- ઓક્સિજનની અછત મામલે દિલ્હીની સ્થિતિ સુધરી
- કેન્દ્ર સરકાર તરફથી 5 મેના રોજ પ્રથમ વખત 730 ટન ઓક્સિજન સપ્લાય મળ્યો
- એક દિવસમાં મળેલા પુરવઠામાં સૌથી વધુ
નવી દિલ્હી: ઓક્સિજનની અછત સાથે સતત સંઘર્ષ કરી રહેલા દિલ્હીની સ્થિતિ હવે સુધરતી જણાય છે. દિલ્હીને કેન્દ્ર સરકાર તરફથી 5 મેના રોજ પ્રથમ વખત 730 ટન ઓક્સિજન સપ્લાય મળ્યો હતો. આ હજુ પણ એક દિવસમાં મળેલા પુરવઠામાં સૌથી વધુ છે.
આ પણ વાંચો : મુખ્યપ્રધાન કેજરીવાલે કોરોનાના વધતા જતા કેસો પર સમીક્ષા બેઠક યોજી
દિલ્હીની ઓક્સિજનની જરૂરિયાત વધીને 976 ટન થઈ
અત્રે જણાવી દઈએ કે, દિલ્હી સરકાર શરૂઆતથી જ માગ કરી રહી છે કે, દિલ્હીની ઓક્સિજનની જરૂરિયાત દરરોજ 700 ટનથી વધુ છે. જોકે હવે આ જરૂરિયાત વધીને 976 ટન થઈ ગઈ છે.
આ પણ વાંચો : ઓટો રિક્ષા-ટેક્સીચાલકોને 5,000 રૂપિયા મળશે: મુખ્યપ્રધાન કેજરીવાલ
દરરોજ મળે છે આટલો પુરવઠો
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એક દિવસમાં મળેલા આટલા પુરવઠા બદલ વડા પ્રધાન મોદીનોઆભાર માન્યો છે. મુખ્યપ્રધાને આ અંગે વડા પ્રધાનને પત્ર લખ્યો છે. વડા પ્રધાનને લખેલા પત્રમાં મુખ્યપ્રધાન કેજરીવાલે જણાવ્યું છે કે, 'દિલ્હી દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ કરે છે. અમે કેન્દ્ર સરકારને સતત પ્રાર્થના કરી રહ્યા હતા કે, અમને આટલી ઓક્સિજન સપ્લાય આપવામાં આવે.