- ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોક્સી ડોમિનિકામાં ગુનાહિત તપાસ વિભાગ (સીઆઈડી)ની કસ્ટડીમાં છે
- હાલમાં ચોક્સી સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
- મેહુલ ચોક્સી ડોમિનિકામાં મળી આવ્યો હતો
એન્ટીગુઆ: ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોક્સી ડોમિનિકામાં ગુનાહિત તપાસ વિભાગ (સીઆઈડી)ની કસ્ટડીમાં છે. આ અંગે મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે, મે તેમના (મેહુલ ચોક્સી) પરિવાર સાથે વાત કરી છે અને તેઓ ખુશ છે અને રાહત અનુભવે છે કે ચોક્સીના ઠેકાણાની હવે ખબર પડી છે. હાલમાં ચોક્સી સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી તેને ડોમિનીકામાં કેવી રીતે લઈ જવામાં આવ્યો તેનું સ્પષ્ટ ચિત્ર મળી શકે.
આ પણ વાંચોઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો ભાગેડુ આરોપી મેહુલ ચોક્સી ગુમ
ગેરકાયદેસર રીતે તેમના દેશમાં પ્રવેશવા બદલ તેને કસ્ટડીમાં લેવા કહ્યું છે
તે જ સમયે, એન્ટિગુઆ પીએમઓએ આ કેસમાં કહ્યું હતું કે, અમે ડોમિનિકન સરકારને ગેરકાયદેસર રીતે તેમના દેશમાં પ્રવેશવા બદલ તેને (ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી) કસ્ટડીમાં લેવા કહ્યું છે અને તેને સીધો ભારત મોકલ્યો છે
ચોક્સીને ડોમિનિકાથી દેશનિકાલ કરવામાં આવશે
એન્ટિગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉન કહે છે કે, તે (મેહુલ ચોક્સી) ડોમિનિકામાં મળી આવ્યો હતો. ત્યાં તેણે ગેરકાયદેસર બોટ દ્વારા પ્રવેશ કર્યો હશે. તેથી ડોમિનિકન સરકાર એન્ટીગુઆ અને ભારત સરકારની સાથે સહયોગ આપી રહી છે. ચોક્સીને ડોમિનિકાથી દેશનિકાલ કરવામાં આવશે.
ડોમિનીકન સરકાર સાથે તેને ભારત પાછા લાવવાની વ્યવસ્થા કરવામાં આવે
અમે ડોમિનીકાના વડાપ્રધાન સ્કેરિટ અને કાયદા અમલીકરણને વિનંતી કરી છે કે, તેમને (મેહુલ ચોક્સી) એન્ટિગુઆમાં પાછા ન લાવવા, જ્યાં તેમને નાગરિક તરીકે કાયદેસર અને બંધારણીય સુરક્ષા પ્રાપ્ત છે. અમે તેમને વિનંતી કરી છે કે, તેને અટકાયત કરવામાં આવે અને ડોમિનીકન સરકાર સાથે તેને ભારત પાછા લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.
ડોમિનિકન સરકાર અને કાયદા અમલીકરણ સહયોગ આપી રહ્યા છે
તેમણે કહ્યું કે, ડોમિનિકા (મેહુલ ચોક્સીના સ્વદેશ માટે) સંમત થયું છે. અમે તેને પાછા સ્વીકારીશું નહીં. તેઓએ ટાપુ છોડીને એક મોટી ભૂલ કરી છે. ડોમિનિકન સરકાર અને કાયદા અમલીકરણ સહયોગ આપી રહ્યા છે અને અમે ભારત સરકારને તેને પાછો ભારત લાવવા જાણ કરી છે. મને ખબર નથી કે તે ડોમિનિકાનો નાગરિક છે અને તેને બંધારણીય સંરક્ષણ મેળવ્યું છે, તેથી ડોમિનીકા માટે આ આધાર પર તેમને દેશનિકાલ કરવો સહેલું રહેશે.
અન્ય કોઈ દેશના અન્ય નાગરિકની જેમ, અહીં કાયદેસરથી રહી રહ્યો છે
વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને વધુમાં કહ્યું કે, અમે આ ખાતરી કરવા માટે ચર્ચા કરી રહ્યા છે કે તેને ભારત પાછો મોકલવામાં આવે. તે (ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીનો પરિવાર) ગુનેગાર નથી અથવા તેઓએ ગેરકાયદેસર કંઈપણ કર્યું નહી હોય. તે, અન્ય કોઈ દેશના અન્ય નાગરિકની જેમ, અહીં કાયદેસરથી રહી રહ્યો છે.
રવિવારથી પોલીસ તેની શોધમાં હતી
જણાવવામાં આવ્યુ છે કે, એન્ટિગુઆ અને બાર્બુડામાં રહેતા ફરાર હીરા ઉદ્યોગપતિ તાજેતરમાં ગુમ થયા હતા અને રવિવારથી પોલીસ તેની શોધમાં હતી. નોંધનીય છે કે, ચોક્સી પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે રૂપિયા 13,500 કરોડના કથિત છેતરપિંડીના કેસમાં વોન્ટેડ છે. અગાઉ, એન્ટિગુઆ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચોક્સીને છેલ્લે રવિવારે તેમની કારમાં જોયો હતો. પોલીસે કાર રિકવર કરી હતી, પરંતુ ચોક્સી વિશે કંઇ જાણી શકાયું નથી.
પરિવાર તેમની સુરક્ષાને લઇને ચિંતિત છે
ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે તેમના ગ્રાહકના ગુમ થયાના સમાચારની પુષ્ટિ કરી હતી. અગ્રવાલે કહ્યું, 'એન્ટિગુઆ પોલીસે તેની શોધ શરૂ કરી દીધી છે. પરિવાર તેમની સુરક્ષાને લઇને ચિંતિત છે. અમે તમામ સમાચાર પર નજર રાખી છે.
જાહેર થઇ ચૂકી છે રેડ કોર્નર નોટિસ
અધિકારીઓએ મંગળવારે કહ્યું કે, તેઓ ચોક્સી પરના આરોપોની તપાસ કરી રહ્યા છે. સીબીઆઈ આ અહેવાલોને 'ઔપચારિક અને અનૌપચારિક' માધ્યમથી ચકાસી રહી છે. ઇન્ટરપોલે એજન્સીની વિનંતી પર તેમની સામે 'રેડ કોર્નર નોટિસ' પણ જારી કરી હતી.
એન્ટિગુઆ પોલીસે રવિવારે ચોક્સીના ગાયબ થવા અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું
એન્ટિગુઆ પોલીસે રવિવારે ચોક્સીના ગાયબ થવા અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. પોલીસે રવિવારે તેની શોધ શરૂ કરી હતી અને તેની ફોટા સાથે નિવેદન બહાર પાડ્યું હતું, જેથી તેના વિશે લોકો પાસેથી માહિતી મેળવી શકાય.
પોલીસ કરી રહી છે તપાસ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પોલીસ જોલી હાર્બરના રહેવાસી 62 વર્ષીય મેહુલ ચોક્સીના ગુમ થયાની તપાસ કરી રહી છે." ચોક્સી ગુમ થયાની ફરિયાદ જ્હોન્સન પોઇન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 20મે 2021ને રવિવારથી તે ગુમ હતો.
પોલીસ 'ભારતીય ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને શોધી કાઢવાની કોશિશ કરી રહી છે
સ્થાનિક મીડિયા સંસ્થા 'એન્ટિગ્યુઆ ન્યુઝરૂમ' એ મંગળવારે પોલીસ કમિશનર એટલી રોડનીને ટાંકીને જણાવ્યું છે કે, પોલીસ 'ભારતીય ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને શોધી કાઢવાની કોશિશ કરી રહી છે', જેના ગુમ થયાની ઘટના પ્રકાશમાં આવી રહી છે.
તેનું વાહન મળી આવ્યું હતું પરંતુ ચોક્સીની કોઇ જાણકારી મળી નથી
સમાચાર અનુસાર, એન્ટિગુઆ અને બાર્બુડાનું નાગરિકત્વ લઈ ચૂકેલા ચોક્સીને રવિવારે દક્ષિણ વિસ્તારમાં વાહન ચલાવતો જોયો હતો. બાદમાં તેનું વાહન મળી આવ્યું હતું પરંતુ ચોક્સીની કોઇ જાણકારી મળી નથી.
આ પણ વાંચોઃ કૌભાંડી નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર EDનો સકંજો, કરોડોની કિંમતના હીરા અને મોતી વિદેશથી લવાયા
2018માં ભારતથી ભાગી ગયો હતો
ચોક્સીએ જાન્યુઆરી 2018માં ભારતમાંથી ભાગતા પહેલા 2017માં કેરેબિયાઇ ટાપુ રાષ્ટ્ર એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા મેળવી હતી. ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના કેટલાક બેંક અધિકારીઓની સાથે મળીને આશરે 13,000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.