વંશીય સંઘર્ષની સમસ્યાનો જલ્દી ઉકેલ નહીં આવે તો દેશ માટે સુરક્ષાની સમસ્યા ઊભી થઈ શકે છે.

  • Delhi | I.N.D.I.A. Floor Leaders along with 21 MPs' delegation that visited Manipur met President Droupadi Murmu today to seek her intervention in the matter pic.twitter.com/tgRvweQehR

    — ANI (@ANI) August 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ચર્ચા કરવાની માગ : કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'ના અન્ય ઘટકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરમાં જાતીય હિંસા મુદ્દે સંસદમાં નિવેદન આપવા અને ચોમાસુ સત્રના પહેલા જ દિવસથી આ મુદ્દે ચર્ચા કરવાની માગ કરી રહ્યા છે.

બંને ગૃહની કાર્યવાહી ખોરવાઇ છે : આ મુદ્દે થયેલા હોબાળાને કારણે બંને ગૃહની કાર્યવાહી અત્યાર સુધી ખોરવાઈ ગઈ છે. મણિપુર હિંસા મુદ્દે સંસદમાં મડાગાંઠ વચ્ચે કોંગ્રેસે ગયા બુધવારે લોકસભામાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

ચર્ચાની તારીખ નક્કી થશે : લોકસભામાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવને ગૃહમાં ચર્ચા માટે મંજૂર કરવામાં આવ્યો હતો. તે દિવસે, ગત બુધવારે જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે તેઓ તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કર્યા બાદ આ પ્રસ્તાવ પર ચર્ચાની તારીખ નક્કી કરશે.

(પીટીઆઈ - ભાષા)

  1. Congress Protest: મણિપુર મામલે વિરોધ કરી રહેલ કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી, તમામ મહિલાઓની અટકાયત
  2. Monsoon session 2023: વિરોધ પક્ષોના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
  3. Supreme Court: મણિપુર કેસમાં સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલ, કહ્યું- મહિલાઓને ટોળાના હવાલે કરનારા પોલીસકર્મીઓની પૂછપરછ થઈ?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.