ETV Bharat / bharat

દિલ્હી હાઇકોર્ટ : કેદીઓની પરિવાર સાથેની બેઠકોમાં વધારો કરી શકાય

author img

By

Published : Apr 14, 2021, 1:00 PM IST

દિલ્હી હાઈકોર્ટે જેલ પ્રશાસનને પૂછ્યું કે, શું કેદીઓની તેમના પરિવારજનો અને વકીલો સાથે મુલાકાતની સંખ્યા દર મહિને ત્રણથી વધીને ચાર થઈ શકે છે. કોર્ટે કહ્યું કે, એવું બને છે કે દરેક કેદીના પરિવારના સભ્યો પાસે ડિજિટલ મીટિંગ માટે જરૂરી ઉપકરણ અને ઇન્ટરનેટ કનેક્શન ન હોય તેથી શારીરિક મીટિંગની શક્યતા શોધવા માટે નિર્દેશ આપ્યો છે.

દિલ્હી હાઇકોર્ટ
દિલ્હી હાઇકોર્ટ
  • દિલ્હી હાઈકોર્ટે જેલ પ્રશાસનને સવાલ કર્યા
  • કેદીઓની પરિવારજનો અને વકીલો સાથે મુલાકાત ત્રણથી ચાર થઇ શકે
  • ડિજિટલ મીટિંગ માટે જરૂરી ઉપકરણ અને ઇન્ટરનેટ કનેક્શન ન હોવાની શક્યતા

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે જેલ પ્રશાસનને પૂછ્યું કે, શું કેદીઓની તેમના પરિવારજનો અને વકીલો સાથે મળનારા સંખ્યા દર મહિને ત્રણથી ચાર થઈ શકે છે. આ સાથે કોર્ટે જેલના વહીવટીતંત્રને ડિજિટલ મીટિંગને બદલે શારીરિક મીટિંગની શક્યતા શોધવા માટે નિર્દેશ આપ્યો છે.

જેલ પરિસરમાં અંતર સુરક્ષા કવચ લગાવી જેલ પરિસરની અંદર બેઠક યોજી શકાય

ન્યાયાધીશ પ્રતિભા એમ સિંહે પોલીસ ડિરેક્ટર જનરલ (જેલ)ને પણ પૂછ્યું કે, શું જેલના પરિસરમાં એકબીજા વચ્ચે અંતર સુરક્ષા કવચ લગાવી જેલ પરિસરની અંદર બેઠક યોજી શકાય છે. કેમ કે, દરેક માટે ડિજિટલ મીટિંગ વ્યવહારિક નથી હોતી.

શારીરિક મીટિંગની પ્રાયોગિકતાની ખાતરી કરવા જણાવ્યું

કોર્ટે કહ્યું છે કે, એવું બની શકે કે, દરેક કેદીના પરિવારના સભ્યો પાસે ડિજિટલ મીટિંગ માટે જરૂરી ઉપકરણ અને ઇન્ટરનેટ કનેક્શન નઇ હોય. તેથી શારીરિક મીટિંગની પ્રાયોગિકતાની ખાતરી કરવી જોઈએ.

આ પણ વાંચો : વોટ્સએપની નવી પોલિસીથી વાંધો હોય તો તેનો ઉપયોગ ન કરો: દિલ્હી હાઈકોર્ટ

પહેલા મહિના સુધી આઠ બેઠકો થઈ

પોલીસ ડાયરેક્ટર જનરલ (જેલ) માટે હાજર રહેતાં દિલ્હી સરકારના અધિક કાયમી વકીલ ગૌતમ નારાયણે કોર્ટને જણાવ્યું હતું કે, પહેલા મહિના સુધી આઠ બેઠકો થઈ હતી. પરંતુ કોવિડ-19 રોગચાળા વચ્ચે તે ઘટાડીને ત્રણ કરી દેવામાં આવી હતી તેને પણ ડિજિટલ મુલાકાત કરી દીધી હતી.

પરિસ્થિતિ સુધારવા માટે પાછળથી શારીરિક બેઠક શરૂ કરાઇ

તેમણે કહ્યું કે, પરિસ્થિતિ સુધારવા માટે પાછળથી શારીરિક બેઠક શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોવિડ-19ના કેસ વધતાં એપ્રિલમાં ફરીથી તેને અટકાવી દેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, હવે તેમને જેલ પ્રશાસન તરફથી કોર્ટ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના સંદર્ભમાં સૂચના મળશે.

આ પણ વાંચો : દિલ્હી હિંસા: હાઈ કોર્ટે દેવાંગન કલીતાની જામીન અરજીનો નિર્ણય સુરક્ષિત રાખ્યો

તિહાર જેલના કમ્પ્યુટર સેન્ટરમાં કમ્પ્યુટર ચાલુ કરી શકાય

કોર્ટે પણ સવાલ કર્યો કે, શું તિહાર જેલના કમ્પ્યુટર સેન્ટરમાં કમ્પ્યુટર ચાલુ કરી શકાય છે. જેથી કેદી પોલીસ, નિચલી અદાલત, ઉચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટની વેબસાઇટની મુલાકાત લઈ શકે અને તેમના કેસો અને પ્રાથમિકતા પર નજર રાખી શકે. તેમણે પોલીસ મહાનિદેશક (જેલ)ને જેલના કાનૂની સહાય રૂમમાં ઇન્ટરનેટ કનેક્શન સાથેના કમ્પ્યુટર્સ પ્રદાન કરવા જણાવ્યું હતું. જેથી કાનૂની સહાયતા વકીલ કેદીઓને તેમના કેસની સ્થિતિ જાણવા માટે મદદ કરી શકશે.

JNUના બે વિદ્યાર્થીઓએ કોર્ટ સમક્ષ આ મુદ્દાઓ ઉઠાવ્યા

પોલીસ મહાનિદેશક (જેલ)ને JNUના બે વિદ્યાર્થી નતાશા નરવાલ અને દેવાંગના કાલિતાએ જ્યારે કોર્ટ સમક્ષ આ મુદ્દાઓ ઉઠાવ્યા ત્યારે આ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. બંન્ને પાંજડા તોડના કાર્યકરો છે અને તેઓ ઉત્તર-પૂર્વ દિલ્હીના તોફાનોના મામલે જેલમાં છે.

  • દિલ્હી હાઈકોર્ટે જેલ પ્રશાસનને સવાલ કર્યા
  • કેદીઓની પરિવારજનો અને વકીલો સાથે મુલાકાત ત્રણથી ચાર થઇ શકે
  • ડિજિટલ મીટિંગ માટે જરૂરી ઉપકરણ અને ઇન્ટરનેટ કનેક્શન ન હોવાની શક્યતા

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે જેલ પ્રશાસનને પૂછ્યું કે, શું કેદીઓની તેમના પરિવારજનો અને વકીલો સાથે મળનારા સંખ્યા દર મહિને ત્રણથી ચાર થઈ શકે છે. આ સાથે કોર્ટે જેલના વહીવટીતંત્રને ડિજિટલ મીટિંગને બદલે શારીરિક મીટિંગની શક્યતા શોધવા માટે નિર્દેશ આપ્યો છે.

જેલ પરિસરમાં અંતર સુરક્ષા કવચ લગાવી જેલ પરિસરની અંદર બેઠક યોજી શકાય

ન્યાયાધીશ પ્રતિભા એમ સિંહે પોલીસ ડિરેક્ટર જનરલ (જેલ)ને પણ પૂછ્યું કે, શું જેલના પરિસરમાં એકબીજા વચ્ચે અંતર સુરક્ષા કવચ લગાવી જેલ પરિસરની અંદર બેઠક યોજી શકાય છે. કેમ કે, દરેક માટે ડિજિટલ મીટિંગ વ્યવહારિક નથી હોતી.

શારીરિક મીટિંગની પ્રાયોગિકતાની ખાતરી કરવા જણાવ્યું

કોર્ટે કહ્યું છે કે, એવું બની શકે કે, દરેક કેદીના પરિવારના સભ્યો પાસે ડિજિટલ મીટિંગ માટે જરૂરી ઉપકરણ અને ઇન્ટરનેટ કનેક્શન નઇ હોય. તેથી શારીરિક મીટિંગની પ્રાયોગિકતાની ખાતરી કરવી જોઈએ.

આ પણ વાંચો : વોટ્સએપની નવી પોલિસીથી વાંધો હોય તો તેનો ઉપયોગ ન કરો: દિલ્હી હાઈકોર્ટ

પહેલા મહિના સુધી આઠ બેઠકો થઈ

પોલીસ ડાયરેક્ટર જનરલ (જેલ) માટે હાજર રહેતાં દિલ્હી સરકારના અધિક કાયમી વકીલ ગૌતમ નારાયણે કોર્ટને જણાવ્યું હતું કે, પહેલા મહિના સુધી આઠ બેઠકો થઈ હતી. પરંતુ કોવિડ-19 રોગચાળા વચ્ચે તે ઘટાડીને ત્રણ કરી દેવામાં આવી હતી તેને પણ ડિજિટલ મુલાકાત કરી દીધી હતી.

પરિસ્થિતિ સુધારવા માટે પાછળથી શારીરિક બેઠક શરૂ કરાઇ

તેમણે કહ્યું કે, પરિસ્થિતિ સુધારવા માટે પાછળથી શારીરિક બેઠક શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોવિડ-19ના કેસ વધતાં એપ્રિલમાં ફરીથી તેને અટકાવી દેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, હવે તેમને જેલ પ્રશાસન તરફથી કોર્ટ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના સંદર્ભમાં સૂચના મળશે.

આ પણ વાંચો : દિલ્હી હિંસા: હાઈ કોર્ટે દેવાંગન કલીતાની જામીન અરજીનો નિર્ણય સુરક્ષિત રાખ્યો

તિહાર જેલના કમ્પ્યુટર સેન્ટરમાં કમ્પ્યુટર ચાલુ કરી શકાય

કોર્ટે પણ સવાલ કર્યો કે, શું તિહાર જેલના કમ્પ્યુટર સેન્ટરમાં કમ્પ્યુટર ચાલુ કરી શકાય છે. જેથી કેદી પોલીસ, નિચલી અદાલત, ઉચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટની વેબસાઇટની મુલાકાત લઈ શકે અને તેમના કેસો અને પ્રાથમિકતા પર નજર રાખી શકે. તેમણે પોલીસ મહાનિદેશક (જેલ)ને જેલના કાનૂની સહાય રૂમમાં ઇન્ટરનેટ કનેક્શન સાથેના કમ્પ્યુટર્સ પ્રદાન કરવા જણાવ્યું હતું. જેથી કાનૂની સહાયતા વકીલ કેદીઓને તેમના કેસની સ્થિતિ જાણવા માટે મદદ કરી શકશે.

JNUના બે વિદ્યાર્થીઓએ કોર્ટ સમક્ષ આ મુદ્દાઓ ઉઠાવ્યા

પોલીસ મહાનિદેશક (જેલ)ને JNUના બે વિદ્યાર્થી નતાશા નરવાલ અને દેવાંગના કાલિતાએ જ્યારે કોર્ટ સમક્ષ આ મુદ્દાઓ ઉઠાવ્યા ત્યારે આ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. બંન્ને પાંજડા તોડના કાર્યકરો છે અને તેઓ ઉત્તર-પૂર્વ દિલ્હીના તોફાનોના મામલે જેલમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.