ETV Bharat / bharat

Anantnag Encounter :અનંતનાગમાં ત્રીજા દિવસે પણ એન્કાઉન્ટર યથાવત, સુરક્ષા દળોએ લશ્કરના બે આતંકવાદીઓને ઘેરી લીધા

બુધવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની બે અલગ-અલગ અથડામણ થઈ હોવાની વિગતો સામે આવી હતી. જેમાં આર્મી કર્નલ, એક મેજર, એક પોલીસ અધિકારી, એક સૈનિક અને એક SPOના શહીદ થયા હતા. જે બાદ અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. જાણો તમામ માહિતી આ અહેવાલમાં.

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 3:20 PM IST

અનંતનાગમાં ત્રીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ, સુરક્ષા દળોએ લશ્કરના બે આતંકવાદીઓને ઘેરી લીધા
અનંતનાગમાં ત્રીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ, સુરક્ષા દળોએ લશ્કરના બે આતંકવાદીઓને ઘેરી લીધા

અનંતનાગ: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે એટલે કે આજે પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. છેલ્લા ત્રણ દિવસથી આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોના ત્રણ અધિકારીઓ અને એક જવાન શહીદ થયા છે. પોલીસે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ઉચ્ચ વિસ્તારોમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઘેરી લેવાનો દાવો કર્યો છે. ગડોલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે શુક્રવારે સૂર્યોદય પહેલા ગોળીબાર અને વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. મળતી માહિતી મુજબ આખી રાત બંને તરફથી ગોળીબાર થંભી ગયો હતો.

આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો: પોલીસે આપેલી માહિતી અનુસાર આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઇનપુટને પગલે બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે અનંતનાગના કોકરનાગના ગડોલ જંગલોમાં સુરક્ષા દળો અને છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. શુક્રવારે એટલે કે આજે સવારે અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગડોલ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે વધારાના દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે હેલિકોપ્ટર દ્વારા ગડોલના જંગલો પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો: પ્રારંભિક ગોળીબારમાં આર્મી કર્નલ, એક મેજર અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક શ્રીનગરમાં આર્મીની 92-બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું.સેના અને પોલીસ જવાનોએ વિસ્તારની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. અધિકારીએ કહ્યું કે સેના અને પોલીસ સંયુક્ત રીતે આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

કમાન્ડર અરવિંદની ધરપકડ: થોડા દિવસો પહેલા ઝારખંડ-બિહાર બોર્ડર પર સક્રિય ટોચના માઓવાદી કમાન્ડર અરવિંદ ભુઈયા ઉર્ફે મુખિયાની સુરક્ષા દળોએ બિહારથી ધરપકડ કરી હતી. અરવિંદ ભુઈયા ઉર્ફે મુખિયા પાસેથી પોલીસ અને સુરક્ષા દળોએ AK 47 સહિત આધુનિક હથિયારો જપ્ત કર્યા હતા. ઝારખંડ સરકારે અરવિંદ ભુઈયા પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું બિહાર સરકારે અરવિંદ માટે અલગ ઈનામની જાહેરાત કરી હતી. અરવિંદ બિહારના ગયા જિલ્લાના સલૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના વિરાજ ગામનો રહેવાસી છે.

  1. Jammu Kashmir News: પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
  2. Jharkhand News : સુરક્ષા દળો માટે મોટી સફળતા, માઓવાદી કમાન્ડર અરવિંદની ધરપકડ
  3. Manipur Violence: મણિપુરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 40 આતંકવાદીઓ ઠાર, CM બિરેન સિંહે આપી માહિતી

અનંતનાગ: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે એટલે કે આજે પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. છેલ્લા ત્રણ દિવસથી આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોના ત્રણ અધિકારીઓ અને એક જવાન શહીદ થયા છે. પોલીસે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ઉચ્ચ વિસ્તારોમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઘેરી લેવાનો દાવો કર્યો છે. ગડોલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે શુક્રવારે સૂર્યોદય પહેલા ગોળીબાર અને વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. મળતી માહિતી મુજબ આખી રાત બંને તરફથી ગોળીબાર થંભી ગયો હતો.

આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો: પોલીસે આપેલી માહિતી અનુસાર આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઇનપુટને પગલે બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે અનંતનાગના કોકરનાગના ગડોલ જંગલોમાં સુરક્ષા દળો અને છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. શુક્રવારે એટલે કે આજે સવારે અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગડોલ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે વધારાના દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે હેલિકોપ્ટર દ્વારા ગડોલના જંગલો પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો: પ્રારંભિક ગોળીબારમાં આર્મી કર્નલ, એક મેજર અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક શ્રીનગરમાં આર્મીની 92-બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું.સેના અને પોલીસ જવાનોએ વિસ્તારની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. અધિકારીએ કહ્યું કે સેના અને પોલીસ સંયુક્ત રીતે આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

કમાન્ડર અરવિંદની ધરપકડ: થોડા દિવસો પહેલા ઝારખંડ-બિહાર બોર્ડર પર સક્રિય ટોચના માઓવાદી કમાન્ડર અરવિંદ ભુઈયા ઉર્ફે મુખિયાની સુરક્ષા દળોએ બિહારથી ધરપકડ કરી હતી. અરવિંદ ભુઈયા ઉર્ફે મુખિયા પાસેથી પોલીસ અને સુરક્ષા દળોએ AK 47 સહિત આધુનિક હથિયારો જપ્ત કર્યા હતા. ઝારખંડ સરકારે અરવિંદ ભુઈયા પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું બિહાર સરકારે અરવિંદ માટે અલગ ઈનામની જાહેરાત કરી હતી. અરવિંદ બિહારના ગયા જિલ્લાના સલૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના વિરાજ ગામનો રહેવાસી છે.

  1. Jammu Kashmir News: પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
  2. Jharkhand News : સુરક્ષા દળો માટે મોટી સફળતા, માઓવાદી કમાન્ડર અરવિંદની ધરપકડ
  3. Manipur Violence: મણિપુરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 40 આતંકવાદીઓ ઠાર, CM બિરેન સિંહે આપી માહિતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.