ન્યુઝ ડેસ્ક: GST પર વધારા (GST Hike on Textile) મુદ્દે કાપડના વેપારીઓ માટે આનંદના સમાચાર છે. નાણાપ્રધાન નીરમલા સીતારમણે (Nirmala sitharaman on GST) જાહેરાત કરી છે કે જીએસટી કાઉન્સિલની બેઠક (GST council meeting)માં કાપડ પર GSTનો દર યથાવટ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા કાપડ પર 12 ટકા GST લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, હવે જૂન દર એટલે કે 5 ટકા GST (GST rate on Textile) દર યથાવત રખાયો છે.
દેશભરના કાપડના વેપારીઓનો વિરોધ
આ નિયમનો દેશભરના કાપડના વેપારીઓએ વિરોધ (Textile merchant protest) કર્યો હતો. હવે પહેલી જાન્યુઆરી 2022થી કાપડ પર જે GST લાગતો હતો તે જ લાગશે. એટલે કે તેમાં વધારો કરવામાં નહીં આવે. રાજ્યો અને ઇન્ડસ્ટ્રીના વિરોધને પગલે GST પર વધારો હાલ ટાળી દેવામાં આવ્યો છે. નાણા મંત્રાલયના GST વધારાના નિર્ણય પર વેપારી વર્ગ નારાજ થઈ દાવો કર્યો હતો કે, તેનાથી વેપાર ઓછો થશે, વિદેશી કપડાનું વેચાણ વધારે થશે અને ટેક્સની ચોરી પણ વધશે.
-
ટેક્ષટાઇલમાં GST 5% યથાવત રહે એ માટે જેમણે મારી સાથે રહી રજૂઆત કરી હતી એવા કેન્દ્રીય રાજ્યકક્ષાનાં ટેક્ષટાઇલ મંત્રી શ્રીમતી @DarshanaJardosh જી, ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને રાજ્યનાં નાણામંત્રી શ્રી @KanuDesai180 જીનો પણ આભાર વ્યક્ત કરું છું.
— C R Paatil (@CRPaatil) December 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ટેક્ષટાઇલમાં GST 5% યથાવત રહે એ માટે જેમણે મારી સાથે રહી રજૂઆત કરી હતી એવા કેન્દ્રીય રાજ્યકક્ષાનાં ટેક્ષટાઇલ મંત્રી શ્રીમતી @DarshanaJardosh જી, ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને રાજ્યનાં નાણામંત્રી શ્રી @KanuDesai180 જીનો પણ આભાર વ્યક્ત કરું છું.
— C R Paatil (@CRPaatil) December 31, 2021ટેક્ષટાઇલમાં GST 5% યથાવત રહે એ માટે જેમણે મારી સાથે રહી રજૂઆત કરી હતી એવા કેન્દ્રીય રાજ્યકક્ષાનાં ટેક્ષટાઇલ મંત્રી શ્રીમતી @DarshanaJardosh જી, ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને રાજ્યનાં નાણામંત્રી શ્રી @KanuDesai180 જીનો પણ આભાર વ્યક્ત કરું છું.
— C R Paatil (@CRPaatil) December 31, 2021
GST વધારાનો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, GST વધારા (GST Hike on Textile)નો ભાર ગ્રાહકો પર આવશે. GST વધારાને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા હતા. ટેક્ષટાઈલસીટી સુરત અને રાજકોટ સહિતના શહેરમાં વેપારીઓએ બંધ પાળીને GST વધારાનો વિરોધ કર્યો હતો. ત્યારે શુક્રવારે એટલે કે આજે GST કાઉન્સિલની 46મી બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
-
કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી સંગઠનોના હિતને ધ્યાનમાં રાખીને જીએસટી કાઉન્સિલે કાપડ પરનો જીએસટી 5% યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
— Darshana Jardosh (@DarshanaJardosh) December 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
આ સંવેદનશીલ નિર્ણય લેવા બદલ મા. પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી અને નાણાંમંત્રી શ્રીમતી @nsitharaman જી નો ખુબ ખુબ આભાર.
">કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી સંગઠનોના હિતને ધ્યાનમાં રાખીને જીએસટી કાઉન્સિલે કાપડ પરનો જીએસટી 5% યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
— Darshana Jardosh (@DarshanaJardosh) December 31, 2021
આ સંવેદનશીલ નિર્ણય લેવા બદલ મા. પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી અને નાણાંમંત્રી શ્રીમતી @nsitharaman જી નો ખુબ ખુબ આભાર.કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી સંગઠનોના હિતને ધ્યાનમાં રાખીને જીએસટી કાઉન્સિલે કાપડ પરનો જીએસટી 5% યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
— Darshana Jardosh (@DarshanaJardosh) December 31, 2021
આ સંવેદનશીલ નિર્ણય લેવા બદલ મા. પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી અને નાણાંમંત્રી શ્રીમતી @nsitharaman જી નો ખુબ ખુબ આભાર.
આ પણ વાંચો: GST Hike on Surat Textiles:ચેમ્બર ઓફ કોમર્સ અને ફિઆસ્વીએ ટેક્સટાઇલ પર GST ટેક્સ રેટને પરત ખેંચવા અરજી