ETV Bharat / bharat

કોરોના વાયરસને લઈને PMએ કરી સમીક્ષા બેઠક, 26 દવાઓના નિકાસ પર પ્રતિબંધ

author img

By

Published : Mar 3, 2020, 4:32 PM IST

દુનિયાભરમાં કોરોના વાયરસને લઈ મૃત્યુઆંકની સંખ્યા 3 હજારને પાર કરી છે. જેને લઈ સરકારે પણ સંક્રમણની ઓળખ અને તપાસ શરુ કરી છે. ભારત સરકારે 26 દવાઓના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય અનુસાર એક દર્દી દિલ્હીમાં અને 1 તેલગણામાં કોરોના વાયરસનો દર્દી મળી આવ્યો છે. આ પહેલા કેરળમાં પણ 3 કેસ સામે આવ્યા હતા.

etv bharat
etv bharat

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, કોરોના વાયરસ પર તૈયારીઓ વિશે વ્યાપક સમીક્ષા કરવામાં આવી રહી છે. જે અંગે વિવિધ મંત્રાલયો અને રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યાં છે.

વિદેશથી ભારતમાં આવનારા લોકોનું સ્ક્રીનિંગ અને સારવારની સુવિધા શરુ કરવામાં આવી છે. ભારત સરકારે 26 દવાઓના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના 2 કેસ સામે આવ્યા છે. ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરતા જણાવ્યું છે કે, ઈટલી, ઈરાન, દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકો જેમણે 3 માર્ચ અથવા તે પહેલાં નિયમિત વિઝા/ ઈ-વિઝા જાહેર કર્યા હતા તેને રદ્દ કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, કોરોના વાયરસ પર તૈયારીઓ વિશે વ્યાપક સમીક્ષા કરવામાં આવી રહી છે. જે અંગે વિવિધ મંત્રાલયો અને રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યાં છે.

વિદેશથી ભારતમાં આવનારા લોકોનું સ્ક્રીનિંગ અને સારવારની સુવિધા શરુ કરવામાં આવી છે. ભારત સરકારે 26 દવાઓના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના 2 કેસ સામે આવ્યા છે. ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરતા જણાવ્યું છે કે, ઈટલી, ઈરાન, દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકો જેમણે 3 માર્ચ અથવા તે પહેલાં નિયમિત વિઝા/ ઈ-વિઝા જાહેર કર્યા હતા તેને રદ્દ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.