ETV Bharat / bharat

પ્રશાંત કિશોરે બિહારમાં તેમનું કાર્યાલય બંધ કર્યું, 'બાત બિહારકી' કાર્યક્રમ ઠપ્પ

author img

By

Published : Jul 28, 2020, 6:33 PM IST

બિહારની વાત કાર્યક્રમ સાથે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાની હાજરીની ઘોષણા કરનારા પ્રશાંત કિશોરે બિહારમાં તેમનું કાર્યાલય બંધ કરી દીધું છે. રાજધાની પટણામાં એક્ઝિબિશન રોડ પર પ્રશાંત કિશોરનું ઘણા સમયથી ચાલતું કાર્યાલય અને તેમની ટીમના ઘણા સભ્યો અહીંથી સમગ્ર બિહાર માટે કાર્યરત હતા. પરંતુ ટીમના સભ્યોને પ્રશાંત કિશોર દ્વારા બંગાળ અને તામિલનાડુ શિફ્ટ કરવામાં આવ્યા હતા અને હવે આ કાર્યાલય બંધ છે.

પ્રશાંત કિશોરે બિહારમાં તેમનું કાર્યાલય બંધ કર્યું, 'વાત બિહારની' કાર્યક્રમ ઠપ્પ
પ્રશાંત કિશોરે બિહારમાં તેમનું કાર્યાલય બંધ કર્યું, 'વાત બિહારની' કાર્યક્રમ ઠપ્પ

બિહાર: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષે ધ્યાન ન આપ્યું, ત્યારબાદ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે આખરે બિહારમાં પોતાનું કાર્યાલય બંધ કરી દીધું છે. પ્રશાંત કિશોરે વાત બિહારના કાર્યક્રમ માટે 40 થી 50 લોકોની ટીમ તૈયાર કરી હતી. ટીમે વિધાનસભાની ચૂંટણીઓ માટે પહેલા કેટલાક મહિનાઓ કામ કર્યું હતું, પરંતુ લોકડાઉન થયા પછી પ્રશાંત કિશોરે પોતાની ટીમને સમેટવાનું શરૂ કર્યું. પહેલા મોટાભાગના સભ્યો બંગાળ અને તામિલનાડુ શિફ્ટ થયા હતા અને હવે પીકે ટીમના સભ્ય શિવાજીના જણાવ્યા મુજબ, પટના કાર્યાલય સંપૂર્ણ બંધ થઈ ગયુ છે.

બિહારમાં પ્રશાંત કિશોરની પ્રવૃત્તિ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે. આ વર્ષની શરૂઆતમાં, જ્યારે પ્રશાંત કિશોર પટણા આવ્યા ત્યારે તેમણે દાવો કર્યો હતો કે, ત્રણ મહિનામાં તેઓ 10 લાખ યુવાનોને જોડશે અને ગામ સુધી રાજકારણમાં તેમની ભૂમિકા ભજવશે, પરંતુ તે પછી પ્રશાંત કિશોર એક વખત પણ બિહાર ગયા નથી. કોરોના કટોકટી દરમિયાન ટીમના સભ્યોનું ક્ષેત્ર કામ પણ અટકી ગયું, આખો કાર્યક્રમ સોશિયલ મીડિયા સુધી સીમિત રહ્યો અને હવે પ્રશાંત કિશોરે બિહારથી તેમનો આખો કાર્યક્રમ બંધ કરી દીધો. .

બિહારથી પ્રશાંત કિશોરનું પોતાનું કાર્યાલય અને કાર્યક્રમ બંધ કરવા પાછળનું મોટું કારણ નીતિશ કુમારની આગેવાની હેઠળની એનડીએ ગઠબંધન માનવામાં આવે છે. તેની સાથે વિપક્ષનું ધ્યાન ન આપવું એ પણ કારણ હતું. પ્રશાંત કિશોરે ચૂંટણીમાં શું થવાનું છે તેનો અનુમાન લગાવ્યો હશે. અને એનડીએમાંં કોઈ અવકાશ ન હોવાને કારણે, આખરે તેેેમને સંપૂર્ણ કાર્યક્રમ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બંગાળ અને તમિલનાડુ ન ગયેલા તેમની ટીમના ઘણા યુવાન સભ્યો પણ હવે ટિમમાં રહ્યા નથી.

બિહાર: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષે ધ્યાન ન આપ્યું, ત્યારબાદ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે આખરે બિહારમાં પોતાનું કાર્યાલય બંધ કરી દીધું છે. પ્રશાંત કિશોરે વાત બિહારના કાર્યક્રમ માટે 40 થી 50 લોકોની ટીમ તૈયાર કરી હતી. ટીમે વિધાનસભાની ચૂંટણીઓ માટે પહેલા કેટલાક મહિનાઓ કામ કર્યું હતું, પરંતુ લોકડાઉન થયા પછી પ્રશાંત કિશોરે પોતાની ટીમને સમેટવાનું શરૂ કર્યું. પહેલા મોટાભાગના સભ્યો બંગાળ અને તામિલનાડુ શિફ્ટ થયા હતા અને હવે પીકે ટીમના સભ્ય શિવાજીના જણાવ્યા મુજબ, પટના કાર્યાલય સંપૂર્ણ બંધ થઈ ગયુ છે.

બિહારમાં પ્રશાંત કિશોરની પ્રવૃત્તિ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે. આ વર્ષની શરૂઆતમાં, જ્યારે પ્રશાંત કિશોર પટણા આવ્યા ત્યારે તેમણે દાવો કર્યો હતો કે, ત્રણ મહિનામાં તેઓ 10 લાખ યુવાનોને જોડશે અને ગામ સુધી રાજકારણમાં તેમની ભૂમિકા ભજવશે, પરંતુ તે પછી પ્રશાંત કિશોર એક વખત પણ બિહાર ગયા નથી. કોરોના કટોકટી દરમિયાન ટીમના સભ્યોનું ક્ષેત્ર કામ પણ અટકી ગયું, આખો કાર્યક્રમ સોશિયલ મીડિયા સુધી સીમિત રહ્યો અને હવે પ્રશાંત કિશોરે બિહારથી તેમનો આખો કાર્યક્રમ બંધ કરી દીધો. .

બિહારથી પ્રશાંત કિશોરનું પોતાનું કાર્યાલય અને કાર્યક્રમ બંધ કરવા પાછળનું મોટું કારણ નીતિશ કુમારની આગેવાની હેઠળની એનડીએ ગઠબંધન માનવામાં આવે છે. તેની સાથે વિપક્ષનું ધ્યાન ન આપવું એ પણ કારણ હતું. પ્રશાંત કિશોરે ચૂંટણીમાં શું થવાનું છે તેનો અનુમાન લગાવ્યો હશે. અને એનડીએમાંં કોઈ અવકાશ ન હોવાને કારણે, આખરે તેેેમને સંપૂર્ણ કાર્યક્રમ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બંગાળ અને તમિલનાડુ ન ગયેલા તેમની ટીમના ઘણા યુવાન સભ્યો પણ હવે ટિમમાં રહ્યા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.