ETV Bharat / bharat

હાઇકોર્ટમાં સેન્ટ્રલ વિસ્તા કેસ પર સુનાવણી સ્થગિત

author img

By

Published : May 12, 2021, 2:07 PM IST

હાઇકોર્ટમાં સેન્ટ્રલ વિસ્તા કેસ પર સુનાવણી સ્થગિત કરવામાં આવી છેે. આ કેસમાં સુનાવણી પણ 11 મેના રોજ મુલતવી રાખી હતી. આ કેસની સુનાવણી આવતી કાલે એટલે કે 13 મેના રોજ હાથ ધરવામાં આવશે.

સેન્ટ્રલ વિસ્તા કેસ પર સુનાવણી સ્થગિત
સેન્ટ્રલ વિસ્તા કેસ પર સુનાવણી સ્થગિત
  • સેન્ટ્રલ વિસ્તા કેસ પર સુનાવણી સ્થગિત
  • કેસની સુનાવણી 13 મે ના રોજ થશે
  • બાંધકામ ફરજિયાત પ્રવૃત્તિ નથી, તે રોકી શકાય: લુથરા

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ પરની સુનાવણી પણ મુલતવી રાખી છે. આજે મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલની અધ્યક્ષતાવાળી બેન્ચ બેસી ન હતી. જેના કારણે સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ કેસની સુનાવણી આવતી કાલે એટલે કે 13 મે ના રોજ હાથ ધરવામાં આવશે.

કેન્દ્રએ એફિડેવિટ ફાઇલ કરી છે

કોર્ટે આ કેસમાં સુનાવણી પણ 11 મેના રોજ મુલતવી રાખી હતી. કોર્ટને કેન્દ્ર સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે, સરકાર વતી વિગતવાર સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે. સોગંદનામામાં જણાવાયું છે કે, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશ અનુસાર લોકડાઉન પહેલા કામદારો દિલ્હીમાં કામ કરી રહ્યા છે. બાંધકામના કાર્યમાં રોકાયેલા તમામ કામદારો પાસે આરોગ્ય વીમો અને બાંધકામ સાઇટ પર રહેવા સહિતના કોરોનાથી સંબંધિત તમામ સુવિધાઓ છે.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં કોરોનાની સ્થિતિ અંગે અલ્હાબાદ હાઈકોર્ટ નારાજ

અરજી દંડ સાથે નકારી કાઢવાની કરી હતી માગ

કેન્દ્ર સરકારે સોગંદનામામાં જણાવ્યું છે કે, અરજદારે તથ્યો છુપાવ્યા છે. સોગંદનામામાં જણાવાયું છે કે, દિલ્હીમાં 16 સ્થળોએ બાંધકામની પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને તેમ છતાં અરજદારે આ અરજી ફક્ત સેન્ટ્રલ વિસ્તા પર જ ફાઇલ કરી છે. આ તેના હેતુ દર્શાવે છે. કેન્દ્ર સરકારે અરજીને દંડ સાથે રદ્ કરવાની માંગ કરી છે.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં જવા કહ્યું હતું

10 મેના રોજ હાઇકોર્ટે સેન્ટ્રલ વિસ્તામાં બાંધકામના કામને અટકાવવા માંગતી અરજીની સુનાવણી માટે સંમતિ આપી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 10 મેના રોજ એડવોકેટ સિદ્ધાર્થ લુથરાએ મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ વહેલી સુનાવણી માટે આ મામલો થાળે પાડ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો હતો કે, અરજદારના વકીલ સિદ્ધાર્થ લુથરા જાતે અથવા કોઈ અન્ય વકીલ દ્વારા 10 મેના રોજ વહેલી સુનાવણી માટે દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસને વિનંતી કરે. લુથરાએ કહ્યું કે, આ કેસમાં તાકીદની સુનાવણી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દિલ્હી હાઈકોર્ટે આ અંગે વિચારણા કરી કેસની સુનાવણી કરી આદેશ આપવો જોઈએ.

આ પણ વાંચો: કલેક્ટર પાસેથી રેમડેસીવીરની ફાળવણી સતા હાઇકોર્ટે છીનવીને ચીફ સેક્રેટરીને સોંપી

કામદારો પર મંડરાઈ રહ્યું છે કોરોનાનું જોખમ

વકીલ સિદ્ધાર્થ લુથરાએ જણાવ્યું હતું કે, દરરોજના વિલંબથી કામદારોને કોરોનાનું જોખમ રહેલું છે. લુથરાએ કહ્યું હતું કે, આપણે એવી સ્થિતિમાં છીએ કે જ્યાં આરોગ્ય તંત્ર બગડ્યું છે. લોકો મરી રહ્યા છે લુથરાએ કહ્યું હતું કે, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ તમામ બાંધકામો બંધ રાખવાનો આદેશ આપ્યો છે પરંતુ સેન્ટ્રલ વિસ્તામાં કાર્ય ચાલુ છે. લુથરાએ કહ્યું કે, બાંધકામ ફરજિયાત પ્રવૃત્તિ નથી. આ રોકી શકાય છે.

સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્તાને મંજૂરી આપી દીધી છે

સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટને 5 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી. ત્રણ ન્યાયાધીશની બેન્ચે, 2-1 બહુમતીથી ચુકાદો આપતાં, DDA દ્વારા સેન્ટ્રલ વિસ્તા માટે જમીનના ઉપયોગમાં ફેરફાર કરવાનો અધિકાર જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પર્યાવરણીય મંજૂરી મેળવવાની પ્રક્રિયાને ન્યાયી ઠેરવી હતી.

  • સેન્ટ્રલ વિસ્તા કેસ પર સુનાવણી સ્થગિત
  • કેસની સુનાવણી 13 મે ના રોજ થશે
  • બાંધકામ ફરજિયાત પ્રવૃત્તિ નથી, તે રોકી શકાય: લુથરા

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ પરની સુનાવણી પણ મુલતવી રાખી છે. આજે મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલની અધ્યક્ષતાવાળી બેન્ચ બેસી ન હતી. જેના કારણે સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ કેસની સુનાવણી આવતી કાલે એટલે કે 13 મે ના રોજ હાથ ધરવામાં આવશે.

કેન્દ્રએ એફિડેવિટ ફાઇલ કરી છે

કોર્ટે આ કેસમાં સુનાવણી પણ 11 મેના રોજ મુલતવી રાખી હતી. કોર્ટને કેન્દ્ર સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે, સરકાર વતી વિગતવાર સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે. સોગંદનામામાં જણાવાયું છે કે, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશ અનુસાર લોકડાઉન પહેલા કામદારો દિલ્હીમાં કામ કરી રહ્યા છે. બાંધકામના કાર્યમાં રોકાયેલા તમામ કામદારો પાસે આરોગ્ય વીમો અને બાંધકામ સાઇટ પર રહેવા સહિતના કોરોનાથી સંબંધિત તમામ સુવિધાઓ છે.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં કોરોનાની સ્થિતિ અંગે અલ્હાબાદ હાઈકોર્ટ નારાજ

અરજી દંડ સાથે નકારી કાઢવાની કરી હતી માગ

કેન્દ્ર સરકારે સોગંદનામામાં જણાવ્યું છે કે, અરજદારે તથ્યો છુપાવ્યા છે. સોગંદનામામાં જણાવાયું છે કે, દિલ્હીમાં 16 સ્થળોએ બાંધકામની પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને તેમ છતાં અરજદારે આ અરજી ફક્ત સેન્ટ્રલ વિસ્તા પર જ ફાઇલ કરી છે. આ તેના હેતુ દર્શાવે છે. કેન્દ્ર સરકારે અરજીને દંડ સાથે રદ્ કરવાની માંગ કરી છે.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં જવા કહ્યું હતું

10 મેના રોજ હાઇકોર્ટે સેન્ટ્રલ વિસ્તામાં બાંધકામના કામને અટકાવવા માંગતી અરજીની સુનાવણી માટે સંમતિ આપી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 10 મેના રોજ એડવોકેટ સિદ્ધાર્થ લુથરાએ મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ વહેલી સુનાવણી માટે આ મામલો થાળે પાડ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો હતો કે, અરજદારના વકીલ સિદ્ધાર્થ લુથરા જાતે અથવા કોઈ અન્ય વકીલ દ્વારા 10 મેના રોજ વહેલી સુનાવણી માટે દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસને વિનંતી કરે. લુથરાએ કહ્યું કે, આ કેસમાં તાકીદની સુનાવણી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દિલ્હી હાઈકોર્ટે આ અંગે વિચારણા કરી કેસની સુનાવણી કરી આદેશ આપવો જોઈએ.

આ પણ વાંચો: કલેક્ટર પાસેથી રેમડેસીવીરની ફાળવણી સતા હાઇકોર્ટે છીનવીને ચીફ સેક્રેટરીને સોંપી

કામદારો પર મંડરાઈ રહ્યું છે કોરોનાનું જોખમ

વકીલ સિદ્ધાર્થ લુથરાએ જણાવ્યું હતું કે, દરરોજના વિલંબથી કામદારોને કોરોનાનું જોખમ રહેલું છે. લુથરાએ કહ્યું હતું કે, આપણે એવી સ્થિતિમાં છીએ કે જ્યાં આરોગ્ય તંત્ર બગડ્યું છે. લોકો મરી રહ્યા છે લુથરાએ કહ્યું હતું કે, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ તમામ બાંધકામો બંધ રાખવાનો આદેશ આપ્યો છે પરંતુ સેન્ટ્રલ વિસ્તામાં કાર્ય ચાલુ છે. લુથરાએ કહ્યું કે, બાંધકામ ફરજિયાત પ્રવૃત્તિ નથી. આ રોકી શકાય છે.

સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્તાને મંજૂરી આપી દીધી છે

સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટને 5 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી. ત્રણ ન્યાયાધીશની બેન્ચે, 2-1 બહુમતીથી ચુકાદો આપતાં, DDA દ્વારા સેન્ટ્રલ વિસ્તા માટે જમીનના ઉપયોગમાં ફેરફાર કરવાનો અધિકાર જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પર્યાવરણીય મંજૂરી મેળવવાની પ્રક્રિયાને ન્યાયી ઠેરવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.