ETV Bharat / bharat

બિજનોરમાં મહિલા પોતાના 3 બાળકો સાથે કેનાલમાં કૂદી

બિજનોરમાં પતિ અને પત્ની વચ્ચેના નજીવા ઝઘડાને કારણે પત્ની તેના ત્રણ માસૂમ બાળકો સાથે કેનાલમાં કૂદી પડી હતી. પોલીસ તેમજ તેમની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ વર્ષીય બાળકને કેનાલમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. હવે, પોલીસ કર્મચારી બાકીના 2 બાળકો અને માતાની શોધ કરી રહ્યા છે.

author img

By

Published : Aug 25, 2020, 6:56 PM IST

બિજનોરમાં મહિલાએ 3 બાળકો સાથે કેનાલમાં કુદી જીવ ટૂંકાવ્યો
બિજનોરમાં મહિલાએ 3 બાળકો સાથે કેનાલમાં કુદી જીવ ટૂંકાવ્યો

બિજનોર (ઉત્તર પ્રદેશ): સુનિતા નામની મહિલા બિજનોરના કીરતપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ભૈરકી કેનાલમાં આજે તેના ત્રણ માસૂમ બાળકો સાથે કૂદી પડી હતી. કારણ કે, સુનિતા તેના પતિ ગૌરવ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. તે પોતાની સાથે ત્રણ વર્ષીય બાળક, 5 વર્ષીય બાળક અને 3 મહિનાના બાળકને લઇ કેનાલમાં કૂદી પડી હતી.

પોલીસ તેમજ તેની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ત્રણ વર્ષીય નિર્દોષ બાળકને કેનાલમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. હવે, પોલીસ કર્મચારી બાકીના 2 બાળકો અને માતાની શોધ કરી રહ્યા છે.

મહિલાનો જેઠ રમેશના કહેવા પ્રમાણે, ત્યારે તે ઘરે ન હતો. મહિલાએ બાળકો સહિત કેનાલમાં કુદી પડ્યાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટના સંદર્ભે એસપી ધરમવીરસિંહે જણાવ્યું છે કે, પારિવારિક કારણોસર એક મહિલા તેના ત્રણ બાળકો સાથે કેનાલમાં કૂદી પડી હતી. જેમાં એક બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલા અને બે બાળકો હજી ગુમ છે. જ્યારે, પોલીસ ટીમ સાથે અધિકારી પણ સ્થળ પર હાજર રહ્યા હતા.

બિજનોર (ઉત્તર પ્રદેશ): સુનિતા નામની મહિલા બિજનોરના કીરતપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ભૈરકી કેનાલમાં આજે તેના ત્રણ માસૂમ બાળકો સાથે કૂદી પડી હતી. કારણ કે, સુનિતા તેના પતિ ગૌરવ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. તે પોતાની સાથે ત્રણ વર્ષીય બાળક, 5 વર્ષીય બાળક અને 3 મહિનાના બાળકને લઇ કેનાલમાં કૂદી પડી હતી.

પોલીસ તેમજ તેની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ત્રણ વર્ષીય નિર્દોષ બાળકને કેનાલમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. હવે, પોલીસ કર્મચારી બાકીના 2 બાળકો અને માતાની શોધ કરી રહ્યા છે.

મહિલાનો જેઠ રમેશના કહેવા પ્રમાણે, ત્યારે તે ઘરે ન હતો. મહિલાએ બાળકો સહિત કેનાલમાં કુદી પડ્યાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટના સંદર્ભે એસપી ધરમવીરસિંહે જણાવ્યું છે કે, પારિવારિક કારણોસર એક મહિલા તેના ત્રણ બાળકો સાથે કેનાલમાં કૂદી પડી હતી. જેમાં એક બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલા અને બે બાળકો હજી ગુમ છે. જ્યારે, પોલીસ ટીમ સાથે અધિકારી પણ સ્થળ પર હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.