ETV Bharat / bharat

તમિલનાડુઃ કોંગ્રેસ સાંસદ વસંતકુમારનું કોરોનાથી નિધન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

author img

By

Published : Aug 29, 2020, 7:26 AM IST

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે ભારત દરરોજ એક હજારની આસપાસની સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યાં છે. ગત રોજ તમિલનાડુના કન્યાકુમારીથી કોંગ્રેસ સાંસદ એચ વસંત કુમારનું ચેન્નઈમાં નિધન થયું છે. વંસત કુમાર કોરોના વાઇરસથી સંક્રમિત હતા. જેથી તેમને 10 ઓગસ્ટના રોજ ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

MP H Vasanthakumar
કોંગ્રેસ સાંસદ વસંતકુમારનું કોરોનાથી નિધન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

ચેન્નઈ: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે ભારત દરરોજ એક હજારની આસપાસની સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યાં છે. ગત રોજ તમિલનાડુના કન્યાકુમારીથી કોંગ્રેસ સાંસદ એચ વસંત કુમારનું ચેન્નઈમાં નિધન થયું છે. વંસત કુમાર કોરોના વાઇરસથી સંક્રમિત હતા. જેથી તેમને 10 ઓગસ્ટના રોજ ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આ અંગે ડૉક્ટર્સે જણાવ્યું કે, સાંસદ વંસતકુમારને નિમોનિયા થયો હતો. જે બાદ તેમની સ્થિતિ નાજૂક થઈ હતી. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, વસંતકુમારને કોરોના સંક્રમણ થયું હોવાથી 10 ઓગસ્ટના રોજ ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગતરોજ કોંગ્રેસ સાંસદનું નિધન થયું હતું. આમ, કોંગ્રેસ સાંસદના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિત કેટલાય કોંગ્રેસ નેતાઓ દુઃખ વ્યક્ત કર્યું હતું.

  • Saddened by the demise of Lok Sabha MP Shri H. Vasanthakumar Ji. His strides in business and social service efforts were noteworthy. During my interactions with him, I always saw his passion towards Tamil Nadu’s progress. Condolences to his family and supporters. Om Shanti. pic.twitter.com/SmuAK8ufAx

    — Narendra Modi (@narendramodi) August 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ અંગે PM મોદીએ ટ્વીટ કરી લખ્યું કે, લોકસભા સાંસદ એચ વસંતકુમારના નિધનથી દુઃખ થયું. બિઝનેસ અને સમાજ સેવાના પ્રયાસોમાં તેમની ભૂમિકા ઉલ્લેખનીય રહી હતી. વસંતકુમાર સાથેની વાતચીતમાં હંમેશા તમિલનાડુની પ્રગતિ અંગે ઝનૂન દેખાતું. દુઃખદ સમયમાં પરિવાર અને સમર્થકોને સંવેદના.

  • The news of Kanyakumari MP, Shri H Vasanthakumar’s untimely demise due to Covid-19 has come as a shock.

    His commitment to the congress ideology of serving the people will remain in our hearts forever.

    Heartfelt condolences to his friends and family members. pic.twitter.com/oqhrfQXEUD

    — Rahul Gandhi (@RahulGandhi) August 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહત્વનું છે કે, સાંસદ વસંતકુમાર પહેલીવાર 2019માં સાંસદ તરીકે ચૂંટાયા હતાં. આ પહેલા તેઓ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યાં હતાં. વસંતકુમારનો જન્મ હરિકૃષ્ણ પેરુમલમાં 14 એપ્રિલ, 1950માં થયો હતો. વસંતકુમાર વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને તામિલ સાહિત્યકાર કુમારી અનંતનના ભાઈ હતાં.

ચેન્નઈ: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે ભારત દરરોજ એક હજારની આસપાસની સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યાં છે. ગત રોજ તમિલનાડુના કન્યાકુમારીથી કોંગ્રેસ સાંસદ એચ વસંત કુમારનું ચેન્નઈમાં નિધન થયું છે. વંસત કુમાર કોરોના વાઇરસથી સંક્રમિત હતા. જેથી તેમને 10 ઓગસ્ટના રોજ ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આ અંગે ડૉક્ટર્સે જણાવ્યું કે, સાંસદ વંસતકુમારને નિમોનિયા થયો હતો. જે બાદ તેમની સ્થિતિ નાજૂક થઈ હતી. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, વસંતકુમારને કોરોના સંક્રમણ થયું હોવાથી 10 ઓગસ્ટના રોજ ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગતરોજ કોંગ્રેસ સાંસદનું નિધન થયું હતું. આમ, કોંગ્રેસ સાંસદના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિત કેટલાય કોંગ્રેસ નેતાઓ દુઃખ વ્યક્ત કર્યું હતું.

  • Saddened by the demise of Lok Sabha MP Shri H. Vasanthakumar Ji. His strides in business and social service efforts were noteworthy. During my interactions with him, I always saw his passion towards Tamil Nadu’s progress. Condolences to his family and supporters. Om Shanti. pic.twitter.com/SmuAK8ufAx

    — Narendra Modi (@narendramodi) August 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ અંગે PM મોદીએ ટ્વીટ કરી લખ્યું કે, લોકસભા સાંસદ એચ વસંતકુમારના નિધનથી દુઃખ થયું. બિઝનેસ અને સમાજ સેવાના પ્રયાસોમાં તેમની ભૂમિકા ઉલ્લેખનીય રહી હતી. વસંતકુમાર સાથેની વાતચીતમાં હંમેશા તમિલનાડુની પ્રગતિ અંગે ઝનૂન દેખાતું. દુઃખદ સમયમાં પરિવાર અને સમર્થકોને સંવેદના.

  • The news of Kanyakumari MP, Shri H Vasanthakumar’s untimely demise due to Covid-19 has come as a shock.

    His commitment to the congress ideology of serving the people will remain in our hearts forever.

    Heartfelt condolences to his friends and family members. pic.twitter.com/oqhrfQXEUD

    — Rahul Gandhi (@RahulGandhi) August 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહત્વનું છે કે, સાંસદ વસંતકુમાર પહેલીવાર 2019માં સાંસદ તરીકે ચૂંટાયા હતાં. આ પહેલા તેઓ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યાં હતાં. વસંતકુમારનો જન્મ હરિકૃષ્ણ પેરુમલમાં 14 એપ્રિલ, 1950માં થયો હતો. વસંતકુમાર વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને તામિલ સાહિત્યકાર કુમારી અનંતનના ભાઈ હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.