ETV Bharat / bharat

જાણો ગોવર્ધન પૂજાના દિવસે શું કરવું અને શું ન કરવું

author img

By

Published : Oct 23, 2022, 8:50 AM IST

ગોવર્ધન પૂજા (Govardhan Puja 2022) એ દિવાળી પર્વનો ચોથો તહેવાર છે. અન્ય તહેવારોની જેમ તેનું પણ વિશેષ મહત્વ છે. ગોવર્ધન પૂજાના દિવસે ઘણી બધી બાબતોનું ધ્યાન (Govardhan Puja Tips) રાખવું જરૂરી છે. તો જ તેનો યોગ્ય લાભ મળે છે.

જાણો ગોવર્ધન પૂજાના દિવસે શું કરવું અને શું ન કરવું
જાણો ગોવર્ધન પૂજાના દિવસે શું કરવું અને શું ન કરવું

ન્યૂઝ ડેસ્ક: દિવાળીના એક દિવસ પછી ગોવર્ધન પૂજા (Govardhan Puja 2022) ભારતના મુખ્ય ભાગોમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દિવાળીના તહેવારોમાં આ ચોથો તહેવાર છે. અન્ય તહેવારોની જેમ તેનું પણ વિશેષ મહત્વ છે. ગોવર્ધન પૂજાના દિવસે ઘણી બધી બાબતોનું ધ્યાન (Govardhan Puja Tips) રાખવું જરૂરી છે. તો જ તેનો યોગ્ય લાભ મળે છે.

ગોવર્ધન પૂજા: ગોવર્ધન પૂજા ક્યારેય બંધ રૂમમાં ન કરવી જોઈએ. બંધ રૂમમાં પૂજા કરવી એ ખૂબ જ અશુભ સંકેત કહેવાય છે. ગોવર્ધન પૂજાનો આ તહેવાર માતા ગાય અને પ્રકૃતિ સાથે જોડાયેલો છે. આ દિવસે ગાય, છાણ અને ગોબરની ઉપયોગીતા જણાવવામાં આવે છે. આ દિવસે માતા ગાયના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. ભગવાન કૃષ્ણને ગોપાલ કહેવા પાછળની આ માન્યતા છે, કારણ કે તેઓ ગાય અને વાછરડા પાળતા હતા. જો તેના વાછરડાની પૂજા ગાય સાથે કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગોવર્ધન પૂજાના દિવસે ગંદા કપડા ન પહેરવા. જો તમે નવા કપડાં ખરીદી શકતા નથી, તો ગોવર્ધન પૂજા અને ગોવર્ધન પરિક્રમા સ્વચ્છ વસ્ત્રોમાં કરો. ગોવર્ધન પૂજા પરિવારના સભ્યોએ સાથે મળીને કરવી જોઈએ. અલગથી પૂજા કરવી અશુભ માનવામાં આવે છે.

ગોવર્ધન પરિક્રમા: ગોવર્ધન પૂજાના દિવસે કાળા અને લાલ કપડા ન પહેરવા જોઈએ. આ દિવસે હળવા પીળા કે, કેસરી રંગના કપડા પહેરવા ખૂબ જ શુભ છે. જો શક્ય હોય તો ગોવર્ધન પૂજાના દિવસે ગોવર્ધન પરિક્રમા ખુલ્લા પગે કરો. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન લોકોને રાહત મળે છે. ગોવર્ધન પરિક્રમાને ક્યારેય અધૂરી ન છોડો. ગોવર્ધન પરિક્રમા અધવચ્ચે છોડી દેવી એ અશુભ માનવામાં આવે છે. ગોવર્ધન પૂજાના દિવસે દારૂ કે, માંસનું સેવન ન કરવું. ગોવર્ધન પૂજા દરમિયાન તેનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે.

ન્યૂઝ ડેસ્ક: દિવાળીના એક દિવસ પછી ગોવર્ધન પૂજા (Govardhan Puja 2022) ભારતના મુખ્ય ભાગોમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દિવાળીના તહેવારોમાં આ ચોથો તહેવાર છે. અન્ય તહેવારોની જેમ તેનું પણ વિશેષ મહત્વ છે. ગોવર્ધન પૂજાના દિવસે ઘણી બધી બાબતોનું ધ્યાન (Govardhan Puja Tips) રાખવું જરૂરી છે. તો જ તેનો યોગ્ય લાભ મળે છે.

ગોવર્ધન પૂજા: ગોવર્ધન પૂજા ક્યારેય બંધ રૂમમાં ન કરવી જોઈએ. બંધ રૂમમાં પૂજા કરવી એ ખૂબ જ અશુભ સંકેત કહેવાય છે. ગોવર્ધન પૂજાનો આ તહેવાર માતા ગાય અને પ્રકૃતિ સાથે જોડાયેલો છે. આ દિવસે ગાય, છાણ અને ગોબરની ઉપયોગીતા જણાવવામાં આવે છે. આ દિવસે માતા ગાયના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. ભગવાન કૃષ્ણને ગોપાલ કહેવા પાછળની આ માન્યતા છે, કારણ કે તેઓ ગાય અને વાછરડા પાળતા હતા. જો તેના વાછરડાની પૂજા ગાય સાથે કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગોવર્ધન પૂજાના દિવસે ગંદા કપડા ન પહેરવા. જો તમે નવા કપડાં ખરીદી શકતા નથી, તો ગોવર્ધન પૂજા અને ગોવર્ધન પરિક્રમા સ્વચ્છ વસ્ત્રોમાં કરો. ગોવર્ધન પૂજા પરિવારના સભ્યોએ સાથે મળીને કરવી જોઈએ. અલગથી પૂજા કરવી અશુભ માનવામાં આવે છે.

ગોવર્ધન પરિક્રમા: ગોવર્ધન પૂજાના દિવસે કાળા અને લાલ કપડા ન પહેરવા જોઈએ. આ દિવસે હળવા પીળા કે, કેસરી રંગના કપડા પહેરવા ખૂબ જ શુભ છે. જો શક્ય હોય તો ગોવર્ધન પૂજાના દિવસે ગોવર્ધન પરિક્રમા ખુલ્લા પગે કરો. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન લોકોને રાહત મળે છે. ગોવર્ધન પરિક્રમાને ક્યારેય અધૂરી ન છોડો. ગોવર્ધન પરિક્રમા અધવચ્ચે છોડી દેવી એ અશુભ માનવામાં આવે છે. ગોવર્ધન પૂજાના દિવસે દારૂ કે, માંસનું સેવન ન કરવું. ગોવર્ધન પૂજા દરમિયાન તેનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.