ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી ખેડૂતો માટે નાણાકીય સુવિધાની શરૂઆત કરશે - કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ

વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ હેઠળ રવિવારે યોજાનારા આ કાર્યક્રમમાં સમગ્ર દેશના લાખો ખેડૂતો, સહકારી સમિતીઓ અને સામાન્ય નાગરિક સામેલ થશે. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ વડાપ્રધાનના 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પ્રોત્સાહન પેકેજનો એક ભાગ છે.

ETV BHARAT
PM મોદી કાલે ખેડૂતો માટે નાણાકીય સુવિધાની શરૂઆત કરશે
author img

By

Published : Aug 8, 2020, 7:34 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી રવિવારે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ હેઠળ ખેડૂતો માટે 1 લાખ કરોડ રૂપિયાની નાણાકીય સુવિધાઓ શરૂ કરશે.

આ સાથે જ તે 'PM- ખેડૂત યોજના' હેઠળ 8.5 કરોડ ખેડૂતોને 17,000 કરોડ રૂપિયાનો છઠ્ઠો હપ્તો પણ રિલીઝ કરશે.

મળતી માહિતી મુજબ, વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી યોજાનારા આ કાર્યક્રમમાં સમગ્ર દેશના ખેડૂતો, સહકારી સમિતીઓ અને સામાન્ય નાગરિક સામેલ થશે.

કેન્દ્રીય કૃષિ એન્ડ કિસાન કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર પણ આ પ્રસંગે હાજર રહેશે. કેન્દ્રીય કેબિનેટે ગત મહિને એક લાખ કરોડ રૂપિયાનું કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ બનાવવાની પરવાનગી આપી હતી.

અધિકૃત નિવેદન અનુસાર આ ભંડોળ સાથે કૃષિ સંબંધી બુનિયાદી સંરચના માટે સસ્તી લોન આપવામાં આવશે. જેનાથી ગ્રામીણ વિસ્તારમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન મળશે તથા રોજગારીનું સર્જન થશે. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ વડાપ્રધાનના 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પ્રોત્સાહન પેકેજનો એક ભાગ છે.

નિવેદન અનુસાર આ યોજના કોવિડ-19 મહામારી દરમિયાન ખેડૂતોને જરૂરી ટેકો આપવામાં પણ મદદરૂપ બની છે. લોકડાઉનના સમય દરમિયાન ખેડૂતોની મદદ માટે લગભગ 22,000 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી રવિવારે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ હેઠળ ખેડૂતો માટે 1 લાખ કરોડ રૂપિયાની નાણાકીય સુવિધાઓ શરૂ કરશે.

આ સાથે જ તે 'PM- ખેડૂત યોજના' હેઠળ 8.5 કરોડ ખેડૂતોને 17,000 કરોડ રૂપિયાનો છઠ્ઠો હપ્તો પણ રિલીઝ કરશે.

મળતી માહિતી મુજબ, વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી યોજાનારા આ કાર્યક્રમમાં સમગ્ર દેશના ખેડૂતો, સહકારી સમિતીઓ અને સામાન્ય નાગરિક સામેલ થશે.

કેન્દ્રીય કૃષિ એન્ડ કિસાન કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર પણ આ પ્રસંગે હાજર રહેશે. કેન્દ્રીય કેબિનેટે ગત મહિને એક લાખ કરોડ રૂપિયાનું કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ બનાવવાની પરવાનગી આપી હતી.

અધિકૃત નિવેદન અનુસાર આ ભંડોળ સાથે કૃષિ સંબંધી બુનિયાદી સંરચના માટે સસ્તી લોન આપવામાં આવશે. જેનાથી ગ્રામીણ વિસ્તારમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન મળશે તથા રોજગારીનું સર્જન થશે. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ વડાપ્રધાનના 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પ્રોત્સાહન પેકેજનો એક ભાગ છે.

નિવેદન અનુસાર આ યોજના કોવિડ-19 મહામારી દરમિયાન ખેડૂતોને જરૂરી ટેકો આપવામાં પણ મદદરૂપ બની છે. લોકડાઉનના સમય દરમિયાન ખેડૂતોની મદદ માટે લગભગ 22,000 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.