ETV Bharat / bharat

નકલી બિયારણના કૌભાંડને અટકાવો

author img

By

Published : Jun 5, 2020, 10:34 PM IST

ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે અને શરૂઆતનો વરસાદ પણ પડી ચૂક્યો હોઇ દેશનો ખેડૂત વર્ગ હાલ જમીન ખેડવાની અને વાવણીની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. ભૂતકાળની જેમ આ વર્ષે પણ ખેડૂતો ઉપલબ્ધ બિયારણની ગુણવત્તા વિશેષ ચિંતિત છે. સમયસર વાવણીની પ્રક્રિયા પૂરી કરવાની ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવતા કૌભાંડીઓએ ફરીથી પોતાની ખતરનાક જાળ બજારમાં બિછાવવાનું શરૂ કરી દીધું છે.

નકલી બિયારણના કૌભાંડ
નકલી બિયારણના કૌભાંડ

હૈદ્રાબાદઃ મંચરિયાલ, સાદ નગર અને કાગઝ નગર ખાતે નકલી કપાસિયાના સ્ટોકનું કૌભાંડ ખુલ્લું પડ્યું તેના બીજી જ દિવસે એના એજ નાટકનું કરીમનગરમાં પુનરાવર્તન થયું હતું. હૈદરાબાદથી જુદા જુદા સ્થળોએ ભેળસેળવાળો નકલી સ્ટોક પહોંચ્યો હોવાની માહિતી મળતાની સાથે જ કરીમનગર પોલીસે નકલી કપાસિયાના 18 ક્વિન્ટલનો જથ્થો પકડી પાડ્યો હતો.

ગત જુલાઇમાં 16 જેટલા ટાસ્કફોર્સે વાયા એપી, મહારાષ્ટ્ર થઇને તેલંગાણાના જુદા જુદા સ્થળોએ આવી રહેલી ટ્રેનો ઉપર દરોડા પાડી નકલી બિયારણના જથ્થાને પકડી પાડ્યો હતો. ગુંતુર, પ્રકાશમ, ખમ્મામ, નાલગોંડા, વારંગલ અને અનંતપુર જિલ્લાઓમાં કેટલાંય વર્ષોથી નકલી બિયારણની ફરિયાદો ઉઠી રહી છે.

આ બાબત બે તેલુગુ રાજ્યો પૂરતી સિમિત નથી. બિયારણ પ્રતિ કિલો રૂ. 125ના ભાવના બદલે પ્રતિ કિલો રૂ. 200ના ભાવે વેચાઇ રહ્યા છે એવી એક ખેડૂતે તાજેતરમાં જ કરેલી લેખિત ફરિયાદના પગલે લુધિયાણા (પંજાબ) પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને નકલી બિયારણોનું એક મસમોટું કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું.

ગત માસે કર્ણાટકના ધારવાડ, બેલ્લરી અને હવેરીમાંથી રૂ. 1 કરોડની કિંમતનો નકલી બિયારણનો જે જથ્થો પકડાયો હતો તે પૂરવાર કરે છે કે કૌભાંડીઓએ આ ખતરનાક પ્રવૃત્તિઓને સરહદો પાર કરાવીને અન્ય રાજ્યોમાં પણ વિસ્તારી છે. નકલી બિયારણો વેચનારા ડિલરોને આકરી શિક્ષા કરવામાં આવશે એવા અનેક દાવા થયા હોવા છતાં આ વાર્ષિક કરૂણાંતિકા દેશમાં વણથંભી પુનરાવર્તન પામી રહી છે.

મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે દ્વારા તાજેતરમાં જ એવું નિવેદન કરાયું હતું કે નકલી બિયારણના વેપારીઓ ખેડૂતોના હત્યારા છે, તેથી આ નકલી બિયારણના વેપાર-ધંધા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાઇ જવો જોઇએ તે વાતે કોઇ બેમત હોઇ શકે નહીં.

આ અસામાજિક તત્વોની પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ હેઠળ ધરપકડ થવી જોઇએ અને તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઇએ એવા તેમના નિવેદનને ઉચ્ચ પ્રથામિકતા અપાવી જોઇએ. ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણોના ઉપયોગ સંબંધી જે કાંઇ નિયમો-અધિનિયમો છે તેમાં સુધારો કરવાની માંગ દેશમાં 1966થી થતી આવી છે.

એક મજબૂત કાયદો બનાવવાનો આશય ધરાવતો એક ખરડો છેલ્લા 16 વર્ષથી દરખાસ્તના સ્તરે પડી રહ્યો છે. તેમ છતાં ઘરઆંગણે ગુણવત્તાવાળા બિયારણો ઉપલબ્ધ થશે જ એવી કોઇ ખાતરી નથી. નુકસાન થાય તો ખેડૂતોને તેનું યોગ્ય વળતર મળશે એવી પણ કોઇ ખાતરી નથી.

અનેક ટેકનીકલ બાબતોના અભાવ અને બિયારણના સંસોધનના બૌધ્ધિક અધિકારો કે મૂળભૂત આંતરમળખું ઉભું કર્યા વિના જ આજે અનેક લોકો કંપનીઓ ઉભી કરી રહ્યા છે અને બિયારણનાં વેપાર-ધંધામાં પ્રવેશી રહ્યા છે.

બીજી બાજુ જલ્દીથી પૈસા કમાઇ લેવાની લ્હાયમાં અનેક લોભીયા અને બેજવાબદાર વેપારીઓ નકલી અને હલકી ગુણવત્તાવાળા બિયારણોને ઉચ્ચ ગુણવત્તાવાળા ખપાવીને ખેડૂતોને વેચીને તેઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે, અને પરોક્ષરીતે કૃષિના ક્ષેત્રે વિનાશ નોંતરે છે અને ખેડૂતોને ભારે નુકસાન કરાવે છે.

અનેક રાજ્યો ઉભા પાકને નુકસાન પહોંચાડતા તીડના ઝૂંડને ભગાડવાની તૈયારી રહ્યા છે. પરંતુ નકલી બિયારણોના સ્વરૂપમાં જે જોખમ અને ભય રહેલો છે તેનું મહત્વ પણ ઓછુ આંકી શકાય તેમ નથી. જ્યારે ખેડૂતો નકલી બિયારણો ખરીદે છે ત્યારે તેઓ તેમના રોકાણમાં અને પાક તૈયાર થયા બાદ થતી પાકની આવકમાં એમ બંને રીતે નુકસાન વેઠે છે જેના પરિણામે તે દેવાના ડુંગર હેઠળ દબાઇ જાય છે.

આ ઉપરાંત ખેતપેદાશોમાં થતાં નુકસાનના પગલે દેશનો આર્થિક વિકાસ અને ખોરાકની સલામતી એમ બંને ભારે પ્રભાવિત થાય છે. આ પ્રકારની આફત માટે જવાબદાર લોકોની સાથે રીઢા ગુનેગાર જેવો વ્યવહાર થવો જોઇએ અને તેઓને આકરી સજા થવી જોઇએ.

અત્યંત આકરા કાયદા અને નિયમો બનાવવા જોઇએ અને તેનો દેશભરમાં અમલ કરવો જોઇએ જેથી નકલી બિયારણો બનાવવાના અને તેના વેચાણ કરવાના વિચાર માત્રથી તેઓ ધ્રૂજી ઉઠે અને એવું કામ કરવાથી જોજનો દૂર રહે.

ખેડૂતને જ્યારે નુકસાન જાય ત્યારે બિયારણ બનાવતી કંપની અને તે બિયારણની ગુણવત્તાનું પ્રમાણપત્ર આપનાર અધિકારી એમ બંને પાસેથી ખેડૂતના નુકસાનનું વળતર વસુલ કરવું જોઇએ. જો એમ થશે તો દેશના કૃષિ ક્ષેત્રની આ આફત ટળશે અને સ્થિતિ સ્થિર બનશે.

હૈદ્રાબાદઃ મંચરિયાલ, સાદ નગર અને કાગઝ નગર ખાતે નકલી કપાસિયાના સ્ટોકનું કૌભાંડ ખુલ્લું પડ્યું તેના બીજી જ દિવસે એના એજ નાટકનું કરીમનગરમાં પુનરાવર્તન થયું હતું. હૈદરાબાદથી જુદા જુદા સ્થળોએ ભેળસેળવાળો નકલી સ્ટોક પહોંચ્યો હોવાની માહિતી મળતાની સાથે જ કરીમનગર પોલીસે નકલી કપાસિયાના 18 ક્વિન્ટલનો જથ્થો પકડી પાડ્યો હતો.

ગત જુલાઇમાં 16 જેટલા ટાસ્કફોર્સે વાયા એપી, મહારાષ્ટ્ર થઇને તેલંગાણાના જુદા જુદા સ્થળોએ આવી રહેલી ટ્રેનો ઉપર દરોડા પાડી નકલી બિયારણના જથ્થાને પકડી પાડ્યો હતો. ગુંતુર, પ્રકાશમ, ખમ્મામ, નાલગોંડા, વારંગલ અને અનંતપુર જિલ્લાઓમાં કેટલાંય વર્ષોથી નકલી બિયારણની ફરિયાદો ઉઠી રહી છે.

આ બાબત બે તેલુગુ રાજ્યો પૂરતી સિમિત નથી. બિયારણ પ્રતિ કિલો રૂ. 125ના ભાવના બદલે પ્રતિ કિલો રૂ. 200ના ભાવે વેચાઇ રહ્યા છે એવી એક ખેડૂતે તાજેતરમાં જ કરેલી લેખિત ફરિયાદના પગલે લુધિયાણા (પંજાબ) પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને નકલી બિયારણોનું એક મસમોટું કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું.

ગત માસે કર્ણાટકના ધારવાડ, બેલ્લરી અને હવેરીમાંથી રૂ. 1 કરોડની કિંમતનો નકલી બિયારણનો જે જથ્થો પકડાયો હતો તે પૂરવાર કરે છે કે કૌભાંડીઓએ આ ખતરનાક પ્રવૃત્તિઓને સરહદો પાર કરાવીને અન્ય રાજ્યોમાં પણ વિસ્તારી છે. નકલી બિયારણો વેચનારા ડિલરોને આકરી શિક્ષા કરવામાં આવશે એવા અનેક દાવા થયા હોવા છતાં આ વાર્ષિક કરૂણાંતિકા દેશમાં વણથંભી પુનરાવર્તન પામી રહી છે.

મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે દ્વારા તાજેતરમાં જ એવું નિવેદન કરાયું હતું કે નકલી બિયારણના વેપારીઓ ખેડૂતોના હત્યારા છે, તેથી આ નકલી બિયારણના વેપાર-ધંધા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાઇ જવો જોઇએ તે વાતે કોઇ બેમત હોઇ શકે નહીં.

આ અસામાજિક તત્વોની પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ હેઠળ ધરપકડ થવી જોઇએ અને તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઇએ એવા તેમના નિવેદનને ઉચ્ચ પ્રથામિકતા અપાવી જોઇએ. ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણોના ઉપયોગ સંબંધી જે કાંઇ નિયમો-અધિનિયમો છે તેમાં સુધારો કરવાની માંગ દેશમાં 1966થી થતી આવી છે.

એક મજબૂત કાયદો બનાવવાનો આશય ધરાવતો એક ખરડો છેલ્લા 16 વર્ષથી દરખાસ્તના સ્તરે પડી રહ્યો છે. તેમ છતાં ઘરઆંગણે ગુણવત્તાવાળા બિયારણો ઉપલબ્ધ થશે જ એવી કોઇ ખાતરી નથી. નુકસાન થાય તો ખેડૂતોને તેનું યોગ્ય વળતર મળશે એવી પણ કોઇ ખાતરી નથી.

અનેક ટેકનીકલ બાબતોના અભાવ અને બિયારણના સંસોધનના બૌધ્ધિક અધિકારો કે મૂળભૂત આંતરમળખું ઉભું કર્યા વિના જ આજે અનેક લોકો કંપનીઓ ઉભી કરી રહ્યા છે અને બિયારણનાં વેપાર-ધંધામાં પ્રવેશી રહ્યા છે.

બીજી બાજુ જલ્દીથી પૈસા કમાઇ લેવાની લ્હાયમાં અનેક લોભીયા અને બેજવાબદાર વેપારીઓ નકલી અને હલકી ગુણવત્તાવાળા બિયારણોને ઉચ્ચ ગુણવત્તાવાળા ખપાવીને ખેડૂતોને વેચીને તેઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે, અને પરોક્ષરીતે કૃષિના ક્ષેત્રે વિનાશ નોંતરે છે અને ખેડૂતોને ભારે નુકસાન કરાવે છે.

અનેક રાજ્યો ઉભા પાકને નુકસાન પહોંચાડતા તીડના ઝૂંડને ભગાડવાની તૈયારી રહ્યા છે. પરંતુ નકલી બિયારણોના સ્વરૂપમાં જે જોખમ અને ભય રહેલો છે તેનું મહત્વ પણ ઓછુ આંકી શકાય તેમ નથી. જ્યારે ખેડૂતો નકલી બિયારણો ખરીદે છે ત્યારે તેઓ તેમના રોકાણમાં અને પાક તૈયાર થયા બાદ થતી પાકની આવકમાં એમ બંને રીતે નુકસાન વેઠે છે જેના પરિણામે તે દેવાના ડુંગર હેઠળ દબાઇ જાય છે.

આ ઉપરાંત ખેતપેદાશોમાં થતાં નુકસાનના પગલે દેશનો આર્થિક વિકાસ અને ખોરાકની સલામતી એમ બંને ભારે પ્રભાવિત થાય છે. આ પ્રકારની આફત માટે જવાબદાર લોકોની સાથે રીઢા ગુનેગાર જેવો વ્યવહાર થવો જોઇએ અને તેઓને આકરી સજા થવી જોઇએ.

અત્યંત આકરા કાયદા અને નિયમો બનાવવા જોઇએ અને તેનો દેશભરમાં અમલ કરવો જોઇએ જેથી નકલી બિયારણો બનાવવાના અને તેના વેચાણ કરવાના વિચાર માત્રથી તેઓ ધ્રૂજી ઉઠે અને એવું કામ કરવાથી જોજનો દૂર રહે.

ખેડૂતને જ્યારે નુકસાન જાય ત્યારે બિયારણ બનાવતી કંપની અને તે બિયારણની ગુણવત્તાનું પ્રમાણપત્ર આપનાર અધિકારી એમ બંને પાસેથી ખેડૂતના નુકસાનનું વળતર વસુલ કરવું જોઇએ. જો એમ થશે તો દેશના કૃષિ ક્ષેત્રની આ આફત ટળશે અને સ્થિતિ સ્થિર બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.