ગંગટોકઃ સિક્કિમ સરકારે રાજ્યમાં 21થી 27 જુલાઇ સુધી સંપૂણ લોકડાઉન કરવા માટે સોમવારના રોજ નિર્ણય લીધો છે. આ નિર્ણય કોરોનાના વધતા સંક્રમણને કારણે લેવામાં આવ્યો છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. મુખ્ય સચિવ એસ.સી. ગુપ્તા દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિશે સમીક્ષા કરી લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.
વધુમાં કહ્યું કે, આ લોકડાઉનમાં વિશિષ્ટ રીતે છૂટ આપવામાં આવી છે. પરંતુ સરકારી કાર્યાલય, દુકાનો, સંસ્થાઓ, માર્કેટ અને કારખાનાઓ બંધ રહેશે.
સૂચના અંતર્ગત લોકડાઉનના દિવસોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાત્રે સાડા સાતથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવાનો આદેશ જાહેર કરાશે. આ એટલા માટે નિર્ણય લેવાયો કે, એકબીજા સાથે અંતર જળવાઇ રહે, સાર્વજનિક સાફસફાઇ, આરોગ્ય સેતુ એપનો ઉપયોગ અને વાહનોની અવરજવર પર નિયંત્રણ લાવી શકાય.
સિક્કિમમાં ગત 2 મહિનામાં કોરોનાના 283 કેસ પોઝિટિવ નોંધાયા છે. અધિકારીઓએ કહ્યું કે, 193 લોકો સારવાળ હેઠળ છે, જ્યારે 90 દર્દીઓ સ્વસ્થ થયા છે.