મહત્વનું છે કે, શિવસેનાના નેતા સંજય રાઉતે એક પ્રખ્યાત કવિતાને ટ્વિટ કરી અને જણાવ્યું કે, 'મહારાષ્ટ્રમાં હજુ પણ શિવસેનાની સરકાર બનવાની આશા ભ્રમિત થઈ નથી' જણાવી દઈએ કે, રાજ્યસભા સંસદ સંજય રાઉત મહારાષ્ટ્રમાં રાજકીય ઉતાર ચઢાવ દરમિયાન શિવસેનાનો પક્ષ રાખી રહ્યા છે.
![shivsena leader sanjay raut tweets a poem on current maharastra politics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5036882_tweet.png)
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રાઉત સતત ટ્વિટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આ પહેલા રાઉતે લીલાવતી હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી થઈ હતી. છાતીમાં દુ:ખાવોની ફરિયાદ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મળતી વિગતો મુજબ, સોમવારે સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય થતાં જ શિવસેનાએ રાજ્યપાલ કોશ્યારીને સોમવારે રાત્રે જ NCPને આમંત્રણ આપ્યું અને પૂછ્યું કે શું તે 'સરકાર બનાવવાની ઇચ્છા અને ક્ષમતા' બતાવવા માંગે છે.