અયોધ્યા : પ્રહલાદ દામોદરદાસ મોદી વડાપ્રધાન જન કલ્યાણ યોજનાના પ્રચાર પ્રસારના અભિયાન માટે અયોધ્યા પહોંચ્યા હતા. તેમની સાથે બાબરીના પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારીએ પણ રામલલાના દરબારમાં પુજા અર્ચના કરી હતી.
![modi brother](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9376383_146_9376383_1604125152402.png)
રામ મંદિર વિવાદ સમાપ્ત થતાં અયોધ્યાનો માહોલ બદલાયો : પ્રહલાદ દામોદરદાસ મોદી
પ્રહલાદ દામોદરદાસ મોદીએ કહ્યું કે, રામ મંદિર વિવાદ સમાપ્ત થતાં અયોધ્યાનો માહોલ બદલ્યો છે. અયોધ્યામાં એકતા કાયમ રહેશે, જે દેશ માટે એક ઉદાહરણ હશે. તેમજ હવે ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોઇ સંધર્ષ નથી.