અમરનાથ યાત્રાના રસ્તામાં ભારતીય સેનાના અમેરિકી સ્નાઈપર રાઈફલ -24ની ધપરકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પાકિસ્તાનની ષડયંત્રોની પોલ ખુલ્લી પાડતી અમુક સુરંગ પણ મળી આવી છે. જેને લઈ સેના દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે, હાલ અહીં ઓપરેશન ચાલું છે, અને ત્યાં હજુ પણ વધારે સુરંગ મળી આવે તેવી આશંકા છે.

ભારતીય સેનાએ શુક્રવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી કે, આતંકીઓને અમરનાથ યાત્રાને નિશાન બનાવી પ્લાન બનાવી રાખ્યો હોવાથી આ અંગેની તપાસ ચાલી રહી છે. જેને લઈ રસ્તામાં અનેક જગ્યાએ શંકાસ્પદ સુરંગ મળી આવી છે. સેના અહીં હાલ ઓફરેશન કરી રહ્યા છે. આ વાત પરથી એટલું સ્પષ્ટ છે કે, પાકિસ્તાન હજૂ પણ આતંકીઓનો સાથ આપી રહ્યું છે.