ETV Bharat / bharat

સિક્કિમમાં 21થી 27 જૂલાઇ સુધી સંપૂર્ણ લોકડાઉન - ભારતના ક્યા રાજ્યોમાં લોકડાઉન વધારાયું

સિક્કિમમાં 21 જુલાઇ સવારે છ વાગ્યાથી 27 જુલાઇ સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન લાગુ રહેશે. સૂચના અંતર્ગત કહેવામાં આવ્યું છે કે, વિશેષરૂપે જરૂરિયાત મુજબ છૂટ આપવામાં આવી છે. સરકારી કાર્યાલય, દુકાન, સંસ્થા, માર્કેટ અને કારખાનાઓ બંધ રહેશે.

Sikkim news
સિક્કિમ ન્યૂઝ
author img

By

Published : Jul 20, 2020, 10:34 PM IST

ગંગટોકઃ સિક્કિમ સરકારે રાજ્યમાં 21થી 27 જુલાઇ સુધી સંપૂણ લોકડાઉન કરવા માટે સોમવારના રોજ નિર્ણય લીધો છે. આ નિર્ણય કોરોનાના વધતા સંક્રમણને કારણે લેવામાં આવ્યો છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. મુખ્ય સચિવ એસ.સી. ગુપ્તા દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિશે સમીક્ષા કરી લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.

વધુમાં કહ્યું કે, આ લોકડાઉનમાં વિશિષ્ટ રીતે છૂટ આપવામાં આવી છે. પરંતુ સરકારી કાર્યાલય, દુકાનો, સંસ્થાઓ, માર્કેટ અને કારખાનાઓ બંધ રહેશે.

સૂચના અંતર્ગત લોકડાઉનના દિવસોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાત્રે સાડા સાતથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવાનો આદેશ જાહેર કરાશે. આ એટલા માટે નિર્ણય લેવાયો કે, એકબીજા સાથે અંતર જળવાઇ રહે, સાર્વજનિક સાફસફાઇ, આરોગ્ય સેતુ એપનો ઉપયોગ અને વાહનોની અવરજવર પર નિયંત્રણ લાવી શકાય.

સિક્કિમમાં ગત 2 મહિનામાં કોરોનાના 283 કેસ પોઝિટિવ નોંધાયા છે. અધિકારીઓએ કહ્યું કે, 193 લોકો સારવાળ હેઠળ છે, જ્યારે 90 દર્દીઓ સ્વસ્થ થયા છે.

ગંગટોકઃ સિક્કિમ સરકારે રાજ્યમાં 21થી 27 જુલાઇ સુધી સંપૂણ લોકડાઉન કરવા માટે સોમવારના રોજ નિર્ણય લીધો છે. આ નિર્ણય કોરોનાના વધતા સંક્રમણને કારણે લેવામાં આવ્યો છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. મુખ્ય સચિવ એસ.સી. ગુપ્તા દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિશે સમીક્ષા કરી લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.

વધુમાં કહ્યું કે, આ લોકડાઉનમાં વિશિષ્ટ રીતે છૂટ આપવામાં આવી છે. પરંતુ સરકારી કાર્યાલય, દુકાનો, સંસ્થાઓ, માર્કેટ અને કારખાનાઓ બંધ રહેશે.

સૂચના અંતર્ગત લોકડાઉનના દિવસોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાત્રે સાડા સાતથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવાનો આદેશ જાહેર કરાશે. આ એટલા માટે નિર્ણય લેવાયો કે, એકબીજા સાથે અંતર જળવાઇ રહે, સાર્વજનિક સાફસફાઇ, આરોગ્ય સેતુ એપનો ઉપયોગ અને વાહનોની અવરજવર પર નિયંત્રણ લાવી શકાય.

સિક્કિમમાં ગત 2 મહિનામાં કોરોનાના 283 કેસ પોઝિટિવ નોંધાયા છે. અધિકારીઓએ કહ્યું કે, 193 લોકો સારવાળ હેઠળ છે, જ્યારે 90 દર્દીઓ સ્વસ્થ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.