ETV Bharat / bharat

વિશ્વાસ છે કે IIT અને NIT પ્રદૂષણ મુદ્દે સમાધાન શોધી લેશે: રાષ્ટ્રપતિ

author img

By

Published : Nov 20, 2019, 11:29 AM IST

Updated : Nov 20, 2019, 12:54 PM IST

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં ફેલાયેલા પ્રદુષણના જોખમને ધ્યાનમાં રાખી રાષ્ટ્રપતિ ભવનમાં IIT, NIT અને IIESTના ડાયરેક્ટરોની બેઠક બોલાવી હતી. જેમાં તેમને વિજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને સંશોધનકારોને પ્રદુષણના જોખમથી લોકોને અવગત કરવા અને પર્યાવરણના રક્ષણ કરવા અંગે સંવેદનશીલ બનાવવા ટકોર કરી હતી.

વિશ્વાસ છે કે IIT અને NIT પ્રદૂષણ મુદ્દે સમાધાન શોધી લેશે: રાષ્ટ્રપતિ


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં ફેલાયેલા ઝેરી ગેસના જોખમને ધ્યાનમાં રાખી રાષ્ટ્રપતિ ભવનમાં IIT, NIT અને IIESTના ડાયરેક્ટરોની બેઠક બોલાવી હતી. ઉજ્જવળ ભવિષ્ય અને વર્તમાન સમસ્યા સામે લડવા ખાસ બેઠક બોલાવી હતી.

કોવિંદે મંગળવારે આશા વ્યક્ત કરી હતી કે, IIT અને NIT તેમના વિશેષજ્ઞની મદદથી વાયુ પ્રદુષણની સમસ્યાનું સમાધાન શોધી લેશે.

IIT, NIT અને IIESTના ડાયરેક્ટરોની બેઠકમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, વર્તમાન સમયમાં આંકડા મુજબ દેશમાં રાજધાની સહિત અન્ય ઘણા શહેરમાં વાયુ ગુણવતા ઘટી ગઈ છે. ઘણા વિજ્ઞાનિકોએ ખરાબ ભવિષ્યનું ચિત્ર રજુ કર્યું અને ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ કપરી પરિસ્થિતિ છે, દેશમાં રાજધાની સહિત ઘણા શહેરોમાં વાતાવરણ પ્રદુષિત હોવાના આંકડા જોતા આપણે નવા વિકલ્પો શોધી આ સમસ્યાનું સમાધાન શોધવુ પડશે.

રાષ્ટ્રપતિએ પ્રદુષણ બાબતે કહ્યું કે, હાઈડ્રોકાર્બન ઉર્જાના છેલ્લા દાયકામાં દુનિયાની શકલ બદલાઈ રહી છે. હવે આ જોખમ આપણા અસ્તિત્વ પર પણ છે. રાષ્ટ્રપતિ ભવનમાં થયેલ સંમેલનમાં 23 IIT, 31 NIT અને IIESTના ડાયરેક્ટરોએ ભાગ લીધો હતો.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં ફેલાયેલા ઝેરી ગેસના જોખમને ધ્યાનમાં રાખી રાષ્ટ્રપતિ ભવનમાં IIT, NIT અને IIESTના ડાયરેક્ટરોની બેઠક બોલાવી હતી. ઉજ્જવળ ભવિષ્ય અને વર્તમાન સમસ્યા સામે લડવા ખાસ બેઠક બોલાવી હતી.

કોવિંદે મંગળવારે આશા વ્યક્ત કરી હતી કે, IIT અને NIT તેમના વિશેષજ્ઞની મદદથી વાયુ પ્રદુષણની સમસ્યાનું સમાધાન શોધી લેશે.

IIT, NIT અને IIESTના ડાયરેક્ટરોની બેઠકમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, વર્તમાન સમયમાં આંકડા મુજબ દેશમાં રાજધાની સહિત અન્ય ઘણા શહેરમાં વાયુ ગુણવતા ઘટી ગઈ છે. ઘણા વિજ્ઞાનિકોએ ખરાબ ભવિષ્યનું ચિત્ર રજુ કર્યું અને ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ કપરી પરિસ્થિતિ છે, દેશમાં રાજધાની સહિત ઘણા શહેરોમાં વાતાવરણ પ્રદુષિત હોવાના આંકડા જોતા આપણે નવા વિકલ્પો શોધી આ સમસ્યાનું સમાધાન શોધવુ પડશે.

રાષ્ટ્રપતિએ પ્રદુષણ બાબતે કહ્યું કે, હાઈડ્રોકાર્બન ઉર્જાના છેલ્લા દાયકામાં દુનિયાની શકલ બદલાઈ રહી છે. હવે આ જોખમ આપણા અસ્તિત્વ પર પણ છે. રાષ્ટ્રપતિ ભવનમાં થયેલ સંમેલનમાં 23 IIT, 31 NIT અને IIESTના ડાયરેક્ટરોએ ભાગ લીધો હતો.

Last Updated : Nov 20, 2019, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.