ETV Bharat / bharat

ભારત નવમી સદીની શિવ પ્રતિમા પાછી મેળવશે, 22 વર્ષ પહેલાં થઇ હતી ચોરી - બ્રિટનમાં દાણચોરી શિવની પ્રતિમા

ભગવાન શિવની નવમી સદીની પ્રતિમા બ્રિટનથી ભારત લાવવામાં આવશે. આ મૂર્તિ 1998માં રાજસ્થાનના બરોલીના ઘાટેશ્વર મંદિરમાંથી ચોરી થઇ હતી. 2003માં આ પ્રતિમાની બ્રિટનમાં દાણચોરી થવાની માહિતી બહાર આવી હતી.

શિવ
શિવ
author img

By

Published : Jul 30, 2020, 7:26 PM IST

લંડન: રાજસ્થાનના એક મંદિરમાંથી ચોરી થયેલી અને દાણચોરી કરીને બ્રિટન પહોંચેલી ભગવાન શિવની એક દુર્લભ નવમી સદીની પથ્થરની પ્રતિમા ગુરુવારે ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ)ને સોંપવામાં આવશે.

નટરાજા / નટેશાનું આ પથ્થરનું શિલ્પ આશરે ચાર ફૂટ ઉંચું છે અને તેમાં ભગવાન શિવ પ્રતિહાર તરીકે દેખાય છે. ફેબ્રુઆરી 1998માં રાજસ્થાનના બરોલીના ઘાટેશ્વર મંદિરમાંથી મૂર્તિની ચોરી થઇ હતી. દાણચોરી દ્વારા બ્રિટનમાં તેના આગમન અંગેની માહિતી 2003માં બહાર આવી હતી.

બ્રિટનમાં ભારતના હાઈ કમિશને કહ્યું કે, લંડનમાં આ માહિતી મળ્યા બાદ બ્રિટિશ અધિકારીઓને આ માહિતી આપવામાં આવી હતી અને તેમની મદદ સાથે આ મૂર્તિ લંડનમાં રાખનારા ખાનગી સંગ્રહકર્તાની સામે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે પોતાની મરજીથી 2005માં બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનને મૂર્તિ પરત કરી હતી.

જે પછી ઓગસ્ટ 2017માં, એક એએસઆઈ ટીમે હાઇ કમિશન પાસે ગઈ અને ત્યાંની પ્રતિમાનું નિરીક્ષણ કર્યું. નિષ્ણાતોએ પુષ્ટિ આપી છે કે, તે ઘાટેશ્વર મંદિરમાંથી ચોરી કરેલી પ્રતિમા છે. આ પ્રતિમા હજી લંડન હાઇ કમિશન બિલ્ડિંગના મુખ્ય પ્રવેશદ્વારમાં રાખવામાં આવી હતી.

ભારત સરકારે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, વિદેશ મંત્રાલય દેશના કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને, ભારતીય પ્રાચીન વસ્તુઓની ચોરી અને દાણચોરીની તપાસમાં ખંતપૂર્વક કામ કરી રહ્યું છે અને તેમને પાછા ભારત લાવવાનું કામ કરી રહ્યું છે. પરિણામે, ભારતની અનેક પ્રાચીન કલાકૃતિઓ અને શિલ્પો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને જર્મનીથી પાછી દેશમાં લાવવામાં આવી છે.

લંડન: રાજસ્થાનના એક મંદિરમાંથી ચોરી થયેલી અને દાણચોરી કરીને બ્રિટન પહોંચેલી ભગવાન શિવની એક દુર્લભ નવમી સદીની પથ્થરની પ્રતિમા ગુરુવારે ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ)ને સોંપવામાં આવશે.

નટરાજા / નટેશાનું આ પથ્થરનું શિલ્પ આશરે ચાર ફૂટ ઉંચું છે અને તેમાં ભગવાન શિવ પ્રતિહાર તરીકે દેખાય છે. ફેબ્રુઆરી 1998માં રાજસ્થાનના બરોલીના ઘાટેશ્વર મંદિરમાંથી મૂર્તિની ચોરી થઇ હતી. દાણચોરી દ્વારા બ્રિટનમાં તેના આગમન અંગેની માહિતી 2003માં બહાર આવી હતી.

બ્રિટનમાં ભારતના હાઈ કમિશને કહ્યું કે, લંડનમાં આ માહિતી મળ્યા બાદ બ્રિટિશ અધિકારીઓને આ માહિતી આપવામાં આવી હતી અને તેમની મદદ સાથે આ મૂર્તિ લંડનમાં રાખનારા ખાનગી સંગ્રહકર્તાની સામે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે પોતાની મરજીથી 2005માં બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનને મૂર્તિ પરત કરી હતી.

જે પછી ઓગસ્ટ 2017માં, એક એએસઆઈ ટીમે હાઇ કમિશન પાસે ગઈ અને ત્યાંની પ્રતિમાનું નિરીક્ષણ કર્યું. નિષ્ણાતોએ પુષ્ટિ આપી છે કે, તે ઘાટેશ્વર મંદિરમાંથી ચોરી કરેલી પ્રતિમા છે. આ પ્રતિમા હજી લંડન હાઇ કમિશન બિલ્ડિંગના મુખ્ય પ્રવેશદ્વારમાં રાખવામાં આવી હતી.

ભારત સરકારે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, વિદેશ મંત્રાલય દેશના કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને, ભારતીય પ્રાચીન વસ્તુઓની ચોરી અને દાણચોરીની તપાસમાં ખંતપૂર્વક કામ કરી રહ્યું છે અને તેમને પાછા ભારત લાવવાનું કામ કરી રહ્યું છે. પરિણામે, ભારતની અનેક પ્રાચીન કલાકૃતિઓ અને શિલ્પો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને જર્મનીથી પાછી દેશમાં લાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.