પુલવામાં આતંકવાદી હુમલો થયાપછી યાત્રાધામ દ્વારકાની સુરક્ષામાં વિશેષધ્યાન આપવામાં આવીરહ્યું છે. જગત મદિર અને તેની આજુબાજુના વિસ્તારોમાં વધુ પોલીસ જવાન અને SRPના જવાનોનેફરજ પર મુકવામાં આવ્યા છે. હાલ દ્વારકામાં હોળી- ફૂલડોલ ઉત્સવ દરમિયાન ટ્રાફીકવધુ હોવાથી જગત મંદિર અંદર અને બહારની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.
જેને લઇને તા ૧૮ માર્ચથી તા ૨૨ માર્ચ સુધી દેવભૂમીદ્વારકા જીલ્લાના તેમજ જીલ્લા બહારના પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ૪ ડી.વાય.એસ.પી,૬ પી.આઈ, ૨૦ પી.એસ.આઈ,૨૫૦ પોલીસ કોન્સ્તેબેલ, ૨૫૦ હોમગાર્ડના જવાનો સહીત કુલ ૫૦૦નો પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. દ્વારકામાં ઉત્સવ દરમ્યાન વધુ ભીડ હોવાથી કોઈ અનીઇચ્છનીય બનાવ અથવા અકસ્માત નબને તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.
જગત મંદિરમાંપ્રવશે કરતા તમામ સ્થળો પર CCTVકેમેરા તેમજ સાદા ડ્રેસમાં પોલીસ જવાનો ફરજ નિભાવી રહ્યા છે. વધુ ટ્રાફીકદરમિયાન બાળકો , વડીલો તેમના પરિવારથી વિખુટા પડી જાય તો તેમને શોધી આપવાની ખાસ વ્યવસ્થા દેવભૂમીદ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવી છે. ટ્રાફીકદરમિયાન કોઈ સામાન્ય અકસ્માત થાય અથવા પ્રાથમિક સારવાર કેન્દ્રની પણ વ્યવસ્થા સંપૂણ સ્ટાફ સાથે કરવામાં આવી છે.