ETV Bharat / bharat

દેશભરના સામાન્ય સેવા કેન્દ્રો પર ટિકિટનું બુકિંગ થશે શરુ, વધુ ટ્રેનો શરૂ થશે: રેલવેપ્રધાન

author img

By

Published : May 21, 2020, 7:01 PM IST

કોમન સર્વિસ સેન્ટર ગ્રામીણ અને દૂરસ્થ સ્થળોએ સરકારની ઇ-સેવાઓ પૂરી પાડે છે. આ કેન્દ્રો એવા સ્થળોએ છે જ્યાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટની ઉપલબ્ધતા ઓછી અથવા ન હોય. ગોયલે એમ પણ કહ્યું કે, આગામી બેથી ત્રણ દિવસમાં કેટલાક સ્ટેશનોમાં કાઉન્ટરો પર પણ બુકિંગ શરૂ થઈ જશે.

Goyal
ગોયલ

નવી દિલ્હી: રેલ્વે પ્રધાન પિયુષ ગોયલે ગુરુવારે કહ્યું કે શુક્રવારથી દેશભરના લગભગ 1.7 લાખ સામાન્ય સેવા કેન્દ્રોથી ટ્રેનની ટિકિટનું બુકિંગ પુન:સ્થાપિત કરવામાં આવશે.

કોમન સર્વિસ સેન્ટર ગ્રામીણ અને દૂરસ્થ સ્થળોએ સરકારની ઇ-સેવાઓ પૂરી પાડે છે. આ કેન્દ્રો એવા સ્થળોએ છે જ્યાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટની ઉપલબ્ધતા ઓછી અથવા ન હોય. ગોયલે એમ પણ કહ્યું કે, આગામી બેથી ત્રણ દિવસમાં કેટલાક સ્ટેશનોમાં કાઉન્ટરો પર પણ બુકિંગ શરૂ થઈ જશે.

ગોયલે તેમના પક્ષના સહયોગી અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે "અમે સ્ટેશનો ઓળખવા માટેનો પ્રોટોકોલ બનાવી રહ્યા છીએ . અમે ટૂંક સમયમાં વધુ ટ્રેનોની ઘોષણા કરીશું."

ગોયલે એમ પણ કહ્યું હતું કે, પહેલી જૂનથી દોડતી વિશેષ ટ્રેનોનું બુકિંગ ખોલ્યાના એક જ કલાકમાં ચાર લાખ મુસાફરોએ ટિકિટ બુક કરાવી હતી.

નવી દિલ્હી: રેલ્વે પ્રધાન પિયુષ ગોયલે ગુરુવારે કહ્યું કે શુક્રવારથી દેશભરના લગભગ 1.7 લાખ સામાન્ય સેવા કેન્દ્રોથી ટ્રેનની ટિકિટનું બુકિંગ પુન:સ્થાપિત કરવામાં આવશે.

કોમન સર્વિસ સેન્ટર ગ્રામીણ અને દૂરસ્થ સ્થળોએ સરકારની ઇ-સેવાઓ પૂરી પાડે છે. આ કેન્દ્રો એવા સ્થળોએ છે જ્યાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટની ઉપલબ્ધતા ઓછી અથવા ન હોય. ગોયલે એમ પણ કહ્યું કે, આગામી બેથી ત્રણ દિવસમાં કેટલાક સ્ટેશનોમાં કાઉન્ટરો પર પણ બુકિંગ શરૂ થઈ જશે.

ગોયલે તેમના પક્ષના સહયોગી અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે "અમે સ્ટેશનો ઓળખવા માટેનો પ્રોટોકોલ બનાવી રહ્યા છીએ . અમે ટૂંક સમયમાં વધુ ટ્રેનોની ઘોષણા કરીશું."

ગોયલે એમ પણ કહ્યું હતું કે, પહેલી જૂનથી દોડતી વિશેષ ટ્રેનોનું બુકિંગ ખોલ્યાના એક જ કલાકમાં ચાર લાખ મુસાફરોએ ટિકિટ બુક કરાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.